માર્ક
11આ ઈસુ મસીહા વિષેના શુભસંદેશની શરૂઆત છે, જે ઈશ્વરના પુત્ર છે. 2આ શુભસંદેશની શરૂઆત પ્રબોધક યશાયાના કહેવા પ્રમાણે થઈ હતી કે જ્યારે તેણે ઘણા સમય પહેલા લખ્યું હતું, “જુઓ, હું મારા સંદેશવાહકને તમારી આગળ મોકલું છું. જ્યારે તમે આવો ત્યારે તે લોકોને તૈયાર કરશે. 3તે ઉજ્જડ જગ્યાએ જે કોઈ તેને સાંભળશે તેને પોકારતો અવાજ હશે, એમ કહેતાં કે,
‘પ્રભુને આવકારવા તમે પોતાને તૈયાર કરો. તેમના આવવા માટે સઘળું વ્યવસ્થિત કરો.''
4યશાયાએ જે સંદેશવાહક વિષે લખ્યું તે યોહાન હતો. લોકો તેને “બાપ્તિસ્મા આપનાર” કહેતા. યોહાન યર્દન નદી પાસેના એક નિર્જન વિસ્તારમાં હતો. તે લોકોને બાપ્તિસ્મા આપતો હતા અને તેઓને ઘોષણા કરતા હતા કે જો તેઓ પસ્તાવો કરશે, તો તે તેમને બાપ્તિસ્મા આપશે, અને ઈશ્વર તેમના પાપોને માફ કરશે. 5યહૂદિયાના પ્રદેશ અને યરૂશાલેમ શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો યોહાનની વાત સાંભળવા અરણ્યમાં ગયા. તેને સાંભળનારાઓમાંથી ઘણા સંમત થયા કે તેઓએ પાપ કર્યું છે. પછી યોહાને તેઓને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું. 6યોહાન ઊંટના વાળમાંથી બનાવેલા કપડાં પહેરતો હતો અને તેની કમર પર ચામડાનો પટ્ટો બાંધતો હતો. તે તીડો અને તે નિર્જન પ્રદેશમાં તેને પ્રાપ્ત થતું રાની મધ ખાતો હતો. 7તે ઉપદેશ આપી રહ્યો હતો, “ખૂબ જ ટૂંક સમયમાં એક આવશે જે ખૂબ મહાન છે. તેમની સરખામણીમાં હું કંઈ જ નથી. હું નીચે વળીને તેમના ચંપલ ખોલવાને પણ લાયક નથી. 8મેં તમને પાણીથી બાપ્તિસ્મા આપ્યું છે, પણ તે તમને પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપશે.”
9યોહાન પ્રચાર કરતો હતો તે સમય દરમિયાન, ઈસુ ગાલીલ પ્રદેશના એક નગર નાઝરેથથી આવ્યા. તે જ્યાં યોહાન પ્રચાર કરતો હતો ત્યાં ગયા, અને યોહાને તેમને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું. 10જેમ ઈસુ પાણીમાંથી બહાર આવી રહ્યા હતા, ત્યારે તેમણે સ્વર્ગને ફાટતું જોયું અને ઈશ્વરનો આત્માને તેમના પર ઊતરતા જોયો. ઈશ્વરનો આત્મા એક કબૂતરની જેમ સ્વર્ગમાંથી નીચે આવ્યો. 11પછી ઈશ્વર સ્વર્ગમાંથી બોલ્યા અને કહ્યું, “તું મારો પુત્ર છે, જેને હું ખૂબ પ્રેમ કરું છું. હું તમારાથી ખૂબ જ ખુશ છું.” 12પછી ઈશ્વરના આત્માએ ઈસુને નિર્જન વિસ્તારમાં મોકલ્યા. 13ઈસુ ૪૦ દિવસો સુધી અરણ્યમાં હતા. તે દરમિયાન શેતાન તેમને લલચાવી રહ્યો હતો. તે જગ્યાએ જંગલી પ્રાણીઓ હતા, અને દૂતો તેમની સંભાળ રાખી રહ્યા હતા.
14પાછળથી, ગવર્નર, હેરોદ અંતિપાસે, યોહાન બાપ્તિસ્મા કરનારને જેલમાં નાખ્યા પછી, ઈસુ ગાલીલના પ્રદેશમાં ગયા. ગાલીલમાં, તે ઈશ્વરના શુભ સંદેશનો પ્રચાર કરી રહ્યા હતા. 15તે કહેતા હતા કે, “આખરે સમય આવી ગયો છે. ઈશ્વર ટૂંક સમયમાં તમને તેમના રાજ્યના ભાગીદાર થવાનું શક્ય બનાવશે. પસ્તાવો કરો અને શુભસંદેશ પર વિશ્વાસ કરો.”
16એક દિવસ ઈસુ ગાલીલ સમુદ્રના કિનારે ચાલતા હતા ત્યારે તેમણે બે માછીમારોને જોયા. સિમોન અને બીજા સિમોનના ભાઈ આન્દ્રિયાને. તેઓ માછલી પકડવા માટે દરિયામાં માછીમારીની જાળ નાખતા હતા. તેઓ માછલી પકડીને અને વેચીને પૈસા કમાતા હતા. 17પછી ઈસુએ તેઓને કહ્યું, "જેમ તમે માછલીઓ ભેગી કરો છો, તેમ મારી સાથે આવો, અને હું તમને શીખવીશ કે લોકોને મારા શિષ્યો તરીકે કેવી રીતે એકઠા કરવા." 18ઈસુએ આ કહ્યા પછી તરત જ, તેઓએ કામ કરવાનું બંધ કરી દીધું, અને તેઓ તેમની સાથે ગયા. 19તેઓ થોડે આગળ ગયા પછી, ઈસુએ બીજા બે માણસોને જોયા, યાકૂબ અને યાકૂબના ભાઈ, યોહાનને. તેઓ ઝબદી નામના માણસના પુત્રો હતા. તેઓ બધા એક હોડીમાં બેસીને તેમની જાળ ગોઠવી રહ્યા હતા. 20ઈસુએ તેઓને જોયા કે તરત જ તેમણે તેઓને પોતાની સાથે આવવા કહ્યું. તેથી તેઓએ તેમના પિતા ઝબદીને તેમના ચાકરો સાથે હોડીમાં છોડી, અને ઈસુ સાથે તેઓ ચાલી નીકળ્યા.
21ઈસુ, પિતર, આંદ્રિયા, યાકૂબ અને યોહાન સાથે, નજીકના કફર-નહૂમ નગરમાં ગયા. ત્યાં, ઈસુએ વિશ્રામવારે યહૂદીઓની મળવાની સભામાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું. 22જેઓ સાંભળતા હતા તેઓ તેમની શીખવવાની રીતથી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે એક શિક્ષકની જેમ શીખવ્યું જે પોતે જે જાણે છે તેના પર આધાર રાખે છે. તેમણે યહૂદી કાયદાઓ શીખવનારાઓની જેમ શીખવ્યું ન હતું, જેઓ અન્ય માણસોએ શીખવેલી જુદી જુદી બાબતોનું પુનરાવર્તન કરતા હતા. 23યહૂદી પ્રચારના સ્થળે જ્યાં ઈસુએ શીખવ્યું, ત્યાં એક માણસ હતો જે દુષ્ટ આત્મા દ્વારા નિયંત્રિત હતો. દુષ્ટ આત્મા ધરાવતો માણસ બૂમો પાડવા લાગ્યો, 24“અરે! ઈસુ, નાઝરેથથી! અમને દુષ્ટ આત્માઓને તમારી સાથે કોઈ લેવાદેવા નથી! તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો એ હું જાણુ છું. તમે ઈશ્વર તરફથી આવેલ એક પવિત્ર વ્યક્તિ છો!” 25ઈસુએ દુષ્ટાત્માને ઠપકો આપતા કહ્યું, “શાંત થા અને તે માણસમાંથી બહાર આવ.” 26દુષ્ટ આત્માએ માણસને હિંસક રીતે હલાવી દીધો. તે જોરથી ચીસો પાડી, અને પછી તે માણસમાંથી બહાર આવ્યો અને ચાલ્યો ગયો. 27સભાસ્થાનમાં રહેલા બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. પરિણામે, તેઓએ પોતાની વચ્ચે આ વિષે ચર્ચા કરતાં કહ્યું, “આ એવું કંઈક છે જે આપણે પહેલાં ક્યારેય જોયું નથી! તે માત્ર નવી અને અધિકૃત રીતે શીખવતો નથી, પણ તે દુષ્ટ આત્માઓને પણ આદેશ આપે છે અને તેઓ તેનું પાલન કરે છે!” 28ઈસુએ જે કર્યું હતું તે આખા ગાલીલ પ્રદેશમાં લોકોએ બહુ જલદી બીજાઓને કહ્યું.
29તેઓ યહૂદી પ્રચાર સ્થળ છોડ્યા પછી, ઈસુ, સિમોન અને આન્દ્રિયા, યાકૂબ અને યોહાન સાથે, સીધા સિમોન અને આન્દ્રિયાના ઘરે ગયા. 30સિમોનની સાસુ પથારીમાં સૂઈ રહી હતી કારણ કે તે બીમાર હતી; તેણીને તાવ હતો. તરત જ કોઈએ ઈસુને તેણીના બીમાર હોવા વિષે કહ્યું. 31ઈસુ તેની પાસે ગયા, તેણીનો હાથ પકડી અને તેણીને મદદ કરી. તેણી તરત જ તાવમાંથી સાજી થઈ અને તેમની સેવા કરવા લાગી.
32તે સાંજે, સૂર્યાસ્ત થયા પછી, આસપાસના વિસ્તારના લોકો ઈસુ પાસે બીજા ઘણા બીમાર હતા અને જેઓને દુષ્ટ આત્માઓએ કાબૂમાં રાખ્યા હતા તેઓને લાવ્યા. 33એવું લાગતું હતું કે શહેરમાં રહેતા દરેક લોકો સિમોનના ઘરના દરવાજે ભેગા થયા હતા. 34ઈસુએ ઘણા લોકોને સાજા કર્યા જેઓ વિવિધ રોગોથી બીમાર હતા. તેમણે ઘણા દુષ્ટ આત્માઓને પણ લોકોમાંથી બહાર આવવાની ફરજ પાડી. તેમણે દુષ્ટ આત્માઓને તેમના વિષે લોકોને કહેવાની મંજૂરી આપી ન હતી, કારણ કે તેઓ જાણતા હતા કે તે ઈશ્વર તરફથી પવિત્ર એક છે.
35બીજા દિવસે સવારે હજુ અંધારું હતું ત્યારે ઈસુ બહુ વહેલા ઊઠ્યા. તે ઘર છોડીને નગરથી દૂર એવી જગ્યાએ ગયા જ્યાં લોકો નહોતા. પછી તેમણે પ્રાર્થના કરી. 36સિમોન અને તેના સાથીઓએ તેમને શોધ્યા. 37જ્યારે તેઓ તેમને મળ્યા ત્યારે તેઓએ કહ્યું, "શહેરના દરેક જણ તમને શોધી રહ્યા છે." 38ઈસુએ તેઓને કહ્યું, “આપણે આ પ્રદેશના અન્ય નગરોમાં જવાની જરૂર છે જેથી હું ત્યાં પણ પ્રચાર કરી શકું. આ જ કારણ છે કે હું અહિ આવ્યો છું.” 39તેથી તેઓ સમગ્ર ગાલીલ પ્રદેશમાં ગયા. જેમ તેઓ ગયા તેમ, ઈસુએ યહૂદી પ્રચાર સ્થળોએ પ્રચાર કર્યો અને લોકોમાંથી દુષ્ટ આત્માઓને બહાર આવવા ફરજ પાડી.
40એક દિવસ એક માણસ જેને રક્તપિત્ત નામનો ચામડીનો ખરાબ રોગ હતો તે ઈસુ પાસે આવ્યો. તેણે ઈસુની આગળ ઘૂંટણિયે પડીને તેમને વિનંતી કરીને કહ્યું કે, "કૃપા કરીને મને શુદ્ધ કરો, કારણ કે જો તમારી ઇચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો છો!" 41ઈસુને તેના માટે દયા આવી. તેમણે તેમનો હાથ લાંબો કરી અને તે માણસને સ્પર્શ કર્યો. પછી તેમણે તેને કહ્યું, "તને સાજો કરવાની મારી ઇચ્છા છે, તેથી સાજો થા!" 42તરત જ માણસ સાજો થઈ ગયો! તેને હવે રક્તપિત્ત હતો નહિ! 43ઈસુએ તે માણસને વિદાય આપતા સમયે એક ચેતવણી આપી, 44એમ કહીને કે, “હમણાં જે થયું તે વિષે કોઈને કહીશ નહિ. તેના બદલે, કોઈ યાજક પાસે જા, અને તેને તારી જાતને બતાવો જેથી તે તારી તપાસ કરે અને જોઈ શકે કે તને હવે રક્તપિત્ત નથી. પછી રક્તપિત્તમાંથી જેઓને ઈશ્વરે સાજા કર્યા હોઈ તેવા લોકો માટે મૂસાએ આજ્ઞા આપી હતી તેવું અર્પણ કરો. આ સમુદાય માટે સાક્ષી હશે કે તને હવે રક્તપિત્ત નથી." 45તે માણસે ઈસુની સૂચનાનું પાલન કર્યું નહિ. ઈસુએ તેને કેવી રીતે સાજો કર્યો તે વિષે તેણે ઘણા લોકોને કહેવાનું શરૂ કર્યું. પરિણામે, ઈસુ હવે જાહેરમાં નગરોમાં પ્રવેશવા સક્ષમ ન હતા, કારણ કે લોકોના ટોળા તેમને ઘેરી લેશે. તેના બદલે, તે નગરોની બહાર એવા સ્થળોએ રહ્યા જ્યાં કોઈ રહેતું ન હતું. પરંતુ આખા પ્રદેશમાંથી લોકો તેમની પાસે આવતા હતા.
21થોડા દિવસો વીતી ગયા પછી, ઈસુ કફર-નહૂમ નગરમાં પાછા ફર્યા. લોકોએ બીજાઓને ઝડપથી સમાચાર ફેલાવ્યા કે ઈસુ પાછા ફર્યા છે અને તે એક ચોક્કસ ઘરમાં છે. 2જલદી જ ઈસુ જ્યાં રહેતા હતા ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. હવે ત્યાં ઉભા રહેવાની જગ્યા પણ નહોતી, દરવાજાની પાસે પણ નહિ. ઈસુએ તેઓને ઈશ્વરનો સંદેશો સંભળાવ્યો. 3કેટલાક લોકો ઘરમાં એક લકવાગ્રસ્ત માણસને ઈસુ પાસે લાવ્યા. ચાર માણસો તેને સૂવાના પલંગ પર લઈને આવ્યા. 4એકઠા થયેલા ટોળાને કારણે તેઓ તે માણસને ઈસુની નજીક લાવી શક્યા નહિ. તેથી તેઓ ઘરના છાપરા પર ગયા અને ઈસુની ઉપર છાપરામાં મોટું બાકોરું બનાવ્યું . તેઓએ લકવાગ્રસ્ત માણસને તેના સૂવાના બિછાના પર ઈસુની સામેના બાકોરામાંથી નીચે ઉતાર્યો. 5ઈસુએ સમજ્યા કે આ માણસો માને છે કે તે આ વ્યક્તિને સાજો કરી શકે છે, તેમણે લકવાગ્રસ્ત માણસને કહ્યું, "મારા બાળક, મેં તારા પાપોને માફ કરી દીધા છે!" 6યહૂદી નિયમો શીખવનારા કેટલાક માણસો ત્યાં બેઠા હતા. તેઓ મનમાં વિચારવા લાગ્યા, 7“આ માણસ કોણ છે જે આ રીતે વિચારે છે? એમ કહીને તે ઈશ્વરનું અપમાન કરે છે! કોઈ પણ વ્યક્તિ પાપોને માફ કરી શકતો નથી - ફક્ત ઈશ્વર જ કરી શકે છે! 8તરત જ, ઈસુએ પોતાની માંહે જાણ્યું કે તેઓ શું વિચારી રહ્યા છે. તેમણે તેઓને કહ્યું, “તમે કેમ વિચારો છો કે મને પાપોની માફી કરવાનો અધિકાર નથી? 9મારા માટે આ લકવાગ્રસ્ત માણસને શું કહેવું સહેલું હશે, ‘મેં તારા પાપ માફ કર્યા છે’ અથવા ‘ઊભો થા! તારું સૂવાનું બિછાનું લે અને ચાલ? 10હું તમને બતાવીશ કે ઈશ્વરે માણસના પુત્રને પૃથ્વી પર પાપો માફ કરવાનો અધિકાર આપ્યો છે." પછી તેમણે એ લકવાગ્રસ્ત માણસને કહ્યું, 11"ઉભો થા! તારું સૂવાનું બિછાનું ઉપાડી અને ઘરે જા!" 12એ માણસ તરત ઊભો થયો. તેણે સૂવાનું બિછાનું ઉપાડ્યું, અને જ્યારે ત્યાંના બધા લોકો જોઈ રહ્યા હતા, તે ઘરની બહાર નીકળી ગયો. તેઓ બધા આશ્ચર્યચકિત થઈ ગયા, અને તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી અને કહ્યું, "અમે હમણાં જે બન્યું તેવું પહેલાં ક્યારેય જોયું નથી!"
13ઈસુ કફર-નહૂમ શહેર છોડીને ગાલીલ સમુદ્રના કિનારે ફરી ચાલ્યા. એક મોટું ટોળું તેમની પાસે આવ્યું, અને તેમણે તેઓને શીખવ્યું. 14તે ચાલતા હતા ત્યારે તેમણે લેવી નામના એક માણસને જોયો, જેના પિતાનું નામ આલ્ફિયસ હતું. તે તેના કામના સ્થળે બેઠો હતો, જ્યાં તે કર વસૂલતો હતો. ઈસુએ તેને કહ્યું, "મારી સાથે આવ અને મારો શિષ્ય બન." તે ઊભો થયો અને ઈસુ સાથે ગયો. 15પછીથી, ઈસુ લેવીના ઘરે ભોજન કરી રહ્યા હતા. ઘણા માણસો જેઓ કર વસૂલતા હતા - અને અન્ય જેમને ધાર્મિક આગેવાનો પાપી માનતા હતા - ઈસુ અને તેમના શિષ્યો તેઓની સાથે જમી રહ્યા હતા. આવા ઘણા લોકો હતા જેઓ ઈસુ સાથે બધે જતા હતા. 16જેઓ યહૂદી કાયદાઓ શીખવતા હતા અને જેઓ ફરોશી સંપ્રદાયના સભ્યો હતા. તેઓએ જોયું કે ઈસુ પાપીઓ અને કર વસૂલતા માણસો સાથે જમી રહ્યા હતા. તેઓએ ઈસુના શિષ્યોને પૂછ્યું, "તે શા માટે પાપીઓ અને કર ઉઘરાવનારા માણસો સાથે ખાય પીવે છે?" 17તેઓ શું પૂછે છે તે સાંભળ્યા પછી, ઈસુએ યહૂદી નિયમો શીખવનારા માણસોને કહ્યું, “તંદુરસ્ત લોકોને ડૉક્ટરની જરૂર નથી. તેનાથી વિપરીત, જેઓ બીમાર છે તેઓને ડૉક્ટરની જરૂર છે. જેઓ પોતાને ન્યાયી માને છે તેઓને મારી પાસે આવવા નહિ પણ જેઓ જાણે છે કે તેઓએ પાપ કર્યું છે તેઓને આમંત્રણ આપવા હું આવ્યો છું.
18હવે આ સમયે, યોહાન બાપ્તિસ્મા આપનારના અનુયાયીઓ અને ફરોશી સંપ્રદાયના કેટલાક માણસો જેઓ વારંવાર ખોરાકનો ત્યાગ કરતા હતા, તેઓ ઉપસ્થિત હતા. કેટલાક માણસો ઈસુ પાસે આવ્યા અને તેમને પૂછ્યું, “યોહાનના શિષ્યો અને ફરોશીઓ વારંવાર ભોજનનો ત્યાગ કરે છે. શા માટે તમારા વિદ્યાર્થીઓ ભોજનનો ત્યાગ કરતા નથી?" 19ઈસુએ તેઓને કહ્યું, “જ્યારે કોઈ પુરુષ કોઈ` સ્ત્રી સાથે લગ્ન કરી રહ્યો હોય છે, ત્યારે તે તેના મિત્રો સાથે હોય ત્યાં સુધી તેના મિત્રો ખોરાકનો ત્યાગ કરશે નહિ. લગ્ન એ વર સાથે મિજબાની અને ઉજવણી કરવાનો સમય છે. આ સમય ખોરાકનો ત્યાગ કરવાનો નથી, ખાસ કરીને જ્યારે વર તેમની સાથે હોય. 20પરંતુ કોઈ દિવસ, વરને તેમના મિત્રો પાસેથી છીનવી લેવામાં આવશે. પછી તે દિવસોમાં તેઓ ભોજનનો ત્યાગ કરશે.”
21ઈસુએ તેઓને આગળ કહ્યું, “લોકો ફાટેલા વસ્ત્રનું સમારકામ કરવા માટે જૂના કપડા પર નવા કાપડના ટુકડાથી સીવતા નથી. જો તેઓ એમ કરે તો, જ્યારે તેઓ કપડા ધોશે, ત્યારે વસ્ત્ર સંકોચાઈ જશે, અને કાપડનો નવો ટુકડો જૂના કાપડને વધુ ફાડી નાખશે. પરિણામે, છિદ્ર વધુ મોટું થઈ જશે! 22એ જ રીતે, લોકો નવા દ્રાક્ષારસનો સંગ્રહ કરવા માટે જૂના પ્રાણીઓની ચામડીની થેલીઓમાં નાખતા નથી. જો તેઓએ તેમ કર્યું, તો નવો દ્રાક્ષારસ ચામડાની કોથળીઓને ફાડી નાખશે કારણ કે જ્યારે દ્રાક્ષારસને આથો આવે છે અને વિસ્તરે છે ત્યારે તે થેલીઓ ખેંચાતી નથી. પરિણામે, દ્રાક્ષારસ અને ચામડીની કોથળીઓ બંને બરબાદ થઈ જશે! તેનાથી વિપરિત, લોકોએ નવી ચામડાની કોથળીઓમાં નવો દ્રાક્ષારસ નાખવો જોઈએ!”
23એક યહૂદી વિશ્રામવારના દિવસે, ઈસુ તેના વિદ્યાર્થીઓ સાથે કેટલાક અનાજના ખેતરોમાંથી પસાર થઈ રહ્યા હતા. જ્યારે તેઓ અનાજના ખેતરોમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ઈસુના શિષ્યો અનાજના કેટલાક કણસલા તોડી રહ્યા હતા. 24કેટલાક ફરોશીઓએ તેઓ શું કરી રહ્યા હતા તે જોઈને ઈસુને કહ્યું, “આ જુઓ! તેઓ વિશ્રામવારને લગતા યહૂદી કાયદાનો ભંગ કરી રહ્યા છે. તેઓ આવું કેમ કરી રહ્યા છે?” 25ઈસુએ તેઓને કહ્યું, “શું તમે રાજા દાઉદ અને તેની સાથેના માણસો જ્યારે ભૂખ્યા હતા ત્યારે તેમના વિષે શાસ્ત્રો વાંચ્યા નથી? 26અબ્યાથાર પ્રમુખ યાજક હતા તે સમય દરમિયાન, રાજા દાઉદે ઈશ્વરના ઘરમાં પ્રવેશ્યો અને થોડી રોટલી માંગી. પ્રમુખ યાજકે તેને કેટલીક રોટલી આપી જે ઈશ્વર સમક્ષ અર્પણ કરવામાં આવી હતી. આપણા કાયદા પ્રમાણે, ફક્ત યાજકો જ તે રોટલી ખાઈ શકતા હતા! પણ દાઊદે તેમાંથી થોડી ખાધી. પછી તેણે તેમાંથી થોડીક તેની સાથેના માણસોને પણ આપી.” 27ઈસુએ તેઓને આગળ કહ્યું, “ઈશ્વરે વિશ્રામવાર માનવજાત માટે બનાવ્યો છે. તેમણે વિશ્રામના દિવસને માનવજાત પર બોજ નથી બનાવ્યો. 28તેથી, સ્પષ્ટપણે, માણસનો પુત્ર વિશ્રામવારનો પણ પ્રભુ છે!”
31યહૂદીઓના આરામના બીજા એક દિવસે, ઈસુ ફરીથી યહૂદીઓની સભામાં ગયા. ત્યાં એક માણસ હતો જેનો હાથ સુકાઈ ગયો હતો. 2ફરોશી સંપ્રદાયના કેટલાક માણસો તેમને ધ્યાનથી જોતા હતા કે શું તે વિશ્રામવારે તે માણસને સાજો કરશે કે કેમ, કારણ કે તેઓ તેના પર કંઈક ખોટું કર્યું હોવાનો આરોપ લગાવવા સક્ષમ થવા માંગતા હતા. 3જેનો હાથ સુકાઈ ગયો હતો તે માણસને ઈસુએ કહ્યું, “અહિ બધાની સામે ઊભો થા!” તેથી તે માણસ ઊભો થયો. 4પછી ઈસુએ લોકોને કહ્યું, “શું ઈશ્વરે મૂસાને આપેલા નિયમો લોકોને વિશ્રામવારે સારું કરવાની છૂટ આપે છે કે ખરાબ કરવાની? શું નિયમો આપણને વિશ્રામવારે કોઈ વ્યક્તિનો જીવ બચાવવાની પરવાનગી આપે છે અથવા આપણને કોઈ વ્યક્તિને મદદ કરવાનો ઈન્કાર કરવાની અને તેને મરવા દેવાની પરવાનગી આપે છે?" પરંતુ તેઓએ જવાબ આપ્યો નહિ. 5તેમણે ગુસ્સાથી તેમની આસપાસ જોયું. તે ખૂબ જ નિરાશ હતા કે તેઓ હઠીલા હતા અને તે માણસને મદદ કરવા તૈયાર ન હતા. તેથી તેમણે તે માણસને કહ્યું, "તારો હાથ લંબાવ!" એ માણસે પોતાનો સુકાઈ ગયેલો હાથ લંબાવ્યો ત્યારે એ ફરીથી સ્વસ્થ થઈ ગયો! 6ફરોશીઓએ સભા સ્થળ છોડી દીધું. તેઓ તરત જ કેટલાક યહૂદીઓ સાથે મળ્યા જેઓ હેરોદ અંતિપાસને ટેકો આપતા હતા, જે ગાલીલના પ્રદેશ પર શાસન કરતો હતો. તેઓએ સાથે મળીને આયોજન કર્યું કે તેઓ કેવી રીતે ઈસુને મારી શકે.
7ઈસુ અને તેમના શિષ્યો તે શહેર છોડીને ગાલીલના સમુદ્રને કિનારે એક વિસ્તારમાં ગયા. લોકોનું એક મોટું ટોળું તેમની પાછળ ચાલ્યું. તેમની પાછળ આવેલા લોકો ગાલીલ અને યહૂદિયાના પ્રદેશોમાંથી, 8યરૂશાલેમ શહેરમાંથી, ઇદુમિયાના પ્રદેશમાંથી, યર્દન નદીની પૂર્વ બાજુના પ્રદેશમાંથી અને સિદોન અને તૂરના શહેરોની આસપાસના પ્રદેશોમાંથી આવ્યા હતા. તેઓ બધા ઈસુની પાસે આવ્યા કારણ કે તેઓએ સાંભળ્યું હતું કે તે શું કરી રહ્યા હતા. 9-10કારણ કે તેમણે ઘણા લોકોને સાજા કર્યા હતા, અન્ય ઘણા લોકો જેમને વિવિધ બીમારીઓ હતી તેઓ તેમને સ્પર્શ કરવા માટે આગળ ધસી આવી રહ્યા હતા. તેઓ માનતા હતા કે જો તેઓ તેમને સ્પર્શ માત્ર કરશે, તો તે સ્પર્શ તેમને સાજા કરશે. તેથી તેમણે તેમના શિષ્યોને કહ્યું કે તેઓ તેમના માટે એક નાનકડી હોડી તૈયાર રાખે જેથી કરીને જ્યારે લોકો તેમને સ્પર્શ કરવા આગળ ધસે ત્યારે તેઓ તેમને કચડી નાખે નહિ. 11જ્યારે પણ દુષ્ટાત્માઓએ ઈસુને જોયા, ત્યારે તેઓ જે લોકોને તેમના નિયંત્રણમાં રાખતા હતા તેઓને ઈસુની સામે નીચે પાડી દેતા અને તેમને પોકારીને કહેતા કે, “તમે ઈશ્વરના પુત્ર છો!” 12ઈસુએ દુષ્ટાત્માઓને સખત આજ્ઞા આપી કે તે કોણ છે તે તેઓએ કોઈને કહેવું નહિ.
13ઈસુ ટેકરીઓ ઉપર ગયા. ત્યાં, તેમણે તેઓને બોલાવ્યા જેઓ તેમની સાથે જાય એવું તે ઈચ્છતા હતા, અને તેઓ તેમની પાછળ ગયા. 14તેમણે તેમની સાથે મુસાફરી કરવા માટે બાર માણસોને નિયુક્ત કર્યા, જેમને તે પ્રચાર કરવા પણ મોકલશે. તેમણે તેઓને પોતાના ખાસ પ્રતિનિધિ તરીકે ઓળખાવ્યા. 15તેમણે તેઓને એવી શક્તિ પણ આપી કે તેઓ દુષ્ટ આત્માઓને લોકોમાંથી બહાર આવવા ફરજ પાડી શકે. 16અને ઈસુએ ૧૨ માણસોને નિયુક્ત કર્યા. તેમણે સિમોનની નિમણૂક કરી અને તેને નવું નામ પિતર આપ્યું. 17અને પિતરની સાથે, ઈસુએ ઝબદીના પુત્ર યાકૂબને અને યાકૂબના ભાઈ યોહાનને પણ નિયુક્ત કર્યા. તેમણે તે બંનેને તેમના જ્વલંત ઉત્સાહને કારણે નવું નામ આપ્યું; ‘માણસો જેઓ ગર્જના સમાન છે’ 18અને તેમણે આન્દ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા અને યાકૂબ કે જે અલ્ફીનો પુત્ર હતો તેમને નિયુક્ત કર્યા; અને તેમણે થદ્દી, સિમોન ઝેલોતસની નિમણૂક કરી, 19અને યહૂદા ઇશ્કારિયોત; (જેણે પાછળથી તેમની ધરપકડ કરાવી હતી).
20ઈસુ અને તેમના તાલીમાર્થીઓ1 3.20 શિષ્યો એક ઘરમાં ગયા. તે જ્યાં રોકાયા હતા ત્યાં ફરી ભીડ એકઠી થઈ. તેમની આસપાસ અનેક લોકોની ભીડ જામી હતી. તેમને અને તેમના તાલીમાર્થીઓ પાસે જમવાનો સમય પણ નહોતો. 21જ્યારે તેમના સંબંધીઓને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ તેમને પોતાની સાથે ઘરે લઇ જવા માટે ગયા, કારણ કે કેટલાક લોકો તેમને પાગલ હોવાનું કહી રહ્યા હતા.
22યહૂદી કાયદાઓ શીખવનારા કેટલાક માણસો યરૂશાલેમ શહેરમાંથી નીચે ઉતરી આવ્યા હતા. તેઓએ સાંભળ્યું કે ઈસુ દુષ્ટ આત્માઓને લોકોમાંથી બહાર આવવાની ફરજ પાડી રહ્યા હતા. તેથી તેઓ લોકોને કહેતા હતા, “બાલઝબૂલ, જે દુષ્ટ આત્માઓ પર રાજ કરે છે, તે ઈસુને નિયંત્રિત કરે છે. તે એ છે જે ઈસુને લોકોમાંથી દુષ્ટ આત્માઓને બહાર કાઢવાની શક્તિ આપે છે!” 23તેથી ઈસુએ તે માણસોને પોતાની પાસે બોલાવ્યા. ઈસુએ તેઓની સાથે દૃષ્ટાંતોમાં વાત કરી અને કહ્યું, “શેતાન, શેતાનને કેવી રીતે હાંકી કાઢે? 24જો એક જ દેશમાં રહેતા લોકો એકબીજા સામે લડતા હોય, તો તેમનો દેશ એક સંયુક્ત દેશ તરીકે ખત્મ થઈ જશે. 25અને જો એક જ ઘરમાં રહેતા લોકો એકબીજા સાથે લડે છે, તો તેઓ ચોક્કસપણે એક પરિવાર તરીકે સંયુક્ત રહેશે નહિ. 26એ જ રીતે, જો શેતાન અને તેના દુષ્ટ આત્માઓ એકબીજા સાથે લડતા હોય, તો મજબૂત રહેવાને બદલે, તે શક્તિહીન બની જશે. 27કોઈ પણ બળવાન માણસના ઘરમાં જઈને તેની પાસેથી તેની સંપત્તિ લઈ શકતો નથી, સિવાય કે તે મજબૂત માણસને પહેલા બાંધે. તો જ તે એ માણસના ઘરની વસ્તુઓ ચોરી શકશે.” 28ઈસુએ એમ પણ કહ્યું, “આ વાતનો કાળજીપૂર્વક વિચાર કરો! લોકો ઘણી રીતે પાપ કરી શકે છે, અને તેઓ ઈશ્વર વિષે ખરાબ પણ બોલી શકે છે, તેમ છતાં ઈશ્વર તેમને માફ કરી શકે છે. 29પરંતુ જો કોઈ વ્યક્તિ પવિત્ર આત્મા વિષે ખરાબ શબ્દો બોલે છે, તો ઈશ્વર તેમને ક્યારેય માફ કરશે નહિ. તે વ્યક્તિ કાયમ માટે પાપ માટે દોષિત છે.”
30ઈસુએ તેઓને આ કહ્યું કારણ કે તેઓ કહેતા હતા, "એક દુષ્ટ આત્મા તેમને કાબૂમાં કરી રહ્યો છે!"
31જ્યાં ઈસુ શીખવતા હતા ત્યાં ઈસુની માતા અને નાના ભાઈ-બહેનો આવ્યા. જ્યારે તેઓ બહાર ઊભા હતા, ત્યારે તેઓએ ઈસુને તેમની પાસે આવવાનું કહેવા માટે કોઈકને અંદર મોકલ્યા. 32ઈસુની આસપાસ એક ટોળું બેઠું હતું. તેઓમાંના કેટલાકે તેમને કહ્યું, “સાંભળો! તમારી માતા અને નાના ભાઈ-બહેન બહાર છે. તેઓ તમને મળવા માંગે છે." 33ઈસુએ તેઓને પૂછ્યું, “મારી માતા કોણ છે? મારા ભાઈ-બહેન કોણ છે?" 34તેમણે તેમની સાથે બેઠેલા લોકો તરફ જોયા પછી તેમણે કહ્યું, “અહિ જુઓ! તમે મારી માતા અને મારા ભાઈ-બહેન છો. 35જેઓ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ મારા માટે મારા ભાઈ, મારી બહેન કે મારી માતા છે!”
41બીજી વખત ઈસુએ ગાલીલના સમુદ્રની બાજુમાં લોકોને શીખવવાનું શરૂ કર્યું. જ્યારે તે શીખવતા હતા, ત્યારે તેમની આસપાસ એક ઘણું મોટું ટોળું એકઠું થયું. કારણ કે ભીડ ખૂબ મોટી હતી, તે હોડીમાં બેઠા અને તેને બહાર પાણીમાં ધકેલી દીધી. લોકોએ સમુદ્રના કિનારેથી તેમનો ઉપદેશ સાંભળ્યો. 2તેમણે તેમને પાઠ સાથે સરળ વાર્તાઓનો ઉપયોગ કરીને શીખવ્યું. તેમણે તેઓને આ કહ્યું: 3"હવે મને સાંભળો. એક માણસ બીજ રોપવા તેના ખેતરમાં ગયો. 4જ્યારે તે તેમને જમીન પર વિખેરી રહ્યો હતો, ત્યારે કેટલાક બીજ રસ્તા પર પડ્યા. પછી કેટલાક પક્ષીઓ આવ્યા અને તે દાણા ખાઈ ગયા. 5બીજા બીજ જમીન પર પડ્યા જ્યાં થોડી માટી હતી પણ ઘણી બધી ખડકો હતી. જમીનમાં ખૂબ જ ઊંડાઈ ન હોવાને કારણે ખૂબ જ ટૂંક સમયમાં રોપા જમીનમાંથી દેખાયા. 6તે દિવસે પછીથી, યુવાન છોડ પર સૂર્યના ચમક્યા પછી, તે સુકાઈ ગયા અને ચીમળાઈ ગયા કારણ કે તે છીછરા મૂળ જમીનમાં ખડકો વચ્ચે પાણી શોધી શકતા ન હતા. 7જેમ તેણે ફરીથી વાવ્યું, ત્યારે બીજા બીજ જમીન પર પડયા જેમાં કાંટાવાળા છોડના મૂળ હતા. રોપા વધ્યા, પણ કાંટાવાળા છોડ પણ મોટા થયા અને સારા છોડની આસપાસ ભીડ કરી દીધી. તેથી છોડમાં અનાજનું ઉત્પાદન થયું નહી. 8પણ જેમ તેણે વાવ્યું તેમ તેમ બીજા બીજ સારી જમીનમાં પડ્યાં. પરિણામે, તે અંકુરિત થયું, મોટું થયું અને પછી પુષ્કળ અનાજનું ઉત્પાદન કર્યું. આમાંના કેટલાક છોડ માણસે વાવેલા બીજ કરતાં 30 ગણા વધારે ઉપજાવે છે. કેટલાક ૬૦ ગણા વધુ ઉપજાવે છે. કેટલાક ૧૦૦ ગણા વધારે ઉપજાવે છે.” 9પછી ઈસુએ કહ્યું, "જે કોઈ સાંભળવા ઈચ્છે છે, તે હું જે કહું તે સાંભળો."
10પાછળથી, જ્યારે ફક્ત ૧૨ તાલીમાર્થીઓ અને અન્ય નજીકના અનુયાયીઓ તેમની સાથે હતા, તેઓએ તેમને દૃષ્ટાંતો વિષે પૂછ્યું. 11તેણે તેઓને કહ્યું, “ઈશ્વર પોતાને રાજા તરીકે કેવી રીતે પ્રગટ કરે છે તેનો સંદેશ મેં તમને સમજાવ્યો છે, પણ બીજાઓને મેં દૃષ્ટાંતોમાં કહ્યું છે.
12જ્યારે તેઓ જુએ છે કે હું શું કરું છું, ત્યારે તેઓ શીખી શકશે નહિ કે હું તે કેમ કરું છું.
હું જે કહું છું તે જ્યારે તેઓ સાંભળે છે, ત્યારે તેઓ તેનો અર્થ સમજી શકશે નહિ.
આ એથી કે તેઓ પસ્તાવો કરે નહિ,
અને ઈશ્વર તેઓને માફ કરે નહિ.
13ઈસુએ પોતાના શિષ્યોને પણ કહ્યું, “શું તમે આ દૃષ્ટાંત સમજતા નથી? તો પછી જ્યારે હું તમને બીજા દૃષ્ટાંતો શીખવીશ ત્યારે તમે કેવી રીતે સમજશો? 14મેં તમને કહ્યું તે દૃષ્ટાંતમાં, જે માણસ બીજ વાવે છે તે એવા વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે જે બીજાઓને ઈશ્વરનો સંદેશ શીખવે છે. 15કેટલાક લોકો એવા હોય છે કે જ્યારે બીજ રસ્તામાં પડ્યા હોય. જ્યારે તેઓ ઈશ્વરનો સંદેશો સાંભળે છે, ત્યારે શેતાન તરત જ આવે છે અને તેઓએ જે સાંભળ્યું છે તે તેઓને ભૂલાવી દે છે. 16કેટલાક લોકો એ બીજ જેવા હોય છે જે ખેડૂત ખડકાળ જમીનમાં વાવે છે. જ્યારે તેઓ ઈશ્વરનો સંદેશો સાંભળે છે, ત્યારે તેઓ તરત જ તેનો આનંદથી સ્વીકાર કરે છે. 17પરંતુ, તેમની પાસે તેમના પોતાના મજબૂત મૂળ નહોતા, અને તેમની પાસે સહન કરવાની ક્ષમતાનો અભાવ હતો. આ કારણે, જ્યારે લોકો ઈશ્વરના સંદેશાને કારણે તેમને દુઃખ પહોંચાડે છે, ત્યારે તેઓ ઝડપથી વિશ્વાસ કરવાનું છોડી દે છે. 18કેટલાક લોકો એ માટી જેવા હોય છે જેમાં કાંટાવાળા નીંદણ હોય છે. એ લોકો ઈશ્વરનો સંદેશો સાંભળે છે 19પરંતુ માત્ર પૃથ્વીની બાબતો અને સમૃદ્ધ બનવા વિષે ચિંતા કરે છે, અને તેઓ ઈશ્વરનો સંદેશ ભૂલી જાય છે. આ બાબતો, વ્યક્તિના જીવનને ભરી દે છે, તેને મળેલા સંદેશને ગૂંગળાવી નાખે છે, અને વ્યક્તિ ફળ આપવા માટે અસમર્થ બની જાય છે. 20પણ અમુક લોકો એ બીજ જેવા હોય છે જે સારી જમીનમાં વાવેલા હોય છે. તેઓ ઈશ્વરનો સંદેશો સાંભળે છે, અને તેઓ તેને સ્વીકારે છે, અને તેઓ તેમાં વિશ્વાસ કરે છે, અને તેઓ તે બાબતો કરે છે જે ઈશ્વર તેમની પાસે કરાવવા માંગે છે. તેઓ સારા છોડ જેવા છે જે ૩૦, ૬૦ અથવા ૧૦૦ ગણા દાણા ઉત્પન્ન કરે છે.”
21તેણે શિષ્યોને બીજી એક કહેવત કહી: “લોકો ચોક્કસપણે તેલનો દીવો પ્રગટાવી અને પછી તેના પ્રકાશને ઢાંકવા માટે તેના પર કંઈક મૂકવા માટે તેને ઘરમાં લાવતા નથી. તેના બદલે, તેઓ તેને દીવી પર મૂકે છે જેથી પ્રકાશ ચમકે. 22તેવી જ રીતે, જે બાબતો છુપાયેલી હતી - એક દિવસ દરેક જણ તેમને જાણશે - અને જે બાબતો ગુપ્ત રીતે થઈ છે - એક દિવસ દરેક જણ તેમને સંપૂર્ણ પ્રકાશમાં જોશે. 23જો તમે આ સમજવા માંગતા હો, તો તમે જે સાંભળ્યું છે તેનો તમારે કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ.”
24“તમે મને જે કહેતા સાંભળો છો તેનો કાળજીપૂર્વક વિચાર કરો, કારણ કે હું જે કહું છું તે તમે ધ્યાનમાં લેશો તેટલા જ પ્રમાણમાં ઈશ્વર તમને સમજવા દેશે. વધુમાં તે તમને તેના કરતાં પણ વધારે સમજવા દેશે. 25કેમ કે જો કોઈ વ્યક્તિમાં થોડી સમજ હોય, તો તે વધુ પ્રાપ્ત કરશે. પરંતુ જો કોઈ વ્યક્તિ પાસે સમજણ ન હોય, તો તેની પાસે જેટલું ઓછું છે, તે પણ ગુમાવશે.
26ઈસુએ એમ પણ કહ્યું, “જ્યારે ઈશ્વર પોતાને રાજા તરીકે બતાવવાનું શરૂ કરે છે, ત્યારે તે એક માણસ જેવા છે જેમણે જમીન પર બીજ વેરવિખેર કર્યા છે. 27ત્યારપછી તે દરરોજ રાત્રે સૂતો અને બીજની ચિંતા કર્યા વિના દરરોજ ઉઠતો. તે દરમિયાન બીજ અંકુરિત થયા અને તે સમજી શકે નહિ એવી રીતે વૃદ્ધિ પામ્યા. 28જમીને જાતે જ પાકનું ઉત્પાદન કર્યું. પ્રથમ અંકુર દેખાયા. પછી કણસલાં દેખાયા. પછી સંપૂર્ણ કણસલાંમાં પૂરા દાણા દેખાયા. 29અનાજ પાકતાની સાથે જ તેણે લોકોને તેની કાપણી કરવા મોકલ્યા, કારણ કે અનાજ કાપવાનો સમય હતો.”
30ઈસુએ તેઓને એક પાઠ સાથે બીજી વાર્તા કહી. તેમણે કહ્યું, "જ્યારે ઈશ્વર પોતાને રાજા તરીકે બતાવવાનું શરૂ કરે છે, ત્યારે તે કેવું છે? તેનું વર્ણન કરવા માટે હું કયા શબ્દ ચિત્રનો ઉપયોગ કરી શકું? 31તે રાઈના દાણા જેવું છે, જે જમીનમાં રોપવામાં આવેલા સૌથી નાનું બીજ છે, જે પૃથ્વી પરના કોઈપણ બીજ કરતાં નાનું છે. 32તેઓ રોપ્યા પછી, તેઓ મોટા થાય છે અને બગીચાના અન્ય છોડવા કરતાં મોટા થાય છે. તેઓ મોટી શાખાઓ વિકસાવે છે જેથી પક્ષીઓ તેમની છાયામાં માળો બનાવી શકે.”
33જ્યારે ઈસુએ લોકોને ઈશ્વરના સંદેશા વિષે વાત કરી ત્યારે તેમણે ઘણા દૃષ્ટાંતોનો ઉપયોગ કર્યો. તેઓ સમજી શકતા હતા તેટલું તેમણે તેઓને કહ્યું. 34જ્યારે તે તેમની સાથે વાત કરે ત્યારે તે હંમેશા પાઠ સાથે વાર્તાઓનો ઉપયોગ કરતા હતા. પરંતુ, જ્યારે તે તેમની સાથે એકલા હતા ત્યારે તેમણે પોતાના શિષ્યોને તમામ દૃષ્ટાંતો સમજાવ્યા.
35તે જ દિવસે, જ્યારે સૂર્ય આથમી રહ્યો હતો, ત્યારે ઈસુએ તેમના શિષ્યોને કહ્યું, "ચાલો આપણે ગાલીલ સમુદ્રની બીજી બાજુએ જઈએ." 36ઈસુ પહેલેથી જ હોડીમાં હતા, તેથી તેઓ લોકોના ટોળાને છોડીને હંકારી નીકળ્યા. તેમની સાથે અન્ય લોકો પણ તેમની પોતાની હોડીઓમાં હંકારી ગયા. 37જોરદાર પવન આવ્યો અને હોડીમાં મોજા આવવા લાગ્યા! હોડીમાં પાણી ભરાઈ જવાનો ભય હતો. 38ઈસુ હોડીના પાછળના ભાગમાં હતા. તે ગાદી પર માથું રાખીને સૂઈ રહ્યા હતા. તેથી તાલીમાર્થીઓએ તેમને જગાડયા અને કહ્યું, “ઉપદેશક! શું તમને ચિંતા નથી કે આપણે મરી જવાના છીએ? 39તેથી ઈસુએ ઊભા થઈને પવનને ઠપકો આપ્યો, અને તેમણે તળાવને કહ્યું, “શાંત થા! સ્થિર થા!" પવન ફૂંકાતો બંધ થયો અને પછી ગાલીલનો સમુદ્ર ઘણો શાંત થઈ ગયો. 40તેણે શિષ્યોને કહ્યું, “તમે શા માટે ડરો છો? શું તમે હજી પણ માનતા નથી કે હું તમારું રક્ષણ કરી શકું છું?” 41તેઓ ગભરાઈ ગયા. તેઓએ એકબીજાને કહ્યું, “આ માણસ કોણ છે? પવન અને મોજા પણ તેમને આધીન થાય છે!”
51ઈસુ અને તેમના શિષ્યો ગાલીલ સમુદ્રની બીજી બાજુએ પહોંચ્યા. ગેરસાની નામના લોકો જ્યાં તેઓ ઉતર્યા તેની નજીક રહેતા હતા. 2જ્યારે ઈસુ હોડીમાંથી બહાર ઉતર્યા, ત્યારે એક માણસ એક કબ્રસ્તાનમાંની કબરોમાંથી બહાર આવ્યો. દુષ્ટ આત્માઓ તે માણસને નિયંત્રિત કરતો હતો. 3તે માણસ કબ્રસ્તાનમાંથી બહાર આવી રહ્યો હતો કારણ કે તે કબરોની વચ્ચે રહેતો હતો. અમુક સમયે લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ તેને રોકી શક્યા નહિ, ધાતુની સાંકળોથી પણ નહિ. 4જ્યારે પણ તેઓ સાંકળો અને બેડીઓનો ઉપયોગ કરતા, ત્યારે તે માણસ તેમને તોડી નાખતો. તે એટલો બધો બળવાન હતો કે કોઈ તેને કાબૂમાં રાખવા સક્ષમ ન હતું. 5દિવસ અને રાત માણસ કબ્રસ્તાનમાં જ્યાં લોકોને દફનાવવામાં આવ્યા હતા તે સ્થાનો વચ્ચે પોતાનો સમય પસાર કરતો હતો. પહાડી પ્રદેશમાં તે મોટેથી ચીસો પાડતો અને તીક્ષ્ણ પથ્થરોથી પોતાને કાપી નાખતો. 6જ્યારે તેણે દૂરથી ઈસુને હોડીમાંથી ઉતરતા જોયા, ત્યારે તે તેમની પાસે દોડી ગયો અને તેમની આગળ ઘૂંટણિયે પડ્યો. 7-8અશુધ્ધ આત્માએ મોટેથી બૂમ પાડી, “ઈસુ, સર્વોચ્ચ ઈશ્વરના પુત્ર, મને એકલો છોડી દો! ઈશ્વરના નામના શપથ લો કે તમે મને ત્રાસ આપશો નહિ!” અશુદ્ધ આત્માએ આમ કહ્યું કારણ કે ઈસુ તેને કહી રહ્યા હતા કે, “ઓ અશુદ્ધ આત્મા, તે માણસમાંથી નીકળી જા.” 9ઈસુએ અશુદ્ધ આત્માને પૂછ્યું, "તારું નામ શું છે?" તેણે જવાબ આપ્યો, "મારું નામ સેના છે કારણ કે આ માણસમાં આપણામાંના ઘણા દુષ્ટ આત્માઓ છે." 10પછી દુષ્ટ આત્માઓએ ઈસુને આગ્રહપૂર્વક પૂછ્યું કે તે તેઓને પ્રદેશમાંથી બહાર ન મોકલે. 11તે જ સમયે, ભૂંડોનું એક મોટું ટોળું નજીકમાં ટેકરી પર ચરતું હતું. 12તેથી દુષ્ટ આત્માઓએ ઈસુને વિનંતી કરી કે, "અમને ભૂંડો પાસે જવાની પરવાનગી આપો જેથી અમે તેઓમાં પ્રવેશી શકીએ!" 13ઈસુએ તેઓને એમ કરવાની પરવાનગી આપી. તેથી દુષ્ટ આત્માઓ માણસને છોડીને ભૂંડોમાં પ્રવેશ્યા. ટોળું, જેની સંખ્યા લગભગ ૨, ૦૦૦ હતી, તે ઢાળવાળી ટેકરી પરથી નીચે ગાલીલના સમુદ્રમાં ધસી ગઈ, જ્યાં તેઓ ડૂબી ગયા.
14જે માણસો ભૂંડોની સંભાળ રાખતા હતા તેઓ દોડીને નગરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં શું બન્યું હતું તેની જાણ કરી. ઘણા લોકો તે સ્થળોએથી શું થયું તે જાતે જોવા ગયા. 15બધા લોકો જ્યાં ઈસુ હતા તે સ્થળે આવ્યા. પછી તેઓએ તે માણસને જોયો કે જેને દુષ્ટ આત્માઓએ અગાઉ કાબૂમાં રાખ્યો હતો. તે ત્યાં કપડા પહેરીને બેઠો હતો અને હવે દુષ્ટ આત્માઓ તેને કાબૂમાં રાખતો હોય તેવું વર્તન કરતો ન હતો. આ બધું જોઈને તેઓ ડરી ગયા. 16જે લોકોએ ઈસુએ જે કર્યું તે જોયું હતું, તેઓએ નગરમાંથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા લોકોને કહ્યું. તેઓએ લોકોને કહ્યું કે જે માણસને અગાઉ દુષ્ટ આત્માઓએ કાબૂમાં રાખ્યો હતો તેની સાથે શું થયું હતું. તેઓએ ભૂંડોનું શું થયું તેનું પણ વર્ણન કર્યું. 17પછી લોકોએ ઈસુને તેમનો પ્રદેશ છોડવા વિનંતી કરી.
18જ્યારે ઈસુ હોડીમાં જવા નીકળ્યા, ત્યારે દુષ્ટાત્માઓએ જે માણસને કાબૂમાં રાખ્યો હતો તેણે ઈસુને વિનંતી કરી, "કૃપા કરીને મને તમારી સાથે જવા દો!" 19પણ ઈસુએ તે માણસને તેમની સાથે જવા દીધો નહિ. તેના બદલે, તેમણે તેને કહ્યું, "તમારા કુટુંબને ઘરે જા અને પ્રભુએ તમારા માટે જે કર્યું છે તે બધું તેમને કહો, અને તેઓને જણાવો કે કેવી રીતે તે તમારા પર આટલા દયાળુ છે." 20તેથી તે માણસ ગયો અને તે પ્રદેશના દસ નગરોની આસપાસ ફર્યો. ઈસુએ તેના માટે જે કર્યું હતું તે બધું તેણે લોકોને કહ્યું. તે માણસે જે કહ્યું તે સાંભળનારા બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.
21ઈસુ હોડીમાં ફરી ગાલીલ સમુદ્રની બીજી બાજુએ ગયા પછી, તેમની આસપાસ કિનારે એક મોટું ટોળું એકઠું થયું. 22યહૂદીઓના સભા સ્થાનનો હવાલો સંભાળનાર માણસોમાંનો એક, જેનું નામ યાઈર હતું, ત્યાં આવ્યો. જ્યારે તેણે ઈસુને જોયા, ત્યારે તે તેમના પગ પર ઘૂંટણિયે પડ્યો. 23પછી તેણે ઈસુને આગ્રહપૂર્વક વિનંતી કરી, “મારી પુત્રી બીમાર છે અને લગભગ મરી ગઈ છે! મહેરબાની કરીને મારા ઘરે આવો અને તેના માથે હાથ મૂકો. તેને સાજી કરો અને તેને જીવંત રાખો!” 24તેથી ઈસુ તેની સાથે ગયા. એક મોટું ટોળું તેમની પાછળ આવ્યું, અને ઘણા તેમની નજીક જવા દબાણ કરવા લાગ્યા. 25ભીડમાં એક મહિલા હતી જેને અવ્યવસ્થિત રક્તસ્રાવની સમસ્યા હતી. તેણીને ૧૨ વર્ષથી દરરોજ રક્તસ્ત્રાવ થતો હતો. 26તેણીએ અનેક દાકતરોના હાથે ઘણો સમય સહન કર્યું હતું. સાથે સાથે, તેણીએ તેના બધા પૈસા ખર્ચી નાખ્યા હતા અને તેને વધુ સારું થયું ન હતું. તેના બદલે, તેણીની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. 27-28જ્યારે તેણીએ સાંભળ્યું કે ઈસુએ લોકોને સાજા કર્યા છે, ત્યારે તે તેની પાછળ આવતા ટોળામાં જોડાઈ ગઈ. જેમ તે તેમની નજીક ગઈ, તેણીએ તેમના કપડાની ધારનો સ્પર્શ કર્યો. તેણી વિચારી રહી હતી, "જો હું તેમના કપડાની ધાર માત્રનો સ્પર્શ કરું, તો તે મને સાજાપણું આપશે." 29તરત જ તેનું રક્તસ્ત્રાવ બંધ થઈ ગયું. તે જ સમયે, તેણીને તેના શરીરમાં લાગ્યું કે ઈસુએ તેણીની માંદગીમાંથી તેને સાજી કરી. 30ઈસુએ પણ તરત જ પોતાની અંદર અનુભવ્યું કે તેમની શક્તિએ કોઈને સાજું કર્યું છે. તેથી તે ભીડમાં ફરી વળ્યા અને પછી તેમણે પૂછ્યું, "મારા કપડાનો સ્પર્શ કોણે કર્યો?" 31તેમના શિષ્યોએ જવાબ આપ્યો, “તમે જોઈ શકો છો કે ઘણા લોકો તમારી નજીક આવી રહ્યા છે! સંભવત ઘણા લોકોએ તમને સ્પર્શ કર્યો છે! તો તમે શા માટે પૂછો છો, 'મને સ્પર્શ કોણે કર્યો?' 32પણ જેણે તેમને સ્પર્શ કર્યો હતો તેને જોવા માટે ઈસુ આસપાસ જોતા રહ્યા. 33તે સ્ત્રી ખૂબ જ ડરતી અને ધ્રૂજી રહી હતી, કારણ કે તે જાણતી હતી કે જ્યારે તેણે ઈસુને સ્પર્શ કર્યો ત્યારે તેમણે તેને સાજી કરી હતી. તેણીએ તેમની આગળ ઘૂંટણિયે પડીને તેમને કહ્યું કે તેણીએ શું કર્યું છે. 34તેમણે તેણીને કહ્યું, “દીકરી, કારણ કે તું માનતી હતી કે હું તને સાજી કરી શકીશ, હવે મેં તને સાજી કરી છે. શાંતિમાં રહે, એ જાણીને કે મેં તને કાયમ માટે તારી બીમારીમાંથી સાજી કરી છે.”
35જ્યારે ઈસુ તે સ્ત્રી સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે કેટલાક લોકો ત્યાં આવ્યા જેઓ યાઈરના ઘરેથી આવ્યા હતા. તેઓએ યાઈરને કહ્યું, “તારી દીકરી હવે મરી ગઈ છે. તેથી હવે ઉપદેશકને તારા ઘરે લાવવા માટે તેમને પરેશાન કરવાની જરૂર નથી.” 36પણ જ્યારે આ માણસોએ જે કહ્યું તે ઈસુએ સાંભળ્યું, ત્યારે તેમણે યાઈરને કહ્યું, “તારી દીકરી મરી ગઈ છે તેથી ડરીશ નહિ! ફક્ત વિશ્વાસ કર કે તેણી જીવશે!” 37પછી તેમણે ફક્ત તેમના ત્રણ નજીકના તાલીમાર્થીઓ, પિતર, યાકૂબ અને યોહાનને તેમની સાથે ઘરે જવાની મંજૂરી આપી. તેમણે અન્ય કોઈ લોકોને તેમની સાથે જવા દીધા નહિ. 38તેઓ યાઈરના ઘરની નજીક પહોંચ્યા પછી, ઈસુએ જોયું કે ત્યાંના લોકો અશાંતિમાં હતા. તેઓ મોટેથી રડી રહ્યા હતા અને વિલાપ કરી રહ્યા હતા. 39તે ઘરમાં પ્રવેશ્યા, અને પછી તેમણે ત્યાંના લોકોને કહ્યું, “તમે આટલા અસ્વસ્થ અને રડી કેમ રહ્યા છો? બાળક મૃત નથી, પરંતુ માત્ર સૂઈ રહ્યું છે." 40લોકો તેમના પર હસ્યા કારણ કે તેઓ જાણતા હતા કે તેણી મૃત્યું પામી છે. તેમણે બીજા બધા લોકોને ઘરની બહાર મોકલી દીધા. પછી તે બાળકના પિતા અને માતા અને તેમની સાથે રહેલા ત્રણ શિષ્યોને લઈ ગયા અને તેઓ તે રૂમમાં ગયા જ્યાં બાળક સૂતું હતું. 41તેમણે બાળકીનો હાથ પકડ્યો અને તેણીને તેની પોતાની ભાષામાં કહ્યું, "તલિથા કુમ!" તેનો અર્થ છે, "નાની છોકરી, ઉઠ!" 42તરત જ છોકરી ઊભી થઈ અને આસપાસ ચાલી. (તે ચાલી શકે તે આશ્ચર્યજનક ન હતું, કારણ કે તે ૧૨ વર્ષની હતી.) જ્યારે આ બન્યું, ત્યારે ત્યાં હાજર બધા લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. 43ઈસુએ તેઓને સખત આજ્ઞા આપી કે, “મેં જે કર્યું છે તે કોઈને કહેશો નહિ!” પછી તેમણે તેઓને કહ્યું કે છોકરીને કંઈક ખાવાનું આપો.
61ઈસુ કપર-નહુમ નગર છોડીને તેમના જન્મ સ્થળ નાઝરેથ ગયા. તેમના શિષ્યો તેમની સાથે ગયા. 2યહૂદીઓના વિશ્રામવારના દિવસે, તે યહૂદી પ્રચાર સ્થળે દાખલ થયા અને લોકોને શિક્ષણ આપ્યું. તેમની વાત સાંભળનારા ઘણા આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ આશ્ચર્ય પામ્યા કે તેમણે તેમનું સર્વ ડહાપણ અને ચમત્કારો કરવાની શક્તિ ક્યાંથી મેળવી. 3તેઓએ કહ્યું, “તે માત્ર એક સામાન્ય સુથાર છે! અમે તેને અને તેના પરિવારને જાણીએ છીએ! અમે મરિયમને તેની માતાને ઓળખીએ છીએ! અમે તેના નાના ભાઈઓ યાકૂબ, યોશે, યહૂદા અને સિમોનને જાણીએ છીએ! અને તેની નાની બહેનો પણ અમારી સાથે અહિ રહે છે!” તેથી તેઓ તેમના ઉપદેશોથી પરેશાન હતા. 4ઈસુએ તેઓને કહ્યું, “તે ચોક્કસપણે સાચું છે કે લોકો અન્ય સ્થળોએ પ્રબોધકોનું સન્માન કરે છે, પરંતુ તેમના વતનમાં નહિ! તેમના સગાંસંબંધીઓ અને તેમના જ ઘરમાં રહેતા લોકો પણ તેમનું સન્માન કરતા નથી!”
5તેમ છતાં તેમણે ત્યાં હાથ મૂકીને થોડા બીમાર લોકોને સાજા કર્યા, તે અન્ય કોઈ ચમત્કાર કરવા સક્ષમ ન હતા. 6તે આશ્ચર્યચકિત થઈ ગયા કે આટલા ઓછા લોકો તેમનામાં વિશ્વાસ કરે છે, પરંતુ તે તેમના ગામડાઓમાં જઈને તેઓને શીખવે છે.
7એક દિવસ, ઈસુએ ૧૨ શિષ્યોને એક સાથે બોલાવ્યા. પછી તેમણે તેઓને કહ્યું કે તે તેમને વિવિધ નગરોમાં લોકોને શીખવવા માટે બે-બે કરીને મોકલવા જઈ રહ્યા છે. જે લોકોનું નિયંત્રણ દુષ્ટ આત્માઓ કર્યું હતું તેઓને તેમનામાંથી બહાર કાઢવાની શક્તિ પણ તેમણે આપી. 8-9તેમણે તેમને સાદા ચંપલ પહેરવા અને મુસાફરી કરતી વખતે ચાલવા માટેની લાકડી સાથે લેવાની સૂચના પણ આપી. તેમણે તેઓને કહ્યું કે તેઓએ તેમની મુસાફરી માટે પુરવઠો અથવા પૈસા મૂકવા માટેની થેલી ન લેવી. તેમણે તેમને વધારાનું વસ્ત્ર પણ લેવા દીધું ન હતું. 10તેમણે તેઓને સૂચના પણ આપી કે, “જો કોઈ તમને તેના ઘરે રહેવાનું આમંત્રણ આપે, તો જ્યાં સુધી તમે તે નગર છોડો નહિ ત્યાં સુધી તેના ઘરમાં રહો. 11જ્યાં પણ લોકો તમારું સ્વાગત ન કરે અને જ્યાં પણ લોકો તમારું સાંભળતા ન હોય, ત્યાંથી જતા સમયે તમારા પગની ધૂળને ખંખેરી નાખો. આમ કરવાથી, તમે સાક્ષી આપશો કે તેઓએ તમારું કે તમારા સંદેશનું સ્વાગત કર્યું નથી.” 12તેથી શિષ્યો વિવિધ નગરોમાં ગયા પછી, તેઓએ પ્રચાર કર્યો જેથી લોકો તેઓના પાપોનો પસ્તાવો કરે. 13લોકોમાંથી ઘણા દુષ્ટાત્માઓને પણ તેઓ દબાણપૂર્વક કાઢી રહ્યા હતા, અને તેઓ ઘણા બીમાર લોકોને જૈતુન તેલનો અભિષેક કરીને તેમને સાજા કરી રહ્યા હતા.
14હવે રાજા હેરોદ અંતિપાસે સાંભળ્યું કે ઈસુ શું કરી રહ્યા હતા, કારણ કે ઘણા લોકો તેમના વિષે વાત કરતા હતા. કેટલાક લોકો ઈસુ વિષે કહેતા હતા, “તે યોહાન બાપ્તિસ્મા આપનાર હોવો જોઈએ! તે મૃત્યુમાંથી સજીવન થયો છે! તેથી જ તેની પાસે આ ચમત્કારો કરવાની શક્તિ છે!” 15અન્ય લોકો ઈસુ વિષે કહેતા હતા, "તે પ્રાચીન પ્રબોધક એલિયા છે, જેને ઈશ્વરે ફરીથી પાછા મોકલવાનું વચન આપ્યું હતું." અન્ય લોકો ઈસુ વિષે કહેતા હતા, "ના, તે એક અલગ પ્રબોધક છે, બીજા પ્રબોધકોની જેમ જેઓ ઘણા સમય પહેલા થઈ ગયા." 16લોકો શું કહેતા હતા તે સાંભળ્યા પછી, રાજા હેરોદ અંતિપાસે પોતે કહ્યું, “આ ચમત્કારો કરનાર વ્યક્તિ યોહાન બાપ્તિસ્મા આપનાર હોવો જોઈએ! મેં મારા સૈનિકોને તેનું માથું કાપી નાખવાની આજ્ઞા આપી હતી, પણ તે ફરી જીવતો થયો છે!” 17અગાઉ, યોહાનની ધરપકડ રાજા હેરોદે કરી હતી અને તેને જેલમાં ધકેલી દીધો હતો. તેણે આમ કર્યું કારણ કે હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયા સાથે લગ્ન કર્યા હતા. 18હેરોદે યોહાનને જેલમાં નાખ્યો કારણ કે તે હેરોદને કહેતો હતો, "ઈશ્વરનું નિયમશાસ્ત્ર તને તારા ભાઈની પત્ની સાથે લગ્ન કરવાની પરવાનગી આપતું નથી." 19પરંતુ કારણ કે હેરોદિયા યોહાન પર વધુ બદલો લેવા માંગતી હતી, તેણી ઇચ્છતી હતી કે કોઈ તેને ફાંસી આપે. પણ તે તેમ કરી શકી નહિ, કારણ કે યોહાન જેલમાં હતો ત્યારે હેરોદે યોહાનને તેણીથી સુરક્ષિત રાખ્યો હતો. 20હેરોદે આ કર્યું કારણ કે તે યોહાનનો આદર કરતો હતો, કારણ કે તે જાણતો હતો કે તે એક ન્યાયી માણસ છે જેણે પોતાને ઈશ્વરને સમર્પિત કર્યો છે. હેરોદ જ્યારે પણ યોહાનની વાત સાંભળતો ત્યારે હેરોદ ખૂબ જ પરેશાન થઈ જતો, પણ તેને યોહાનની વાત સાંભળવી ગમતી. 21યોહાને મૃત્યુ પામેલા જોવાની તક હેરોદિયાને ત્યારે મળી જ્યારે તેઓએ હેરોદના જન્મદિવસ પર તેનું સન્માન કર્યું. તેણે સૌથી મહત્વપૂર્ણ સરકારી અધિકારીઓ, સૌથી મહત્વપૂર્ણ લશ્કરના નેતાઓ અને ગાલીલ જિલ્લાના સૌથી મહત્વપૂર્ણ માણસોને તેની સાથે ખાવા અને ઉજવણી કરવા આમંત્રણ આપ્યું હતું. 22જ્યારે તેઓ જમતા હતા, ત્યારે હેરોદિયાની પુત્રીઓરડીમાં આવી અને રાજા અને તેના મહેમાનો માટે નૃત્ય કર્યું. તેણીએ રાજા હેરોદ અને તેના મહેમાનોને એટલા ખુશ કર્યા કે તેણે તેણીને કહ્યું, "તું જે ઈચ્છે છે તે મારી પાસે માગ, અને હું તને આપીશ!" 23તેણે તેણીને વચન પણ આપ્યું, “તું જે કંઈ માંગશે તે હું તને આપીશ! જો તું માંગીશ તો હું મારી માલિકી અને શાસનનો અડધો ભાગ હું તને આપીશ.” 24આ પછી પુત્રી તેની માતા હેરોદિયા પાસે ગઈ અને રાજા હેરોદે જે કહ્યું હતું તે તેણીને કહ્યું. તેણે તેની માતાને પૂછ્યું, "મારે શું માંગવું જોઈએ?" તેણીની માતાએ જવાબ આપ્યો, "બાપ્તિસ્મા આપનાર યોહાનનું માથું તને આપવા માટે રાજાને કહે!" 25છોકરી ઉતાવળથી રૂમમાં પાછી આવી અને તેની વિનંતી સાથે સીધી જ રાજા પાસે ગઈ. તેણીએ કહ્યું, "હું ઇચ્છું છું કે તમે કોઈને આદેશ આપો કે યોહાનનું બાપ્તિસ્મા કરનારનું માથું કાપી નાખો અને હમણાં જ તેને પરોસવાની થાળીમાં મારી પાસે લાવો!" 26તેણીએ જે માંગ્યું તે સાંભળીને રાજા ખૂબ જ દુઃખી થયો કારણ કે તે જાણતો હતો કે યોહાન એક ખૂબ જ ન્યાયી માણસ છે. પરંતુ તેણીએ જે વિનંતી કરી એ તે નકારી શક્યો નહિ, કારણ કે તેણે વચન આપ્યું હતું કે તેણી જે માંગે તે તેણીને આપશે, અને તેના મહેમાનોએ તેને વચન સાંભળ્યું હતું. 27તેથી રાજાએ તરત જ કોઈને આદેશ આપ્યો કે જાઓ અને યોહાનનું માથું કાપીને તે છોકરી પાસે લાવો. પછી તે માણસ જેલમાં ગયો અને યોહાનનું માથું કાપી નાખ્યું. 28તેણે તેને પરોસવાની થાળીમાં મૂક્યું, તેને પાછું લાવ્યો અને છોકરીને આપ્યું. છોકરી તેને તેની માતા પાસે લઈ ગઈ. 29યોહાનના શિષ્યો શું થયું તે સાંભળ્યા પછી, તેઓ જેલમાં ગયા અને યોહાનનું શરીર લીધું; પછી તેઓએ તેને દફનાવ્યું.
30ઈસુએ જેમને તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કર્યા હતા તેઓ જ્યાં તેમણે મોકલ્યા હતા ત્યાંથી પાછા ફર્યા. તેઓએ શું કર્યું હતું અને લોકોને શું શીખવ્યું હતું તેની જાણ તેમને કરી. 31તેમણે તેઓને કહ્યું, "મારી સાથે એવી જગ્યાએ આવો જ્યાં કોઈ લોકો રહેતા ન હોય, જેથી આપણે એકલા રહીએ અને થોડો સમય આરામ કરી શકીએ!" તેમણે આમ કહ્યું કારણ કે ઘણા લોકો સતત તેમની પાસે આવતા હતા અને પછી પાછા જતા હતા, પરિણામે ઈસુ અને તેમના શિષ્યો પાસે ખાવાનો કે બીજું કંઈ કરવાનો સમય નહોતો. 32તેથી તેઓ એકલા હોડીમાં બેસીને એવી જગ્યાએ ગયા જ્યાં કોઈ લોકો રહેતા ન હતા. 33પરંતુ ઘણા લોકોએ તેમને જતા જોયા. તેઓએ એ પણ જોયું કે તેઓ જ ઈસુ અને શિષ્યો હતા, અને તેઓએ જોયું કે તેઓ ક્યાં જઈ રહ્યા હતા. તેથી તેઓ નજીકના બધાં નગરોમાંથી જમીન માર્ગે આગળ દોડ્યા જ્યાં ઈસુ અને તેના શિષ્યો જઈ રહ્યા હતા. તેઓ ખરેખર ઈસુ અને શિષ્યોની પહેલાં ત્યાં પહોંચ્યા. 34જ્યારે ઈસુ અને તેમના શિષ્યો હોડીમાંથી ઉતર્યા, ત્યારે ઈસુએ આ મોટી ભીડને જોઈ. તેમને તેઓ માટે દયા આવી કારણ કે તેઓ ઘેટાંપાળક ન હોય તેવા ઘેટાં જેવા મૂંઝવણમાં હતા. તેથી તેમણે તેઓને ઘણી બાબતો શીખવી.
35મોડી સાંજે શિષ્યો તેમની પાસે આવ્યા અને કહ્યું, “આ એવી જગ્યા છે જ્યાં કોઈ રહેતું નથી, અને ઘણું મોડું થઈ ગયું છે. 36તેથી લોકોને આસપાસના નગરો અને ગામડાઓમાં મોકલો જેથી તેઓ પોતાના માટે ખોરાક ખરીદી શકે!” 37પણ તેમણે તેઓને જવાબ આપ્યો, “ના, તમે પોતે જ તેઓને ખાવાનું આપો!” તેઓએ તેમને જવાબ આપ્યો, "આ ભીડને જમાડવા માટે પૂરતી રોટલી અમે ખરીદી શકીએ તેમ નથી, ભલે અમારી પાસે ૨૦૦ દિવસ કામ કરીને માણસ કમાય તેટલા પૈસા હોય!" 38પણ તેણે તેઓને જવાબ આપ્યો, “તમારી પાસે કેટલી રોટલી છે? જાઓ અને શોધો!” તેઓએ જઈને તપાસ કરી અને પછી તેઓએ તેમને કહ્યું, "અમારી પાસે ફક્ત પાંચ અખંડ રોટલીઓ અને બે રાંધેલી માછલીઓ છે!" 39તેમણે તાલીમાર્થીઓને સૂચના આપી કે બધા લોકોને લીલા ઘાસ પર બેસી જવાનું કહે. 40તેથી લોકો સમૂહમાં બેસી ગયા. કેટલાક જૂથોમાં ૧૦૦ લોકો અને અન્ય જૂથોમાં ૫૦ લોકો હતા. 41ઈસુએ પાંચ અખંડ રોટલીઓ અને બે માછલી લીધી. તેમણે સ્વર્ગ તરફ જોયું અને તેના માટે ઈશ્વરનો આભાર માન્યો. પછી તેમણે રોટલી અને માછલીના ટુકડા કરી નાખ્યા અને શિષ્યોને આપતા રહ્યા જેથી તેઓ લોકોને વહેંચી શકે. 42જ્યાં સુધી દરેક વ્યક્તિને ખાવા માટે પૂરતું થઇ ના રહ્યું ત્યાં સુધી દરેકે એ ખોરાક ખાધો! 43પછી તાલીમાર્થીઓએ રોટલીના ટુકડાઓ અને બાકી રહેલી માછલીઓથી ભરેલી બાર ટોપલીઓ એકત્રિત કરી. 44લગભગ ૫, ૦૦૦ માણસો હતા જેમણે રોટલી અને માછલી ખાધી હતી. જો કે તેઓએ મહિલાઓ અને બાળકોની ગણતરી કરી હતી નહિ.
45તરત જ, ઈસુએ તેમના શિષ્યોને હોડીમાં બેસવાનું અને પછી તેમની આગળ બેથસૈદા નામના શહેરમાં જવાનું કહ્યું, જે ગાલીલના સમુદ્રની આસપાસ હતું. તે ત્યાં રહ્યા અને ઘણા લોકોને જે ત્યાં હતા તેમને બરતરફ કર્યા. 46તેમણે લોકોને વિદાય આપ્યા પછી, તે પ્રાર્થના કરવા માટે ટેકરીઓ પર ગયા. 47જ્યારે સાંજ પડી ત્યારે, તાલીમાર્થીઓની હોડી તળાવની મધ્યમાં હતી, અને ઈસુ એકલા જમીન પર હતા. 48તેમણે જોયું કે તેઓ હલેસાં મારતા હતા ત્યારે તેઓની સામે પવન ફૂંકાઈ રહ્યો હતો. જેના કારણે તેઓને ભારે મુશ્કેલી પડી રહી હતી. વહેલી સવારે, હજુ અંધારું હતું ત્યારે તે પાણી પર ચાલીને તેમની પાસે પહોંચ્યા. તેમનો ઈરાદો તેમની આગળ જવાનો હતો. 49તેઓએ તેમને પાણી પર ચાલતા જોયા, પરંતુ તેઓએ વિચાર્યું કે તે ભૂત છે. તેઓએ ચીસ પાડી 50કારણ કે જ્યારે તેઓએ તેમને જોયા ત્યારે તેઓ બધા ગભરાઈ ગયા. પરંતુ તેમણે તેઓની સાથે વાત કરી. તેમણે તેઓને કહ્યું, “શાંત થાઓ! ડરશો નહિ, કારણ કે તે હું છું!” 51તે હોડીમાં ચઢ્યા અને તેઓની સાથે બેઠા, અને પવન ફૂંકાતો બંધ થઇ ગયો. તેમણે જે કર્યું તેનાથી તેઓ સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયા. 52તેઓએ ઈસુને રોટલી અને માછલીની ગુણાત્મક વૃદ્ધિ કરતા જોયા હોવા છતાં, તેઓ તેમનો અર્થ સમજી શક્યા નહિ, જેવો તેઓને સમજવો જોઈએ.
53તેઓ હોડીમાં ગાલીલના સમુદ્રમાં આગળ ગયા પછી, તેઓ ગન્નેસરેત નગરના કિનારે આવ્યા. પછી તેઓએ હોડીને ત્યાં બાંધી. 54તેઓ હોડીમાંથી ઉતર્યા કે તરત જ ત્યાંના લોકોએ ઈસુને ઓળખી લીધા. 55તેથી તેઓ બીજાઓને જણાવવા માટે કે ઈસુ ત્યાં છે, આખા જિલ્લામાં દોડી ગયા. પછી જેઓ બીમાર હતા તેઓને લોકોએ ડોળી પર સુવડાવ્યા અને તેઓને એ જગ્યાએ લઈ ગયા જ્યાં ઈસુ હતા તેમ તેઓએ લોકોને કહેતા સાંભળ્યા હતા. 56તે જે ગામ, નગર કે ગ્રામ્ય વિસ્તારના જે પણ સ્થળે જતા ત્યાં તેઓ બીમાર લોકોને બજારમાં લાવતા હતા. પછી માંદા લોકો ઈસુને વિનંતી કરતા કે તેઓ તેમને અથવા તેમના કપડાની ધારને પણ સ્પર્શ કરવા દે જેથી ઈસુ તેમને સાજા કરે. જે લોકોએ તેમને અથવા તેમના ઝભ્ભાને સ્પર્શ કર્યો તે બધા સાજા થઈ ગયા.
71એક દિવસ કેટલાક ફરોશીઓ અને યહૂદી નિયમો શીખવતા અને યરૂશાલેમથી આવેલા કેટલાક માણસો ઈસુની આસપાસ ભેગા થયા. 2ફરોશીઓએ જોયું કે તેમના શિષ્યો વિશેષ પરંપરા મુજબ પહેલા હાથ ધોયા વગર જ ખાતા હતા. 3 તેઓએ આ અવલોકન કર્યું કારણ કે ફરોશીઓ અને બીજા બધા યહૂદીઓ હાથ ધોયા સિવાય ખાતા ન હતા. તેઓ આ પરંપરા તેમના વડીલો પાસેથી શીખ્યા હતા.
4ખાસ કરીને તેઓ બજારમાંથી વસ્તુઓ ખરીદીને પાછા ફર્યા પછી. તેઓ માને છે કે જો તેઓ આમ નહિ કરે તો ઈશ્વર તેમના પર ગુસ્સે થશે, કારણ કે ઈશ્વરને અસ્વીકાર્ય કોઈ વ્યક્તિ અથવા વસ્તુને તેઓએ સ્પર્શી હશે અથવા તેઓએ ખરીદેલી વસ્તુઓને સ્પર્શી હશે. 5તે દિવસે, તે ફરોશીઓ અને લહિયાઓ કે જેમણે યહૂદી કાયદાઓનો અભ્યાસ કર્યો હતો તેઓએ જોયું કે તેમના કેટલાક શિષ્યો હાથ વડે ખોરાક ખાતા હતા જે તેઓએ ખાસ ધાર્મિક વિધિનો ઉપયોગ કરીને ધોયા ન હતા. તેથી તેઓએ ઈસુને પ્રશ્ન કર્યો અને કહ્યું, “તમારા શિષ્યો અમારા વડીલોની પરંપરાઓનો અનાદર કરે છે! જો તેઓએ અમારી વિધિનો ઉપયોગ કરીને હાથ ન ધોયા હોય તો તેઓ ખોરાક શા માટે ખાય છે!” 6ઈસુએ તેઓને કહ્યું, “યશાયાએ તમારા પૂર્વજોને ઠપકો આપ્યો હતો, અને તેના શબ્દો ખૂબ જ સારી રીતે વર્ણવે છે તમે લોકો જેઓ ફક્ત સારા હોવાનો ઢોંગ કરો છો! ઈશ્વરે જે શબ્દો કહ્યા તેણે તે લખ્યા:
'આ લોકો એવું બોલે છે જાણે કે તેઓ મારું સન્માન કરે છે,
પરંતુ તેઓ ખરેખર મારું સન્માન કરવા વિષે બિલકુલ વિચારતા નથી.
7મારી આરાધના કરવી તેમના માટે નકામું છે,
કારણ કે લોકો જે કહે છે તેઓ ફક્ત તે જ શીખવે છે
જાણે મેં પોતે જ તેમને આદેશ આપ્યો હોય.'
8તમે, તમારા પૂર્વજોની જેમ, ઈશ્વરે જે આજ્ઞા આપી છે તે કરવાનો ઈન્કાર કરો છો. તેના બદલે, તમે ફક્ત તે પરંપરાઓનું પાલન કરો છો જે અન્ય લોકોએ શીખવી છે." 9ઈસુએ તેઓને એમ પણ કહ્યું કે, “તમે વિચારો છો કે ઈશ્વરે જે આજ્ઞા આપી હતી તે કરવાનો ઈન્કાર કરવામાં તમે હોંશિયાર છો જેથી તમે તમારી પોતાની પરંપરાઓનું પાલન કરી શકો! 10દાખલા તરીકે, આપણા પૂર્વજ મુસાએ ઈશ્વરની આજ્ઞા લખી હતી, ‘તમારા પિતા અને તમારી માતાઓને માન આપો.' તેણે એમ પણ લખ્યું કે, ‘અધિકારીઓએ એવા વ્યક્તિને મરણદંડની સજા કરવી જોઈએ જે તેના પિતા કે માતા વિષે ખરાબ બોલે છે.’ 11પરંતુ તમે લોકોને શીખવો છો કે લોકો તેમની વસ્તુઓ તેમના માતાપિતાને આપવાને બદલે ઈશ્વરને આપે તો તે સારું છે. તમે તેઓને તેમના માતા-પિતાને કહેવાની મંજૂરી આપો છો કે, 'તમને પૂરા પાડવા માટે હું તમને જે આપવાનો હતો, તે હવે મેં ઈશ્વરને આપવાનું વચન આપ્યું છે. તેથી હવે હું તમને મદદ કરી શકતો નથી!' 12પરિણામે, તમે ખરેખર લોકોને કહી રહ્યા છો કે તેઓએ હવે તેમના માતાપિતાને મદદ કરવાની જરૂર નથી. 13આ રીતે તમે ઈશ્વરની આજ્ઞાની અવગણના કરો છો! તમે તમારી પોતાની બાબતો બીજાઓને શીખવો છો અને તેમને કહો છો કે તેઓએ તેમનું પાલન કરવું જોઈએ. અને તમે આવી બીજી ઘણી બાબતો કરો છો.”
14પછી ઈસુએ ફરીથી ટોળાને નજીક આવવા આમંત્રણ આપ્યું. પછી તેમણે તેઓને કહ્યું, “તમે બધા લોકો, મારી વાત સાંભળો! હું તમને શું કહેવા માંગુ છું તે સમજવાનો પ્રયત્ન કરો. 15લોકો જે કંઈપણ ખાય છે તેના આધારે ઈશ્વર તેમને અશુદ્ધ માનતા નથી. તેનાથી વિપરીત, તે એ છે જે લોકોના આંતરિક જીવોમાંથી આવે છે જેના કારણે ઈશ્વર તેઓને અશુદ્ધ માને છે." 16[તમે મને જે કહેતા સાંભળ્યા તે વિષે તમારામાંના દરેકે કાળજીપૂર્વક વિચારવું જોઈએ.]
17અને ભીડમાંથી નીકળી ગયા પછી ઈસુ તેમના શિષ્યો સાથે એક ઘરમાં પ્રવેશ્યા. તેઓએ તેમને તે દૃષ્ટાંત વિષે પૂછ્યું જે તેમણે હમણાં જ કહ્યું હતું. 18તેમણે તેઓને જવાબ આપ્યો, “શું તમે સમજી શક્યા નથી કે તેનો અર્થ શું છે? તમારે સમજવું જોઈએ કે બહારથી આપણામાં પ્રવેશતી કોઈ પણ વસ્તુ આપણને ઈશ્વરને માટે અસ્વીકાર્ય બનાવતી નથી. 19આપણા મગજમાં પ્રવેશવાને બદલે તે આપણા પેટમાં જાય છે અને પછી તે કચરો આપણા શરીરમાંથી નીકળી જાય છે." આમ કહીને, ઈસુ જાહેર કરી રહ્યા હતા કે લોકો ઈશ્વર દ્વારા અસ્વીકૃત થયા સિવાય કોઈપણ ખોરાક ખાઈ શકે છે. 20તેમણે એમ પણ કહ્યું, "તે લોકોના અંદરના વિચારો અને ક્રિયાઓ છે જે તેમની માંહેથી આવે છે અને તેઓને ઈશ્વર માટે અસ્વીકૃત બનાવે છે. 21ખાસ કરીને, તે વ્યક્તિનું આંતરિક અસ્તિત્વ છે જે તેને ખરાબ વસ્તુઓ વિષે વિચારવા માટેનું કારણ બને છે; તેઓ અનૈતિક વર્તન કરે છે, તેઓ વસ્તુઓ ચોરી કરે છે, તેઓ ખૂન કરે છે. 22તેઓ વ્યભિચાર કરે છે, તેઓ લોભી છે, તેઓ દૂષિત રીતે વર્તે છે, તેઓ લોકોને છેતરે છે. તેઓ અભદ્ર વર્તન કરે છે, તેઓ લોકોની ઈર્ષ્યા કરે છે, તેઓ બીજાઓ વિષે ખરાબ બોલે છે, તેઓ ગર્વ કરે છે, અને તેઓ મૂર્ખતાથી વર્તે છે. 23લોકો આ વિચારો વિચારે છે, અને પછી તેઓ આ દુષ્ટ કાર્યો કરે છે, અને તેના કારણે ઈશ્વર તેઓને તેમના માટે અસ્વીકાર્ય માને છે."
24ઈસુ અને તેમના તાલીમાર્થીઓએ ગાલીલ છોડ્યા પછી, તેઓ તૂર અને સિદોન નગરોની આસપાસના પ્રદેશમાં ગયા. જ્યારે તે ચોક્કસ ઘરમાં રોકાયા હતા, ત્યારે તે ઇચ્છતા ન હતા કે કોઈને તેમના વિષે ખબર પડે, પરંતુ લોકોને તરત જ ખબર પડી કે તે ત્યાં છે. 25એક સ્ત્રી, જેની પુત્રીમાં દુષ્ટ આત્મા હતો, તેણે ઈસુ વિષે સાંભળ્યું. તરત જ તેણી તેમની પાસે આવી અને તેમના પગ પર ઘૂંટણિયે પડી. 26હવે આ સ્ત્રી યહૂદી ન હતી. તેના પૂર્વજો યહૂદી ન હતા. તેણીનો જન્મ સિરિયા જીલ્લાના ફિનીકીયા વિસ્તારમાં થયો હતો. તેણીએ ઈસુને વિનંતી કરી કે તે તેની પુત્રીમાંથી દુષ્ટ આત્માને બહાર કાઢે. 27તેમણે સ્ત્રીને કહ્યું, "પહેલાં બાળકોને, જે જોઈતું હોય તે તેઓને ખાવા દો, કારણ કે માતાએ બાળકો માટે જે ખોરાક બનાવ્યો છે તે લઈ લે અને પછી તેને નાના કૂતરાઓને ફેંકી દે તે કોઈના માટે સારું નથી." 28તેણીએ તેમને જવાબ આપ્યો, "પ્રભુ, તમે જે કહો છો તે સાચું છે, પરંતુ ઘરના કૂતરા પણ, જેઓ મેજ નીચે સૂઈ જાય છે તેઓ, બાળકો જે ટૂકડા છાંડી દે છે તે ખાય છે." 29ઈસુએ તેણીને કહ્યું, "તેં જે કહ્યું છે તેના કારણે, ઘરે જા. તારી દીકરીને છોડી દેવા માટે મેં દુષ્ટ આત્માને ફરજ પાડી છે.” 30સ્ત્રી તેના ઘરે પાછી આવી અને તેણે જોયું કે તેનું બાળક પલંગ પર શાંતિથી સૂઈ રહ્યું હતું અને દુષ્ટ આત્મા ત્યાંથી નીકળી ગયો હતો.
31ઈસુ અને તેમના શિષ્યોએ તૂરની આસપાસનો પ્રદેશ છોડી દીધો અને સિદોન થઈને ઉત્તર તરફ ગયા, પછી દસ નગરોના વિસ્તારમાંથી પૂર્વ તરફ અને પછી દક્ષિણમાં ગાલીલના સમુદ્ર પાસેના નગરોમાં ગયા. 32ત્યાં, લોકો તેમની પાસે એક માણસને લાવ્યા જે બહેરો હતો અને વાત કરી શકતો ન હતો. તેઓએ ઈસુને વિનંતી કરી કે તેમનો હાથ તેના પર મૂકે જેથી તે સાજો થાય. 33તેથી ઈસુ તેને ભીડમાંથી દૂર લઈ ગયા જેથી તે બંને એકલા રહે. પછી તેમણે માણસના કાનોમાં તેમની એક-એક આંગળી નાખી. તેમણે તેમની આંગળીઓ પર થૂંક્યા પછી, તેમણે તેમની આંગળીઓથી માણસની જીભને સ્પર્શ કર્યો. 34પછી તેમણે સ્વર્ગ તરફ જોયું, તેમણે નિસાસો નાખ્યો અને પછી તેમની પોતાની ભાષામાં તેમણે તે માણસના કાનને કહ્યું, "ઇફ્ફથા", જેનો અર્થ થાય છે, "ઊઘડી જા!" 35તરત જ માણસ સ્પષ્ટ સાંભળી શક્યો. તેણે સ્પષ્ટપણે બોલવાનું પણ શરૂ કર્યું, કારણ કે જે તેને બોલવાથી રોકતું હતું તે સાજું થઇ ગયું હતું. 36ઈસુએ લોકોને કહ્યું કે તેમણે જે કર્યું છે તે કોઈને કહે નહિ. પરંતુ, તેમણે વારંવાર તેઓને અને અન્ય લોકોને આ વિષે કોઈને ન કહેવાનો આદેશ આપ્યો, તેમ છતાં તેઓ તેના વિષે વધુ બોલતા રહ્યા. 37જે લોકોએ તેમના વિષે સાંભળ્યું તેઓ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા અને કહેતા લાગ્યા, “તેમણે જે કર્યું છે તે બધું અદ્દભુત છે! અન્ય અદ્દભુત બાબતો કરવા ઉપરાંત, તે બહેરા લોકોને સાંભળવા સક્ષમ બનાવે છે! અને જેઓ બોલી શકતા નથી તેઓને તે બોલવા સક્ષમ બનાવે છે!”
81તે દિવસો દરમિયાન, લોકોનું એક મોટું ટોળું ફરી એકઠું થયું. તેઓ ત્યાં બે દિવસ રહ્યા પછી તેમની પાસે ખાવા માટે કંઈ નહોતું. તેથી ઈસુએ તેમના શિષ્યોને તેમની નજીક આવવા માટે કહ્યું, અને પછી તેમણે તેઓને કહ્યું, 2“આ ત્રીજો દિવસ છે કે આ લોકો મારી સાથે છે, અને તેમની પાસે ખાવા માટે કંઈ બચ્યું નથી, તેથી હવે હું તેમના માટે ખૂબ ચિંતિત છું. 3તેઓ હજુ પણ ભૂખ્યા છે ત્યારે જો હું તેમને ઘરે મોકલીશ, તો તેમાંથી કેટલાક ઘરે જતા રસ્તામાં બેહોશ થઈ જશે. તેઓમાંથી કેટલાક દૂર દૂરથી આવ્યા છે.” 4તેમના શિષ્યો જાણતા હતા કે લોકોને ખાવા માટે કંઈક આપવાનું સૂચન તે કરી રહ્યા હતા, તેથી તેઓમાંથી એકે જવાબ આપ્યો, “આ ભીડને સંતોષવા માટે અમે સંભવતઃ ખોરાક મેળવી શકતા નથી. આ જગ્યાએ કોઈ રહેતું નથી! 5ઈસુએ તેઓને પૂછ્યું, "તમારી પાસે કેટલી રોટલીઓ છે?" તેઓએ જવાબ આપ્યો, "અમારી પાસે સાત અખંડ રોટલીઓ છે." 6ઈસુએ ટોળાને આજ્ઞા આપી, "જમીન પર બેસો!" તેઓ બેઠા પછી, તેમણે સાત રોટલીઓ લીધી, તેના માટે ઈશ્વરનો આભાર માન્યો, તેના ટુકડા કર્યા, અને લોકોને આપવા માટે તે તેમના શિષ્યોને આપી. 7તેમની પાસે થોડી નાની માછલીઓ હોવાનું પણ તેમને જાણવા મળ્યું હતું. તેથી તેમણે આ માટે ઈશ્વરનો આભાર માન્યા પછી, તેમણે તેમના શિષ્યોને કહ્યું, "તેઓને પણ આપો." તેઓએ ભીડને માછલી આપ્યા પછી, 8લોકોએ આ ખોરાક ખાધો, અને તેમની પાસે પોતાને સંતોષવા માટે પુષ્કળ હતું. તેના તાલીમાર્થીઓએ બચેલા ખોરાકના ટુકડા ભેગા કર્યા અને સાત મોટી ટોપલીઓ ભરી. 9તેમના તાલીમાર્થીઓનો અંદાજ છે કે તે દિવસે લગભગ ૪, ૦૦૦ લોકોએ ખાધું હતું. પછી ઈસુએ ટોળાને વિદાય આપી. 10તે પછી તરત જ, તે તેમના શિષ્યો સાથે હોડીમાં બેસી ગયા, અને તેઓ ગાલીલના સમુદ્રને પાર કરીને દલ્મનૂથા જિલ્લામાં ગયા.
11પછી કેટલાક ફરોશીઓ ઈસુ પાસે આવ્યા. તેઓ તેમની સાથે દલીલ કરવા લાગ્યા અને ઈશ્વરે તેમને મોકલ્યા છે તે બતાવવા માટે તે ચમત્કાર કરે તેવો આગ્રહ કર્યો. 12ઈસુએ પોતાની અંદર ઊંડો નિસાસો નાખ્યો, અને પછી તેમણે કહ્યું, “તમે શા માટે મને ચમત્કાર કરવાનું કહો છો? હું તમારા માટે કોઈ ચમત્કાર કરીશ નહિ !” 13પછી તેમણે તેઓને છોડી દીધા. તે અને તેમના તાલીમાર્થીઓ ફરીથી હોડીમાં બેઠા અને ગાલીલ સમુદ્રને પાર કરી ગયા. 14તેમના તાલીમાર્થીઓ પૂરતો ખોરાક સાથે લાવવાનું ભૂલી ગયા હતા. ખાસ કરીને, તેઓ પાસે હોડીમાં તેમની સાથે માત્ર એક અખંડ રોટલી હતી. 15તેઓ જઈ રહ્યા હતા ત્યારે, ઈસુએ તેઓને ચેતવણી આપી અને કહ્યું, “સાવધાન રહો! ફરોશીઓ અને હેરોદના ખમીરથી સાવધ રહો!” 16તાલીમાર્થીઓ તેમને સમજી શક્યા નહિ. તેથી તેઓએ એકબીજાને કહ્યું, "તેમણે આવું કહ્યું કારણ કે આપણી પાસે રોટલી નથી." 17ઈસુ જાણતા હતા કે તેઓ એકબીજામાં શું ચર્ચા કરી રહ્યા હતા, તેથી તેમણે તેઓને કહ્યું, “તમે શા માટે પૂરતી રોટલી ન હોવાની વાત કરો છો? અત્યાર સુધીમાં મેં જે કહ્યું તે તમારે સમજી લેવું જોઈતું હતું! તમે વિચારતા નથી! 18તમારી પાસે આંખો છે, પણ તમે જે જુઓ છો તે તમે સમજી શકતા નથી! તમારી પાસે કાન છે, પણ હું શું કહું છું તે તમે સમજી શકતા નથી!” પછી તેમણે પૂછ્યું, “શું થયું તે તમને યાદ નથી 19જ્યારે મેં માત્ર પાંચ રોટલી તોડીને ૫, ૦૦૦ લોકોને ખવડાવી હતી? દરેક જણ સંતુષ્ટ થયા હતા એટલું જ નહિ, પણ ત્યાં ખોરાક બચ્યો હતો! તમે બચેલ રોટલીઓના ટુકડાની કેટલી ટોપલીઓ એકઠી કરી હતી?" તેઓએ જવાબ આપ્યો, "અમે ૧૨ ટોપલીઓ ભરેલી એકઠી કરી હતી." 20પછી તેમણે પૂછ્યું, "જ્યારે મેં ૪, 000 લોકોને ખવડાવવા માટે સાત રોટલી તોડી, ફરીથી જ્યારે દરેક પાસે પુષ્કળ ખાવાનું હતું, ત્યારે તમે રોટલીના ન ખાયેલા ટુકડાઓની કેટલી મોટી ટોપલીઓ એકઠી કરી હતી?" તેઓએ જવાબ આપ્યો, "અમે ભરેલી સાત મોટી ટોપલીઓ એકઠી કરી." 21પછી તેમણે તેઓને કહ્યું, "હું જાણતો નથી કે તે કેવી રીતે બની શકે કે તમે હજી પણ સમજી શકતા નથી."
22અને તેઓ બેથસૈદા શહેરમાં પહોંચ્યા. લોકો એક અંધ માણસને ઈસુ પાસે લાવ્યા અને તેને સાજો કરવા માટે તેને સ્પર્શ કરવા વિનંતી કરી. 23ઈસુ એ અંધ માણસનો હાથ પકડીને તેને શહેરની બહાર લઈ ગયા. તે માણસની આંખો પર થૂંક્યા પછી, અને તેમણે તે માણસ પર હાથ મૂક્યો, તેમણે તેને પૂછ્યું, "તને કંઈ દેખાય છે?" 24માણસે ઉપર જોયું અને પછી તેણે કહ્યું, “હા, હું લોકોને જોઉં છું! તેઓ આસપાસ ફરી રહ્યા છે, પણ હું તેમને સ્પષ્ટ જોઈ શકતો નથી. તેઓ વૃક્ષો જેવા દેખાય છે!” 25પછી ઈસુએ ફરીથી તે અંધ માણસની આંખોને સ્પર્શ કર્યો. માણસે ધ્યાનથી જોયું, અને તે જ ક્ષણે તે સંપૂર્ણપણે સાજો થઈ ગયો! તે બધું સ્પષ્ટ જોઈ શકતો હતો. 26ઈસુએ તેને કહ્યું, "નગરમાં ન જા!" પછી તેણે તે માણસને તેના ઘરે મોકલી દીધો.
27ઈસુ અને તેમના શિષ્યો બેથસૈદા શહેર છોડીને કૈસરિયા ફિલિપ્પી નગરની નજીકના ગામડાઓમાં ગયા. રસ્તામાં તેમણે તેઓને પ્રશ્ન કર્યો, "હું કોણ છું તે વિષે લોકો શું કહે છે?" 28તેઓએ જવાબ આપ્યો, “કેટલાક લોકો કહે છે કે તમે યોહાન બાપ્તિસ્મા આપનાર છો. બીજાઓ કહે છે કે તમે પ્રબોધક એલિયા છો. અને બીજાઓ કહે છે કે તમે બીજા પૂર્વ પ્રબોધકોમાંના એક છો.” 29તેમણે તેઓને પૂછ્યું, “તમારા વિષે શું? હું કોણ છું તે વિષે તમે શું કહો છો?" પિતરે તેમને જવાબ આપ્યો, "અમે માનીએ છીએ કે તમે જ મસીહા છો!" 30પછી ઈસુએ તેઓને સખત ચેતવણી આપી કે હમણાં તેઓએ કોઈને કહેવું નહિ કે તે મસીહા છે.
31પછી ઈસુએ તેઓને શીખવવાનું શરૂ કર્યું કે તે, માણસનો પુત્ર, ચોક્કસપણે ખૂબ જ દુઃખ સહન કરશે. તેને વડીલો, મુખ્ય યાજકો અને યહૂદી કાયદાઓ શીખવનારા માણસો દ્વારા નકારવામાં આવશે. તેને મારી નાખવામાં પણ આવશે, પરંતુ તે મૃત્યુ પામ્યા પછી ત્રીજા દિવસે, તે ફરીથી જીવતો થઈ જશે. 32તેણે આ વાત તેઓને સ્પષ્ટ કહી. પણ પિતર ઈસુને એક બાજુ લઈ ગયો અને આ રીતે વાત કરવા બદલ તેમને ઠપકો આપવા લાગ્યો. 33ઈસુએ પાછળ ફરીને તેમના શિષ્યો તરફ જોયું. પછી તેમણે પિતરને ઠપકો આપતા કહ્યું, “એવી રીતે વિચારવાનું બંધ કર! શેતાન તને આવી વાત કરવા ઉશ્કેરી રહ્યો છે! ઈશ્વર મારા દ્વારા જે ઈચ્છે છે તે ઈચ્છવાને બદલે, તું ઈચ્છે છે કે હું તે જ કરું જે લોકો મારાથી ઈચ્છે છે.” 34પછી તેમણે તેમના શિષ્યોની સાથે ટોળાને બોલાવ્યું કે જેથી તેઓ તેમને સાંભળે. તેમણે તેઓને કહ્યું, “જો તમારામાંથી કોઈ મારા શિષ્ય બનવા માંગે છે, તો તમારે ફક્ત તે જ ન કરવું જોઈએ જે તમને સરળતાથી જીવી શકે. તેમણે તેઓને કહ્યું, “જો તમારામાંથી કોઈ મારા તાલીમાર્થી બનવા માંગે છે, તો તમારે ફક્ત તે જ ન કરવું જોઈએ જેના દ્વારા તમે સરળતાથી જીવી શકો છો. તમારે ગુનેગારોની જેમ પીડા સહન કરવા તૈયાર હોવું જોઈએ જેમને જ્યાં તેઓને વધસ્તંભ પર જડવાના હોય છે ત્યાં સુધી વધસ્તંભ ઉચકી જવાની ફરજ પાડવામાં આવે છે. જે કોઈ મારા તાલીમાર્થી બનવા માંગે છે તેઓએ તેમ કરવું જ જોઈએ. 35તમારે તે કરવું જ જોઈએ કારણ કે જેઓ પોતાનો જીવ બચાવવાની કોશિશ કરે છે, એ ઇન્કાર કરીને કે તેઓ મારા છે, તેઓ પોતાનો જીવ ગુમાવશે. કારણ કે તેઓ મારા તાલીમાર્થીઓ છે અને કારણકે તેઓ અન્યોને શુભસંદેશ જણાવે છે માટે તેઓ માર્યા ગયા છે તેઓ મારી સાથે સદાકાળ માટે જીવશે. 36લોકોને આ દુનિયામાં જે જોઈએ છે તે બધું મળી શકે છે, પરંતુ જો તેઓ અનંતજીવન ન મેળવે તો તેઓ ખરેખર કંઈ મેળવતા નથી! 37એ હકીકત વિષે કાળજીપૂર્વક વિચારો કે લોકો ઈશ્વરને આપી શકે તેવું કંઈ જ નથી જે તેમને અનંતજીવન મેળવવા સક્ષમ બનાવે! 38અને આ વિષે વિચારો: તેઓ મારા છે એમ કહેવાનો ઇન્કાર ઘણા લોકો કરે છે. આ દિવસોમાં ઘણા લોકો ઈશ્વરથી દૂર થઈ ગયા છે અને પાપમાં જીવે છે ત્યારે હું જે કહું છું તેનો નકાર તેઓ કરે છે, તો હું, માણસનો પુત્ર, જ્યારે હું પવિત્ર દૂતો સાથે પાછો આવીશ અને મહિમા પ્રાપ્ત કરીશ, જે મારા પિતા પાસે છે, ત્યારે તેઓ મારા છે તે કહેવાનો પણ ઇન્કાર કરીશ!”
91ઈસુએ ટોળાને અને તેમના તાલીમાર્થીઓને પણ કહ્યું, “ધ્યાનથી સાંભળો! તમારામાંના કેટલાક જેઓ અત્યારે અહિ છે તેઓ ઈશ્વરને શક્તિશાળી રીતે રાજ કરતા જોશે તે પહેલાં મૃત્યુ પામશે નહિ!”
2છ દિવસ પછી, ઈસુ પોતાની સાથે પિતર, યાકૂબ અને યાકૂબના ભાઈ યોહાનને લઈને એક ઊંચા પહાડ પર ગયા. જ્યારે તેઓ ત્યાં એકલા હતા, ત્યારે તે તેમની સામે ખૂબ જ અલગ દેખાયા. 3તેમના કપડાં ચમકદાર સફેદ થઈ ગયા. પૃથ્વી પરના કોઈપણ તેમને બ્લીચ કરીને બનાવી શકે તેના કરતાં તેઓ સફેદ હતા. 4બે પ્રબોધકો મુસા અને એલિયા તેઓની સામે પ્રગટ થાય છે જેઓ લાંબા સમય પહેલા થઈ ગયા. પછી તેઓએ ઈસુ સાથે વાતચીત કરવાની શરૂવાત કરી. 5થોડા સમય પછી, પિતરે કહ્યું, “ગુરુજી, અહિ આવવું અદ્દભુત છે! તેથી અમને ત્રણ આશ્રયસ્થાનો બનાવવાની મંજૂરી આપો. એક તમારા માટે હશે, એક મૂસા માટે હશે અને એક એલિયા માટે હશે!” 6તેણે આ કહ્યું કારણ કે તે કંઈક કહેવા માંગતો હતો, પરંતુ તેને શું કહેવું તેની ખબર ન હતી, કારણ કે તે અને અન્ય બે તાલીમાર્થીઓ ખૂબ જ ગભરાયેલા હતા. 7પછી એક વાદળ દેખાયું, અને તેણે તેઓને ઢાંકી દીધા. ઈશ્વરે તેઓની સાથે વાદળમાંથી વાત કરી અને કહ્યું, “આ મારો પુત્ર છે. તે એ જ છે જેને હું પ્રેમ કરું છું. તેથી, તે જે કહે છે તેના પર તમારે ધ્યાન આપવું જોઈએ!” 8જ્યારે ત્રણ તાલીમાર્થીઓએ આસપાસ જોયું, ત્યારે તેઓએ અચાનક જોયું કે ફક્ત ઈસુ જ તેમની સાથે હતા અને એલિયા અને મૂસા હવે ત્યાં નહોતા.
9જ્યારે તેઓ પહાડ પરથી નીચે આવી રહ્યા હતા, ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે તેમની સાથે જે બન્યું તે તેઓએ હમણાં કોઈને કહેવું નહિ. તેમણે કહ્યું, "હું, માણસનો પુત્ર, મારા મૃત્યુ પછી ફરીથી જીવતો થઈશ પછી તમે તેઓને કહી શકો." 10તેથી તેઓએ લાંબા સમય સુધી તેના વિષે બીજા કોઈને કહ્યું નહિ. પરંતુ, તેઓએ એકબીજામાં ચર્ચા કરી કે જ્યારે તેમણે કહ્યું કે તે મૃત્યુમાંથી ઉઠશે, તેનો અર્થ શું થાય છે.
11ત્રણ તાલીમાર્થીઓએ ઈસુને પૂછ્યું, "જેઓ યહૂદી નિયમો શીખવે છે તેઓ કહે છે કે મસીહ પૃથ્વી પર આવે તે પહેલાં એલિયાએ પૃથ્વી પર પાછા આવવું જોઈએ, પણ અમે હમણાં જ એલિયાને જોયા છે, તો શું તેઓ ખોટું શીખવે છે?" 12-13ઈસુએ તેઓને જવાબ આપ્યો, “તે સાચું છે કે ઈશ્વરે એલિયાને મોકલવાનું વચન આપ્યું હતું કે તે બધું જેમ હોવું જોઈએ તે કરવા માટે પ્રથમ આવે. પરંતુ એલિયા પહેલેથી જ આવી ગયો છે, અને આપણા આગેવાનોએ તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું, જેમ કે લાંબા સમય પહેલા પ્રબોધકોએ કહ્યું હતું કે તેઓ કરશે તેમ તેઓ કરવા ઇચ્છતા હતા. પણ મારા વિષે, માણસના પુત્ર વિષે શાસ્ત્રોમાં ઘણું લખેલું છે. શાસ્ત્રો કહે છે કે હું ઘણું સહન કરીશ અને લોકો મને નકારશે.”
14પછી ઈસુ અને તે ત્રણ શિષ્યો જ્યાં બીજા શિષ્યો હતા ત્યાં પહોંચ્યા. તેઓએ અન્ય તાલીમાર્થીઓની આસપાસ એક મોટી ભીડ અને યહૂદી કાયદા શીખવતા કેટલાક માણસોને તેઓની સાથે દલીલ કરતા જોયા. 15ઈસુને આવતા જોઈને ટોળાને ખૂબ નવાઈ લાગી. તેથી તેઓ તેમની પાસે દોડી ગયા અને તેમને શુભેચ્છા પાઠવી. 16ઈસુએ તેઓને પૂછ્યું, "તમે શાના વિષે દલીલ કરો છો?" 17ભીડમાંથી એક માણસે તેને ઉત્તર આપ્યો, “ઉપદેશક, હું મારા પુત્રને તમારી પાસે લાવ્યો છું, કે જેથી તમે તેને સાજો કરો. તેનામાં એક દુષ્ટ આત્મા છે જે તેને વાત કરવામાં અસમર્થ બનાવે છે. 18જ્યારે પણ આત્મા તેને નિયંત્રિત કરવાનું શરૂ કરે છે, ત્યારે તે તેને નીચે ફેંકી દે છે. તેના મોં પર ફીણ આવે છે, તે તેના દાંતને એકસાથે પીસે છે, અને તે અક્કડ થઈ જાય છે. આત્માને બહાર કાઢવા માટે મેં તમારા શિષ્યોને કહ્યું, પરંતુ તેઓ તેમ કરી શક્યા નહિ. 19ઈસુએ તેઓને જવાબ આપતા કહ્યું, “ઓ અવિશ્વાસુ લોકો! હું તમારા અવિશ્વાસથી ખૂબ જ કંટાળી ગયો છું! છોકરાને મારી પાસે લાવો.” 20તેથી તેઓ છોકરાને ઈસુ પાસે લાવ્યા. દુષ્ટ આત્માએ ઈસુને જોયા કે તરત જ તેણે છોકરાને જોરથી હચમચાવી નાખ્યો, અને છોકરો જમીન પર પડ્યો. તે આજુબાજુ આળોટ્યો અને મોં પર ફીણ આવ્યું. 21ઈસુએ છોકરાના પિતાને પૂછ્યું, "તેને કેટલા સમયથી આવું છે?" તેણે જવાબ આપ્યો, "તે જ્યારે બાળક હતો ત્યારથી આ થવાનું શરૂ થયું હતું. 22આત્મા ફક્ત આ જ કરતો નથી, પરંતુ તેને મારી નાખવા માટે તે ઘણીવાર તેને આગ અથવા પાણીમાં પણ ફેંકી દે છે. અમારા પર દયા કરો અને જો તમે કરી શકો તો અમને મદદ કરો!” 23ઈસુએ તેને કહ્યું, "અલબત્ત હું કરી શકું છું! જે લોકો વિશ્વાસ કરે છે કે તે કરવા માટે સક્ષમ છે તેઓના માટે ઈશ્વર કંઈપણ કરી શકે છે!” 24તરત જ બાળકના પિતાએ બૂમ પાડી, “હું માનું છું કે તમે મને મદદ કરી શકશો, પણ હું દૃઢપણે માનતો નથી. મને વધુ મજબૂત રીતે વિશ્વાસ કરવામાં મદદ કરો!” 25ઈસુએ જોયું કે ભીડ વધી રહી છે. તેમણે દુષ્ટ આત્માને ધમકાવ્યો: “હે દુષ્ટ આત્મા, તું જે આ છોકરાને બહેરો અને વાત કરવા માટે અસમર્થ બનાવે છે! હું તને આજ્ઞા કરું છું કે તેનામાંથી બહાર આવ અને ફરી ક્યારેય તેનામાં પ્રવેશ કરે નહિ!” 26દુષ્ટ આત્માએ બૂમો પાડી અને છોકરાને હિંસક રીતે હલાવી દીધો, અને પછી તે છોકરાને છોડી ગયો. છોકરો હલ્યો નહિ. તે મૃતદેહ જેવો લાગતો હતો. તેથી ત્યાંના મોટાભાગના લોકોએ કહ્યું, "તે મરી ગયો છે!" 27જોકે, ઈસુએ છોકરાનો હાથ પકડી લીધો અને તેને ઊભો થવામાં મદદ કરી. પછી છોકરો ઊભો થયો. 28પાછળથી, જ્યારે ઈસુ અને તેમના તાલિમાર્થીઓ એક ઘરમાં એકલા હતા, ત્યારે તેઓએ તેમને પૂછ્યું, "અમે શા માટે દુષ્ટ આત્માને બહાર કાઢવા સક્ષમ ન હતા?" 29ઈસુએ તેઓને કહ્યું, “આ પ્રકારના દુષ્ટ આત્માને દબાણ તમે માત્ર ખોરાકનો ત્યાગ કરીને અને ઈશ્વરને પ્રાર્થના કરીને જ કરી શકો છો. તમે તેને બહાર કાઢી શકો તેવો બીજો કોઈ રસ્તો નથી.”
30ઈસુ અને તેમના શિષ્યોએ તે પ્રદેશ છોડ્યા પછી, તેઓ ગાલીલના પ્રદેશમાંથી પસાર થયા. ઈસુ ઈચ્છતા ન હતા કે બીજા કોઈને ખબર પડે કે તે ક્યાં છે. 31ઈસુ પોતાના શિષ્યોને શીખવવા માટે સમય મેળવવા માંગતા હતા. તે તેઓને કહેતા હતા, “કોઈ દિવસ મારા દુશ્મનો મને, માણસના પુત્રને પકડશે, અને મને બીજા માણસોના હાથમાં સોંપી દેવામાં આવશે. એ માણસો મને મારી નાખશે. પણ મારા મૃત્યુ પછી ત્રીજા દિવસે હું ફરી જીવતો થઈશ!” 32તાલિમાર્થિઓ સમજી શક્યા નહિ કે ઈસુ તેઓને શું કહે છે, અને તેઓ તેમને પૂછતા ભયભીત હતા કે તેનો અર્થ શું છે.
33પછી ઈસુ અને તેમના તાલીમાર્થીઓ કફર-નહૂમ નગરમાં પાછા ફર્યા. જ્યારે તેઓ ઘરમાં હતા, ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું, "આપણે રસ્તામાં મુસાફરી કરતા હતા ત્યારે તમે શું વાત કરતા હતા?" 34પરંતુ તાલીમાર્થીઓએ જવાબ આપ્યો નહિ. તેઓ જવાબ આપવામાં શરમ અનુભવતા હતા કારણ કે, તેઓ મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે તેઓ એકબીજા સાથે દલીલ કરતા હતા કે તેઓમાંથી કોણ એક સૌથી મહત્વપૂર્ણ છે. 35ઈસુ બેઠા. તેમણે તેમના ૧૨ તાલીમાર્થીઓને તેમની નજીક આવવા માટે બોલાવ્યા, અને પછી તેમણે તેઓને કહ્યું, "જો કોઈ ઇચ્છે છે કે ઈશ્વર તેને બધામાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ માને, તો તેણે પોતાને બધામાં સૌથી ઓછો મહત્વનો વ્યક્તિ માનવો જોઈએ, અને તેણે બીજા બધાની સેવા કરવી જોઈએ." 36પછી ઈસુએ એક બાળકને લઇ અને તેને તેઓની વચ્ચે ઉભો રાખ્યો. તેમણે બાળકને તેમના હાથમાં લઇ અને પછી તેમણે તેઓને કહ્યું, 37“જેઓ આવા બાળકનું સ્વાગત કરે છે કારણ કે તેઓ મને પ્રેમ કરે છે, તો ઈશ્વર માને છે કે તેઓ મારો આવકાર કરે છે. જે કોઈ મારો આવકાર કરે છે, તેઓ જાણે કે ઈશ્વરનો આવકાર પણ કરે છે, જેમણે મને તેમનું પ્રતિનિધિત્વ કરવા મોકલ્યો છે.”
38યોહાને ઈસુને કહ્યું, “ઉપદેશક, અમે એક વ્યક્તિને જોયો જે લોકોમાંથી દુષ્ટ આત્માઓને બહાર કાઢતો હતો. તેણે દાવો કર્યો હતો કે તે કરવા માટે તેને તમારી પાસેથી સત્તા છે. તેથી અમે તેને તેમ કરવાનું બંધ કરવાનું કહ્યું, કારણ કે તે અમારામાંથી એક તાલીમાર્થી નહોતો.” 39ઈસુએ કહ્યું, “તેને એવું કરવાનું બંધ કરવાનું કહો નહિ. કેમ કે મારા અધિકારથી પરાક્રમી કૃત્ય કર્યા પછી તરત જ કોઈ વ્યક્તિ મારા વિષે ખરાબ બોલશે નહિ. 40જેઓ અમારો વિરોધ નથી કરતા તેઓ એ જ લક્ષ્યો હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જે આપણે છીએ. 41જેઓ તમને કોઈપણ રીતે મદદ કરે છે તેઓને ઈશ્વર ચોક્કસપણે ઈનામ આપશે, ભલે તેઓ તમને પીવા માટે પાણીનો પ્યાલો આપે કેમ કે તમે મને, મસીહાને અનુસરો છો!”
42ઈસુએ એમ પણ કહ્યું, “પરંતુ જો તમે મારામાં વિશ્વાસ કરનારને પાપ કરાવશો, તો ઈશ્વર તમને સખત શિક્ષા કરશે. મારામાં વિશ્વાસ કરનાર વ્યક્તિને પાપ કરવા માટે ઈશ્વર જો તમને સજા કરે તો તમારા માટે એ સારું રહેશે કે કોઈ તમારા ગળામાં ખૂબ જ ભારે પથ્થર બાંધીને તમને સમુદ્રમાં ફેંકી દે. 43તેથી જો તમે તમારા એક હાથનો ઉપયોગ પાપ કરવા માટે કરવા માંગતા હો, તો તેનો ઉપયોગ કરશો નહિ! પાપથી બચવા હાથ કાપીને ફેંકી દેવો પડે તો તે પણ કરો! જ્યારે તમે પૃથ્વી પર હો ત્યારે તમને એક હાથની અછત હોવા છતાં, તમે અનંતજીવન જીવો તે વધુ સારું છે. પરંતુ એ સારું નથી કે તમે પાપ કરો અને પરિણામે ઈશ્વર તમારા આખા શરીરને નરકમાં ફેંકી દે. ત્યાં, આગ ક્યારેય ઓલવાઈ જતી નથી! 442 9.44 કેટલીક પ્રાચીન પ્રતો કલમ ૪૪ નો સમાવેશ કરે છે.[તે એવી જગ્યા છે જ્યાં કીડાઓ તેમને ખાવાનું બંધ ક્યારેય કરતા નથી, અને જે આગ તેમને બાળે છે તે ક્યારેય ઓલવાઈ જતી નથી.] 45જો તમે તમારા પગમાંથી એકનો ઉપયોગ પાપ કરવા માટે કરવા માંગતા હો, તો તમારા પગનો ઉપયોગ કરવાનું બંધ કરો! પાપથી બચવા પગ કાપવો પડે તો પણ કરો! તે સારું છે કે તમે પાપ ન કરો અને હંમેશ માટે જીવો, ભલે તમે અહિ પૃથ્વી પર હો ત્યારે તમને એક પગનો અભાવ હોય. પણ એ સારું નથી કે તમે પાપ કરો, અને પરિણામે, ઈશ્વર તમારા આખા શરીરને નરકમાં નાંખી દે. 463 9.46 કેટલીક પ્રાચીન પ્રતો કલમ ૪૬ નો સમાવેશ કરે છે. જ્યાં કીડાઓ તેમને ખાવાનું બંધ ક્યારેય કરતા નથી, અને જે આગ તેમને બાળે છે તે ક્યારેય ઓલવાઈ જતી નથી.] 47જો તમે જે જુઓ છો તેના કારણે તમે પાપ કરવા લલચાયા છો, તો તે વસ્તુઓ જોવાનું બંધ કરો! થોભો અને જો પાપ કરવાથી બચવા તમારે તમારી આંખ બહાર કાઢીને ફેંકી દેવી પડે તો પણ, તેમ કરો! બે આંખો હોય અને તમને નરકમાં ધકેલી દેવા કરતાં, ફક્ત એક આંખ હોય અને ઈશ્વર જેના પર શાસન કરે છે તે રાજ્યમાં પ્રવેશવું વધુ સારું છે. 48એ સ્થાનમાં કીડાઓ સદા લોકોને ખોરાક તરીકે ખાઈને નભે છે, અને આગ કદીપણ ઓલવાઈ જતી નથી.
49ઈશ્વર તમારાથી ખુશ થાય તે માટે તમારે મુશ્કેલીઓ સહન કરવી જોઈએ. તમારી મુશ્કેલીઓ અગ્નિ જેવી છે જે વસ્તુઓને શુદ્ધ બનાવે છે. તમારી સહનશક્તિ પણ એવી છે કે લોકો તેમના બલિદાન પર મીઠું નાખે છે જેથી તેઓ તેમને શુદ્ધ કરે. 50મીઠું ખોરાક પર નાખવા માટે ઉપયોગી છે, પરંતુ જો તે સ્વાદહીન બની જાય તો તમે તેને ફરીથી ક્ષારયુક્ત બનાવી શકતા નથી. તેવી જ રીતે, તમારે ઈશ્વર માટે ઉપયોગી રહેવું જોઈએ, કારણ કે જો તમે નકામા થઈ જશો તો તમે ફરીથી ઈશ્વરને ઉપયોગી કેવી રીતે થઈ શકશો. તમારે પણ એકબીજા સાથે શાંતિથી જીવવું જોઈએ.”
101ઈસુએ તેમના શિષ્યો સાથે તે સ્થાન છોડ્યું, અને તેઓ યહૂદિયાના પ્રદેશમાંથી અને યર્દન નદીની પૂર્વ બાજુએ ગયા. જ્યારે લોકોના ટોળા ફરી તેમની આસપાસ ભેગા થયા, ત્યારે તેમણે તેઓને ફરીથી શીખવ્યું, જેમ કે તે નિયમિતપણે કરતા હતા. 2જ્યારે ઈસુ શીખવી રહ્યા હતા, ત્યારે કેટલાક ફરોશીઓ તેમની પાસે આવ્યા અને તેમને પૂછ્યું, "શું આપણું નિયમ શાસ્ત્ર કોઈ પુરુષને તેની પત્નીને છૂટાછેડા આપવાની પરવાનગી આપે છે?" તેઓએ પૂછ્યું કે તેમની ટીકા કરવા માટે સક્ષમ થવા માટે, પછી ભલે તે "હા" અથવા "ના" નો જવાબ આપે. 3ઈસુએ તેઓને જવાબ આપ્યો, "એક માણસ તેની પત્નીને છૂટાછેડા આપે તે વિષે મૂસાએ તમારા પૂર્વજોને શું આજ્ઞા આપી હતી?" 4તેઓમાંથી એકે જવાબ આપ્યો, "મૂસાએ પરવાનગી આપી હતી કે માણસ છૂટાછેડાના કાગળો લખી શકે જે દ્વારા તે તેણીને છૂટી કરી શકે." 5ઈસુએ તેઓને કહ્યું, “તમારા બળવાખોર વલણને લીધે જ મૂસાએ તમારા માટે તે નિયમ તમને આપ્યો. 6યાદ રાખો કે જ્યારે ઈશ્વરે સૌપ્રથમ લોકોને બનાવ્યા, ત્યારે તેમણે એક પુરુષ બનાવ્યો, અને તેમણે તે પુરુષની પત્ની બનવા માટે એક સ્ત્રીને બનાવી. 7તે સમજાવે છે કે શા માટે ઈશ્વરે કહ્યું, ‘જ્યારે કોઈ પુરુષ અને સ્ત્રી લગ્ન કરે છે, ત્યારે તેઓએ લગ્ન કર્યા પછી તેમના પિતા અને માતા સાથે રહેવું જોઈએ નહિ. 8તેના બદલે, તેઓ બંને સાથે રહેશે, અને તેઓ એટલા નજીકથી એક થઈ જશે કે તેઓ એક વ્યક્તિ જેવા છે.’ તેથી, જો કે જે લોકો લગ્ન કરે છે તે પહેલા બે અલગ-અલગ વ્યક્તિઓ હોય છે, ઈશ્વર તેમને લગ્ન પછી એક વ્યક્તિ તરીકે માને છે, તેથી તે ઇચ્છે છે કે તેઓ એકબીજા સાથે લગ્નમાં બન્યા રહે. 9કારણ કે તે સાચું છે, પુરુષે તેની પત્નીને છૂટાછેડા ન આપવા જોઈએ. ઈશ્વર તેમની સાથે જોડાયા છે, અને તે ઈચ્છે છે કે તેઓ સાથે રહે!”
10જ્યારે ઈસુ અને તેમના તાલીમાર્થીઓ એક ઘરમાં એકલા હતા, ત્યારે તેઓએ તેમને ફરીથી આ વિષે પૂછ્યું. 11ઈસુએ તેઓને કહ્યું, “ઈશ્વર માને છે કે જે કોઈ પુરુષ તેની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે તે વ્યભિચાર કરે છે. 12જે સ્ત્રી તેના પતિને છૂટાછેડા આપે છે અને બીજા પુરુષ સાથે લગ્ન કરે છે તેને પણ ઈશ્વર વ્યભિચાર માને છે.”
13હવે લોકો બાળકોને ઈસુ પાસે લાવી રહ્યા હતા જેથી તે તેમના પર હાથ મૂકે અને તેઓને આશીર્વાદ આપે. પરંતુ તેમના શિષ્યો તે લોકોને ઠપકો આપ્યો. 14જ્યારે ઈસુએ એ જોયું, તે ગુસ્સે થયા. તેમણે તેમના તાલીમાર્થીઓને કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો! તેમને પ્રતિબંધિત કરશો નહિ! તે એવા લોકો છે જેઓ નમ્ર છે અને ઈશ્વર પર વિશ્વાસ રાખે છે, તેઓ કરે છે તેમ કરનાર, તેમના જીવનોમાં ઈશ્વરના શાસનનો અનુભવ કરી શકે છે. 15આની નોંધ લો: જેઓ તેમના પર ઈશ્વરના શાસનને બાળકોની જેમ આવકારતા નથી - તેઓ ચોક્કસપણે તે રાજ્યમાં પ્રવેશ કરશે નહિ કે જેના પર ઈશ્વર શાસન કરે છે." 16પછી બાળકોને પોતાના હાથમાં લઇ ઈસુ તેમને ભેટ્યા. તેમણે તેમના પર હાથ પણ મૂક્યો અને ઈશ્વરને તેઓનું ભલું કરવા માટે વિનંતી કરી.
17જ્યારે ઈસુ તેમના તાલીમાર્થીઓ સાથે ફરી મુસાફરી શરૂ કરી રહ્યા હતા, ત્યારે એક માણસ તેની પાસે દોડી આવ્યો. તેણે ઈસુની આગળ ઘૂંટણિયે પડીને તેમને પૂછ્યું, "સારા ઉપદેશક, મારે શું કરવું જોઈએ કે જેથી હું ઈશ્વર સાથે અનંતકાળ જીવી શકું?" 18ઈસુએ તેને કહ્યું, “તને ખ્યાલ નથી કે મને સારો કહેવા દ્વારા તું શું કહી રહ્યો છે! ફક્ત ઈશ્વર જ સારા છે! 19પરંતુ તારા પ્રશ્નનો જવાબ આપવા માટે, તું મૂસાની આજ્ઞાઓ જાણો છો: 'કોઈની હત્યા ન કરો, વ્યભિચાર ન કરો, કોઈની પાસેથી ચોરી ન કરો, કોઈ પણ બાબતમાં જૂઠું ન બોલો, કોઈની સાથે છેતરપિંડી ન કરો, અને તમારા પિતા અને માતા પ્રત્યે આદર રાખો.'” 20તે માણસે તેમને કહ્યું, "ઉપદેશક, હું નાનો હતો ત્યારથી આ બધી આજ્ઞાઓનું પાલન કરતો આવ્યો છું." 21ઈસુએ તેની તરફ સ્નેહભરી દ્રષ્ટિથી જોયું. તેમણે તેને કહ્યું, “એક કામ છે જે તેં હજી સુધી કર્યું નથી. તમારે ઘરે જવું જોઈએ, તમારી પાસે જે છે તે બધું વેચવું જોઈએ અને પછી પૈસા ગરીબ લોકોને આપવા જોઈએ. પરિણામે, તું સ્વર્ગમાં આત્મિક રીતે સમૃદ્ધ થઈશ. મેં તને જે કહ્યું છે એ તે પૂર્ણ કર્યા પછી, મારી સાથે આવ અને મારો શિષ્ય બન!” 22તે માણસ ઈસુની સૂચનાઓથી નારાજ થઈ ગયો. તે ખૂબ જ દુઃખી હ્રદયે ચાલ્યો ગયો, કારણ કે તે તેની સંપત્તિથી અલગ થઇ શકતો નહોતો. 23ઈસુએ આસપાસના લોકો તરફ જોયું. પછી તેમણે તેમના શિષ્યોને કહ્યું, "જે લોકો શ્રીમંત છે તેમના માટે સ્વયંને ઈશ્વરના શાસન હેઠળ પોતાને મૂકવા ખૂબ મુશ્કેલ છે." 24ઈસુએ જે કહ્યું તેનાથી શિષ્યો આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓએ વિચાર્યું કે ઈશ્વર શ્રીમંત લોકોની તરફેણ કરે છે, તેથી જો ઈશ્વર તેઓને બચાવશે નહિ, તો તે કોઈને પણ બચાવશે નહિ. ઈસુએ ફરીથી કહ્યું, "તમે પ્રિય વિશ્વાસીઓ જેઓ મારી દેખરેખ હેઠળ છો, કોઈ પણ વ્યક્તિ માટે ઈશ્વરને તેના જીવન પર શાસન કરવા દેવાનું નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે. 25ઊંટ જેવા ખૂબ મોટા પ્રાણી માટે સીવણની સોયના નાના છિદ્રમાંથી પસાર થવું અશક્ય છે. શ્રીમંત લોકો માટે ઈશ્વરને તેમના જીવન પર શાસન કરવા દેવાનું નક્કી કરવું લગભગ એટલું જ મુશ્કેલ છે." 26તાલીમાર્થીઓ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. તેથી તેઓએ ઈસુને કહ્યું, "જો એવું છે, તો કોઈ કેવી રીતે બચી શકે!" 27ઈસુએ તેઓની તરફ જોયું, અને પછી તેમણે કહ્યું, “હા, લોકો માટે પોતાને બચાવવું અશક્ય છે! પરંતુ ઈશ્વર ચોક્કસપણે તેમને બચાવી શકે છે, કારણ કે ઈશ્વર કંઈપણ કરી શકે છે! 28પિતરે કહ્યું, "જુઓ, અમે બધું પાછળ છોડી દીધું છે, અને અમે તમારા શિષ્યો બની ગયા છીએ." 29ઈસુએ જવાબ આપ્યો, "હું ઈચ્છું છું કે તમે આ જાણો: જેઓ મારા શિષ્યો બનવા અને શુભસંદેશ જાહેર કરવા માટે તેમના ઘરો, તેમના ભાઈઓ, તેમની બહેનો, તેમના પિતા, તેમની માતા, તેમના બાળકો અથવા તેમના જમીનના ભાગો છોડી દીધા છે, 30તેઓ આ જીવનમાં જેટલું પાછળ છોડી ગયા છે તેઓ સો ગણું પ્રાપ્ત કરશે. તેમાં ઘરો અને પરિવારના સભ્યો શામેલ હશે; ભાઈઓ અને બહેનો અને માતાઓ અને બાળકો અને જમીનના ભાગો. ઉપરાંત લોકો તેમની સાતાવની કરશે અંહી પૃથ્વી પર કારણ કે તેઓ મારા પર વિશ્વાસ કરે છે , પરંતુ ભવિષ્યમાં તેઓ સદાકાળ ઈશ્વર સાથે રહશે. 31ઘણા લોકો જેમને અન્ય લોકો ખૂબ જ મહત્વપૂર્ણ માને છે તેઓ ઈશ્વર દ્વારા બિનમહત્વપૂર્ણ માનવામાં આવશે, અને ઘણા લોકો કે જેમને અન્ય લોકો બિનમહત્વપૂર્ણ માને છે તેઓને ઈશ્વર દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવશે!"
32કેટલાક દિવસો પછી જ્યારે તેઓએ તેમની મુસાફરી જારી રાખી ત્યારે, ઈસુ અને તેમના તાલીમાર્થીઓ યરૂશાલેમ શહેર તરફ જતા રસ્તા પર ચાલતા હતા. ઈસુ તેઓની આગળ ચાલતા હતા. તાલીમાર્થીઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમની સાથે રહેલા અન્ય લોકો ભયભીત થઈ ગયા. રસ્તામાં ઈસુ ૧૨ તાલીમાર્થી ને લઈ તેઓ સાથે ફરી તે જગ્યાએ ગયા. પછી તેમણે તેમની સાથે શું થવાનું હતું તે વિષે તેઓને કહેવાનું શરૂ કર્યું. 33તેમણે કહ્યું, “ધ્યાનથી સાંભળો! આપણે યરૂશાલેમ જઈ રહ્યા છીએ. ત્યાં મુખ્ય યાજકો અને યહૂદી નિયમોના શિક્ષકો મારી, માણસના પુત્રની ધરપકડ કરશે. તેઓ જાહેર કરશે કે મારે મરવું જ પડશે. પછી તેઓ મને રોમન અધિકારીઓ પાસે લઈ જશે. 34તેઓના માણસો મારી મજાક ઉડાવશે અને મારા પર થૂંકશે. તેઓ મને કોરડા મારશે, અને પછી તેઓ મને મારી નાખશે. પણ એ પછીના ત્રીજા દિવસે હું ફરી જીવતો થઈશ!”
35રસ્તામાં, યાકૂબ અને યોહાન, જેઓ ઝબદીના બે પુત્રો હતા, તેઓ ઈસુ પાસે આવ્યા અને તેમને કહ્યું, “ઉપદેશક, અમે ઈચ્છીએ છીએ કે અમે જે કરવાનું કહીએ તે તમે અમારા માટે કરો.” 36ઈસુએ તેઓને કહ્યું, "તમે શું ઈચ્છો છો કે હું તમારા માટે કરું?" 37તેઓએ તેને કહ્યું કે, '' જયારે તમે મહિમા સહિત રાજ કરો ત્યારે, અમારા માંથી એકને તમારી જમણી બાજુ અને બીજાને તમારી ડાબી બાજુ બેસાડજો''. 38પણ ઈસુએ તેઓને કહ્યું, "તમે જે માગો છો તે તમે સમજી શકતા નથી." પછી તેમણે તેઓને પૂછ્યું, “હું જે દુઃખ સહન કરવાનો છું તેમ શું તમે સહન કરી શકશો? લોકો જેમ મને મારી નાંખશે તેમ તેઓ તમને મારી નાંખે એવું તમે સહન કરી શકશો શું? 39તેઓએ તેમને કહ્યું, "હા, અમે તે કરી શકીએ છીએ!" પછી ઈસુએ તેઓને કહ્યું, “એ સાચું છે કે જેમ હું સહન કરું છું તેમ તમે પણ દુઃખ સહન કરશો, અને જેમ લોકો મને મારી નાખશે તેમ તેઓ તમને પણ મારી નાખશે. 40પણ મારી બાજુમાં કોણ બેસશે તે પસંદ કરનાર હું નથી. ઈશ્વર તેઓને એ સ્થાનો આપશે જેમને તે અગાઉથી પસંદ કરે છે.”
41અન્ય દસ તાલીમાર્થીઓએ પાછળથી યાકૂબ અને યોહાને જે વિનંતી કરી હતી તે વિષે સાંભળ્યું. પરિણામે, તેઓ તેમનાથી ગુસ્સે થયા. 42પછી, ઈસુએ તેઓ સર્વને એકઠા કર્યા, અને તેમણે તેઓને કહ્યું, “તમે જાણો છો કે જેઓ બિન-યહુદીઓ પર રાજ કરે છે તેઓ શક્તિશાળી હોવાનું પ્રદર્શન કરવામાં આનંદ માણે છે. તમે એ પણ જાણો છો કે તેમના અધિકારીઓ બીજાઓને આદેશ આપવામાં આનંદ માણે છે. 43પરંતુ તેમના જેવા ન બનો! તેનાથી વિપરીત, જો તમારામાંથી કોઈ મહાનતા પ્રાપ્ત કરવા માંગે છે, તો તેણે પોતાને બીજાનો સેવક માનવો જોઈએ. 44અને, જો તમારામાંથી કોઈ ઇચ્છે છે કે ઈશ્વર તેને સૌથી મહત્વપૂર્ણ માને, તો તેણે તમારા બાકીનાઓ માટે દાસની ભૂમિકા નિભાવવી જોઈએ. 45હું, માણસનો પુત્ર સ્વર્ગમાંથી આવ્યો હોવા છતાં, સેવા લેવા આવ્યો નથી, પરંતુ સેવા આપવા આવ્યો છું અને લોકો માટે તેમના પાપની ચૂકવણી તરીકે મૃત્યુ પામવા આવ્યો છું, પાપીઓ માટે ઈશ્વરે નક્કી કરેલ સજામાંથી તેમને છોડાવવાની સ્વતંત્રતા ખરીદવા આવ્યો છું."
46યરૂશાલેમ શહેરના માર્ગ પર, ઈસુ અને તેમના તાલીમાર્થીઓ યરીખો શહેરમાં આવ્યા. પછી, જ્યારે તેઓ મોટા ટોળા સાથે જેરીકોથી નીકળી રહ્યા હતા, ત્યારે એક માણસ જે જોઈ શકતો ન હતો અને જે વારંવાર બીજાઓ પાસે પૈસા માંગતો હતો તે રસ્તાની બાજુમાં બેઠો હતો. તેનું નામ બાર્તિમાય હતું અને તેના પિતાનું નામ તિમાયસ હતું. 47જ્યારે તેણે લોકોને કહેતા સાંભળ્યા કે નાઝરેથના ઈસુ ત્યાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે તેણે બૂમ પાડી, “ઈસુ! તમે જે રાજા દાઉદના વંશજ છો, મને મદદ કરો!” 48ઘણા લોકોએ તેને ઠપકો આપ્યો અને કહ્યું કે તે શાંત રહે. તેના બદલે, તેણે વધુ જોરથી બૂમ પાડી, "તમે જે રાજા દાઉદના વંશજ છો, મારા પર દયા કરો!" 49ઈસુએ અટકીને કહ્યું, "તેને અહિ આવવા માટે બોલાવો!" તેઓએ આંધળા માણસને બોલાવીને કહ્યું, “ઈસુ તને બોલાવે છે! તેથી ઉત્સાહિત થા અને ઉભો થઇ અને આવ!" 50કૂદકો મારતાં તેણે પોતાનો ડગલો બાજુ પર ફેંકી દીધો અને તે ઈસુ પાસે આવ્યો. 51ઈસુએ તેને પૂછ્યું, "તું શું ઈચ્છે છે કે હું તને મદદ કેવી રીતે કરું?" અંધ માણસે તેમને કહ્યું, "ગુરુજી, હું ફરીથી જોવા સક્ષમ થવા ઈચ્છું છું!" 52ઈસુએ તેને કહ્યું, “તેં મારામાં વિશ્વાસ રાખ્યો હોવાથી મેં તને સાજો કર્યો છે! તો તું હવે જઈ શકે છે!” તે તરત જ જોઈ શકતો હતો. અને તે રસ્તે ઈસુ સાથે ગયો.
111જ્યારે ઈસુ અને તેમના તાલીમાર્થીઓ યરૂશાલેમની નજીક આવ્યા, ત્યારે તેઓ જૈતૂનના પહાડ પાસેના બેથફગે અને બેથનિયાના ગામોમાં આવ્યા. પછી ઈસુએ તેમના બે શિષ્યોને તેઓની આગળ મોકલ્યા. 2ઈસુએ તેઓને કહ્યું, “અમારી આગળના ગામમાં જાઓ. તેમાં પ્રવેશતા જ તમને ત્યાં એક ગધેડાનો વછેરો બાંધેલો દેખાશે. આ એક એવું પ્રાણી છે જેના પર ક્યારેય કોઈએ સવારી કરી નથી. તેને છોડીને મારી પાસે લાવો. 3જો કોઈ તમને પૂછે કે, ‘તમે આમ કેમ કરી રહ્યા છો?’ તો કહો, ‘ઈસુને તેની જરૂર છે. તે તેને અહિ કોઈની સાથે પાછી મોકલી દેશે કારણ કે તેમને હવે તેની જરૂર નથી.'' 4તેથી બે તાલીમાર્થીઓ ગયા, અને તેઓને એક વછેરો મળ્યો. તે એક ઘરના દરવાજા પાસે બંધાયેલો શેરીમાં ઉભો હતો. પછી તેઓએ તેને છોડ્યો. 5ત્યાં રહેલા કેટલાક લોકોએ ઈસુના બે તાલીમાર્થીઓને પૂછ્યું, "તમે આ વછેરાને શા માટે છોડી રહ્યા છો?" 6ઈસુએ તેઓને જે કહેવાની સૂચના આપી હતી તે તેઓએ તેમને કહ્યું. તેથી તે લોકોએ તેઓને તે વછેરાને છોડીને લઈ જવાની પરવાનગી આપી. 7બે તાલીમાર્થીઓ વછેરાને ઈસુ પાસે લઈ ગયા અને તેના પર તેમના ઝભ્ભા પાથર્યા, જેથી તે તેના પર બેસી શકે. પછી ઈસુ વછેરા પર બેઠા. 8તેમની સામે રસ્તા પર ઘણા લોકોએ પોતપોતાના ઝભ્ભા પાથર્યા. અન્ય લોકોએ નજીકના ખેતરોમાં ખજૂરીના વૃક્ષોમાંથી ડાળીઓ કાપીને રસ્તા પર ફેલાવી. 9જે લોકો તેમની આગળ અને પાછળ જતા હતા તેઓ બધા બૂમો પાડી રહ્યા હતા, “ઈશ્વરની સ્તુતિ કરો!” અને "ઈશ્વર તેમને આશીર્વાદ આપો જે તેમના પ્રતિનિધિ તરીકે આવે છે." 10તેઓએ એવી બૂમો પણ પાડી, ઈશ્વર તમને આશીર્વાદ આપે જ્યારે તમે અમારા પૂર્વજ રાજા દાઉદની જેમ શાસન કરો! "ઉચ્ચ સ્વર્ગમાં રહેલા ઈશ્વરની સ્તુતિ થાઓ!"
11ઈસુ તેઓની સાથે યરૂશાલેમમાં પ્રવેશ્યા અને પછી તે ભક્તિસ્થાનના પ્રાંગણમાં ગયા. તેમણે ત્યાં આસપાસ બધું જોયા પછી, તે શહેર છોડી ચાલી નીકળ્યા કારણ કે ક્યારનીય બપોરની વેળા પૂરી થવા આવી હતી. તે ૧૨ તાલીમાર્થીઓ સાથે બેથનિયા ગામમાં પાછા ફર્યા.
12બીજે દિવસે, જ્યારે ઈસુ અને તેમના તાલીમાર્થીઓ બેથનિયા છોડી રહ્યા હતા, ત્યારે તેમને ભૂખ લાગી. 13થોડા અંતરે, તેમણે એક અંજીરનું ઝાડ જોયું જેમાં તેના બધા પાંદડા હતા, તેથી તે તેના પર કોઈ અંજીર મળે છે કે કેમ તે જોવા તે તેની પાસે ગયા. પરંતુ જ્યારે તે તેની પાસે આવ્યા, ત્યારે તેમને તેના પર કોઈ ફળ નહિ, ફક્ત પાંદડા મળ્યા. આનું કારણ એ હતું કે હજુ વર્ષનો એ સામાન્ય સમય નહોતો જ્યારે અંજીરના ઝાડ પાકેલા અંજીરનું ઉત્પાદન કરે. 14તેમણે તે ઝાડને કહ્યું, "તારામાંથી ફરીથી કોઈ ફળ ખાશે નહિ." અને તેમના શિષ્યોએ આ સાંભળ્યું.
15ઈસુ અને તેમના તાલીમાર્થીઓ યરૂશાલેમમાં પાછા ગયા અને ભક્તિસ્થાનના પ્રાંગણમાં પ્રવેશ્યા. તેમણે એવા લોકોને જોયા જેઓ બલિદાન માટે પશુઓ વેચતા અને ખરીદતા હતા. તેમણે ભક્તિસ્થાનના પ્રાંગણમાંથી તે લોકોને હાંકી કાઢ્યા. તેમણે તે લોકોના ટેબલ પણ ઉથલાવી દીધા જેઓ રોમન સિક્કાના બદલામાં ભક્તિસ્થાનના વેરાના પૈસા વેચી રહ્યા હતા. અને તેમણે બલિદાન આપવા માટે ખરીદદારોને કબૂતર વેચતા માણસોની બેઠકો ઉથલાવી દીધી. 16કોઈ પણ વસ્તુ વેચવા માટે જે લઈ જતો હતો તેને તે ભક્તિસ્થાનના વિસ્તારમાંથી જવા દેતો નહોતા. 17પછી જ્યારે તેમણે તે લોકોને શીખવ્યું ત્યારે તેમણે તેઓને કહ્યું, “પ્રબોધકોમાંના એકે શાસ્ત્રમાં લખ્યું છે કે ઈશ્વરે કહ્યું કે, 'હું ઈચ્છું છું કે લોકો મારા ઘરને એવું ઘર કહે કે જ્યાં સર્વ દેશના લોકો પ્રાર્થના કરે,' પણ તમે લૂંટારાઓએ તેને એક ગુફા, જ્યાં લૂંટારાઓ છુપાય છે, તેવું બનાવ્યું છે." 18મુખ્ય યાજકો અને યહૂદી નિયમો શીખવનારા માણસોએ પછીથી ઈસુએ જે કર્યું તે વિષે સાંભળ્યું. તેઓ તેને કેવી રીતે મારી શકે તેની યોજના ઘડી રહ્યા હતા, પરંતુ તેઓ તેનાથી ભયભીત હતા કારણ કે તેઓ સમજી ગયા હતા કે તે જે શીખવે છે તેનાથી આખું ટોળું આશ્ચર્યચકિત થઈ ગયું હતું. 19તે સાંજે, ઈસુ અને તેમના તાલીમાર્થીઓએ શહેર છોડીને ગયા અને ફરીથી બેથનિયામાં વિશ્રામ કર્યો.
20બીજે દિવસે સવારે જ્યારે તેઓ યરૂશાલેમ તરફના રસ્તે જતા હતા, ત્યારે તેઓએ જોયું કે ઈસુએ જે અંજીરના ઝાડને શાપ આપ્યો હતો તે સુકાઈ ગયું હતું અને સાવ મુરઝાઈ ગયું હતું. 21ઈસુએ અંજીરના ઝાડને શું કહ્યું હતું તે પિતરને યાદ આવ્યું અને તેણે ઈસુને કહ્યું, “ગુરુજી, જુઓ! જે અંજીરના ઝાડને તમે શાપ આપ્યો હતો તે સુકાઈ ગયું છે!” 22ઈસુએ જવાબ આપ્યો, “તમને આશ્ચર્ય ન થવું જોઈએ કે ઈશ્વરે તે કર્યું જે મેં કહ્યું ! તમારે વિશ્વાસ રાખવો જોઈએ કે તમે તેમને જે કરવા વિનંતી કરો છો તે ઈશ્વર કરશે! 23આ પણ નોંધ લો: જો કોઈ આ પર્વતને કહે કે, 'ઊઠ અને તારી જાતને સમુદ્રમાં ફેંકી દે,' જો તેને શંકા ન હોય કે તે જે માંગશે તે થશે, એટલે કે, જો તે માને છે કે તે થશે, તો ઈશ્વર તેના માટે તે કરશે. 24તેથી હું તમને કહું છું, જ્યારે પણ તમે પ્રાર્થના કરતી વખતે ઈશ્વર પાસે કંઈક માંગશો, ત્યારે વિશ્વાસ કરો કે તમને તે મળશે, અને, જો તમે તેમનામાં વિશ્વાસ રાખશો, તો ઈશ્વર તમારા માટે તે કરશે. 25હવે, હું તમને આ પણ કહું છું: જ્યારે પણ તમે પ્રાર્થના કરો છો, જો કોઈ વ્યક્તિએ તમારી વિરુદ્ધ પાપ કર્યું હોવાથી તમને તેના પ્રત્યે ધિક્કાર હોય, તો તમારા પરનું તેમનું ઋણ માફ કરો જેથી કરીને તમારા સ્વર્ગમાંના પિતા એ જ રીતે તમારા પાપો માટે તેમના પ્રત્યેનું તમારું ઋણ માફ કરે. 264 11. કેટલીક પ્રાચીન પ્રતો કલમ ૨૬ નો સમાવેશ કરે છે. (જુઓ: ૬:૧૫). [પરંતુ જો તમે તેમનું દેવું રદ કરશો નહિ, તો તમારા પિતા, જે સ્વર્ગમાં છે, તમારા પાપો માટે તમારું દેવું રદ કરશે નહિ.]
27ઈસુ અને તેમના તાલીમાર્થીઓ ફરીથી યરૂશાલેમના ભક્તિસ્થાનના પ્રાંગણમાં આવ્યા. જ્યારે ઈસુ ત્યાં ફરતા હતા, ત્યારે મુખ્ય યાજકો, યહૂદી નિયમો શીખવતા કેટલાક માણસો અને વડીલોનો સમૂહ તેમની પાસે આવ્યો. 28તેઓએ તેમને કહ્યું, “તમે કયા અધિકારથી આ બધું કરો છો? તમે ગઈકાલે અહિ જે કર્યું હતું તેવું કરવા માટે તમને કોણે અધિકૃત કર્યા છે?” 29ઈસુએ તેઓને કહ્યું, “હું તમને એક પ્રશ્ન પૂછીશ. જો તમે મને જવાબ આપો, તો હું તમને કહીશ કે મને તે બાબતો કરવા માટે કોણે અધિકૃત કર્યો છે. 30તેની પાસે જેઓ આવ્યા હતા તેઓને બાપ્તિસ્મા આપવાનો અધિકાર યોહાનને શું ઈશ્વરે આપ્યો હતો? અથવા શું તે લોકો હતા જેઓએ તેને અધિકૃત કર્યો હતો?" 31તેઓએ શું જવાબ આપવો તે અંગે તેઓ અંદરોઅંદર ચર્ચા કરતા હતા. તેઓએ એકબીજાને કહ્યું, “જો આપણે કહીએ કે એ ઈશ્વર હતા જેઓએ યોહાનને અધિકૃત કર્યો હતો, તો તે આપણને કહેશે, ‘તો યોહાને જે કહ્યું તે તમારે માનવું જોઈતું હતું!’ 32બીજી બાજુ, જો આપણે કહીએ કે એ લોકો હતા જેઓએ યોહાનને અધિકૃત કર્યો હતો, તો પછી આપણું શું થશે? યોહાનને તેનો અધિકાર ક્યાંથી મળ્યો તે વિષે કહેવાથી તેઓ ભયભીત હતા, કારણ કે તેઓ જાણતા હતા કે લોકો તેમના પર ખૂબ ગુસ્સે થશે. તેઓ જાણતા હતા કે બધા લોકો સાચે જ માને છે કે યોહાન એક પ્રબોધક હતો જેને ઈશ્વરે મોકલ્યો હતો. 33તેથી તેઓએ ઈસુને જવાબ આપ્યો, "અમે જાણતા નથી કે લોકોને બાપ્તિસ્મા આપવા યોહાનને કોણે અધિકૃત કર્યો હતો." પછી ઈસુએ તેઓને કહ્યું, "કારણ કે તમે મારા પ્રશ્નનો જવાબ આપ્યો ન હોવાથી, હું તમને કહીશ નહિ કે ગઈ કાલે મને અહિ કોણે આ કામ કરવા અધિકૃત કર્યો હતો."
121પછી ઈસુએ યહૂદી આગેવાનોને એક બોધપાઠ સાથે વાર્તા કહેવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, “એક સન્માનિત માણસે દ્રાક્ષાવાડી વાવી. તેની સુરક્ષા માટે તેણે તેની આસપાસ વાડ બાંધી. દ્રાક્ષોને મસળીને તેઓ જે દ્રાક્ષનો રસ કાઢશે તેને સંગ્રહ કરવા માટે તેણે એક પથ્થરની ટાંકી બનાવી. તેણે તેની દ્રાક્ષાવાડીની રક્ષા કરવા બેસનાર વ્યક્તિ માટે એક બુરજ પણ બનાવ્યો. તેણે દ્રાક્ષાવાડી કેટલાક લોકોને ભાડે આપી જે તેની સંભાળ રાખશે અને તે બીજા દેશમાં મુસાફરી કરવા માટે રવાના થયો. 2જ્યારે દ્રાક્ષ કાપવાનો સમય આવ્યો, ત્યારે દ્રાક્ષાવાડીના માલિકે એક ચાકરને તે લોકો પાસે મોકલ્યો જેઓ તેની દ્રાક્ષવાડીની સંભાળ રાખતા હતા, કારણ કે દ્રાક્ષની વાડીએ જે દ્રાક્ષ પેદા કરી હતી તેમાંથી તે તેનો હિસ્સો તેઓ પાસેથી મેળવવા માંગતો હતો. 3પણ જ્યારે નોકર આવ્યો, ત્યારે તેઓએ તેને પકડી લીધો અને નોકરને માર માર્યો, અને તેઓએ તેને કોઈ ફળ આપ્યું નહિ. પછી તેઓએ તેને જવા દીધો. 4પાછળથી માલિકે તેના ચાકરોમાંના બીજા એક ચાકરને તેમની પાસે મોકલ્યો. પરંતુ તેઓએ તે વ્યક્તિને માથામાં માર્યું, અને તેઓએ તેનું અપમાન કર્યું. 5છતાં પણ પાછળથી માલિકે બીજા નોકરને મોકલ્યો. દ્રાક્ષાવાડીની સંભાળ રાખનારા લોકોએ તે માણસને મારી નાખ્યો. તેઓએ બીજા ઘણા સેવકો સાથે પણ દુર્વ્યવહાર કર્યો જેમને તેણે મોકલ્યા હતા. તેઓએ કેટલાકને માર્યા અને કેટલાકની હત્યા કરી. 6માલિક પાસે હજી પણ અન્ય એક વ્યક્તિ હતી, તેનો પુત્ર, જેને તે ખૂબ પ્રેમ કરતો હતો. તેથી, છેવટે તેણે તેના પુત્રને તેમની પાસે મોકલ્યો, કારણ કે તેણે વિચાર્યું કે તેઓ તેના પુત્રને ઓળખશે અને તેની સાથે સારો વ્યવહાર કરશે. 7પણ જે લોકો દ્રાક્ષાવાડીની સંભાળ રાખતા હતા તેઓએ જ્યારે તેના પુત્રને આવતો જોયો, ત્યારે તેઓએ એકબીજાને કહ્યું, ‘જુઓ! અહિ આવે છે માલિકનો પુત્ર, જે કોઈ દિવસ દ્રાક્ષાવાડીનો વારસો મેળવશે! તો ચાલો આપણે તેને મારી નાખીએ જેથી આ દ્રાક્ષાવાડી આપણી થાય!’ 8તેઓએ માલિકના પુત્રને પકડીને મારી નાખ્યો. પછી તેઓએ તેનું શરીર દ્રાક્ષાવાડીની બહાર ફેંકી દીધું. 9તેથી હું તમને કહીશ કે દ્રાક્ષાવાડીનો માલિક શું કરશે. તે આવશે, અને તે દુષ્ટ માણસોને મારી નાખશે જેઓ તેની દ્રાક્ષાવાડીની સંભાળ રાખતા હતા. પછી તેની સંભાળ રાખવા માટે તે અન્ય લોકોની વ્યવસ્થા કરશે. 10શાસ્ત્ર શું કહે છે તેની જાણ તમને નથી શું?
જે માણસો મકાન બનાવી રહ્યા હતા તેઓએ એક ચોક્કસ પથ્થરનો ઉપયોગ કરવાની ના પાડી. પણ પ્રભુએ એ જ પથ્થરને તેની યોગ્ય જગ્યાએ મૂક્યો છે અને તે ઈમારતનો સૌથી મહત્વનો પથ્થર બની ગયો છે! 11પ્રભુએ આ કર્યું છે, અને આપણે તેને જોઈને આશ્ચર્ય પામીએ છીએ.”
12પછી યહૂદી આગેવાનોને સમજાયું કે ઈસુએ તેઓ પર આરોપ મૂક્યો હતો જ્યારે તેમણે તે દુષ્ટ લોકોએ જે કર્યું તે વિષે આ વાર્તા કહી હતી. તેથી યહૂદી આગેવાનો તેને પકડવા માંગતા હતા, પણ તેઓને બીક હતી કે જો યહૂદી આગેવાનો તેમ કરશે તો લોકોના ટોળા શું કરશે. તેથી તેઓ તેને છોડીને ચાલ્યા ગયા.
13યહૂદી આગેવાનોએ ઈસુ પાસે કેટલાક ફરોશીઓને મોકલ્યા જેઓ માનતા હતા કે યહૂદીઓએ ફક્ત તેમના પોતાના યહૂદી અધિકારીઓ જે કર ચૂકવણી માટે નક્કી કરે એ જ કર ચૂકવવો જોઈએ. તેઓએ હેરોદ અંતિપાસ અને રોમન સરકારને ટેકો આપતા પક્ષના કેટલાક સભ્યોને પણ મોકલ્યા. તેઓ ઈસુને યુક્તિમાં ફસાવવા માંગતા હતા; તેઓ ઈસુને એવું કંઈક કહેવડાવા ઈચ્છતા હતા કે જેનાથી તે જૂથમાંથી એક તેમના પર ગુસ્સે થાય જેથી તેઓ તેમની સામે આરોપો લાવી શકે. 14તેઓ આવ્યા પછી તેઓમાંના એકે ઈસુને કહ્યું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે તમે જે સત્ય છે તે જ શીખવો છો. અમે એ પણ જાણીએ છીએ કે તમે લોકોના અભિપ્રાયોથી પ્રભાવિત નથી. તેના બદલે, તમે બધા લોકોને સત્યતાથી શીખવો છો કે તેઓ શું કરે તેમ ઈશ્વર ઈચ્છે છે; તમે તેમની સામાજિક સ્થિતિના આધારે વર્તતા નથી. તો અમને જણાવો કે તમે આ બાબત વિષે શું વિચારો છો: શું અમે રોમન સરકારને કર ચૂકવીએ છીએ તે યોગ્ય છે કે નહિ? શું અમારે કર ચૂકવવો જોઈએ કે પછી ન ચૂકવવો જોઈએ? 15ઈસુ જાણતા હતા કે તેઓ ખરેખર જાણવા માંગતા ન હતા કે ઈશ્વર તેમની પાસેથી શું કરાવવા ઈચ્છે છે. તેથી તેમણે તેઓને કહ્યું, “હું જાણું છું કે તમે મને કંઈક ખોટું કહેવડાવાનો પ્રયત્ન કરો છો જેના માટે તમે મારા પર આરોપ લગાવી શકો, પણ તેમ છતાં હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ. મને એક સિક્કો લાવી આપો જેથી હું તેને જોઈ શકું.” 16તેઓ તેમની પાસે સિક્કો લાવ્યા પછી, તેમણે તેઓને પૂછ્યું, “આ સિક્કા પર કોનું ચિત્ર છે? અને તેના પર કોનું નામ છે?” તેઓએ જવાબ આપ્યો, "તે એક ચિત્ર છે અને કૈસરનું નામ છે, જે માણસ રોમન સરકાર પર રાજ કરે છે." 17ઈસુએ તેઓને કહ્યું, "તે કિસ્સામાં જે સરકારનું છે તે સરકારને આપો અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને આપો." તેમણે જે કહ્યું તેનાથી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.
18માણસો જેઓ સદૂકી વર્ગના હતા તેઓ નકારે છે કે લોકો મૃત્યુ પામ્યા પછી ફરીથી જીવંત બને છે. લોકો ફરીથી જીવશે તેવા વિચારની મજાક ઉડાવીને ઈસુને બદનામ કરવા, તેમાંથી કેટલાક તેમની પાસે આવ્યા અને તેમને પૂછ્યું, 19“ઉપદેશક, મૂસાએ અમને યહૂદીઓને સૂચના આપી કે જો કોઈ વ્યક્તિ જેનું કોઈ સંતાન નથી, મરણ પામે તો તેના ભાઈએ મૃત વ્યક્તિની વિધવા સાથે લગ્ન કરવા જોઈએ. પછી જો તે બંને બાળકોને જન્મ આપે, તો દરેક વ્યક્તિ માનશે કે તે બાળકો મૃત્યુ પામેલા માણસના બાળકો છે, અને તે રીતે મૃત માણસ વંશજો હોવાનું જારી રાખશે. 20તેથી અહિ એક ઉદાહરણ છે: એક કુટુંબમાં સાત ભાઈઓ હતા. સૌથી મોટાએ એક સ્ત્રી સાથે લગ્ન કર્યા, પરંતુ તેને અને તેની પત્નીને કોઈ સંતાન નહોતું. ત્યારબાદ પાછળથી તેનું મૃત્યુ થયું હતું. 21બીજા ભાઈએ આ નિયમનું પાલન કર્યું અને તે સ્ત્રી સાથે લગ્ન કર્યા અને તેને પણ કોઈ સંતાન ન હતું. ત્યારબાદ પાછળથી તેનું મૃત્યુ થયું હતું. ત્રીજા ભાઈએ તેના બીજા ભાઈઓની જેમ કર્યું. પરંતુ તેને પણ કોઈ સંતાન નહોતું અને પાછળથી તેનું મૃત્યુ થયું. 22છેવટે સાતેય ભાઈઓએ એક પછી એક તે સ્ત્રી સાથે લગ્ન કર્યા, પરંતુ કોઈને સંતાન નહોતું અને એક પછી એક તેઓ મૃત્યુ પામ્યા. બાદમાં મહિલાનું પણ મોત થયું હતું. 23તેથી, જો કેટલાક લોકો જે કહે છે તે સાચું હોય, કે લોકો મૃત્યુ પામ્યા પછી ફરીથી જીવતા થશે, તો તમે શું વિચારો છો કે જ્યારે લોકો ફરીથી જીવશે ત્યારે તે સ્ત્રી કોની પત્ની હશે? ધ્યાનમાં રાખો કે તેણીએ સાતેય ભાઈઓ સાથે લગ્ન કર્યા હતા!” 24ઈસુએ તેઓને જવાબ આપ્યો, “તમે ચોક્કસપણે ખોટા છો. તમે નથી જાણતા કે શાસ્ત્ર આ વિષે શું શીખવે છે. તમે લોકોને ફરીથી જીવતા કરવા માટે ઈશ્વરના સામર્થ્યને પણ સમજી શકતા નથી. 25તે સ્ત્રી તે ભાઈઓમાંથી કોઈની પત્ની નહિ બને, કારણ કે જ્યારે લોકો ફરીથી જીવતા થશે, પુરુષોને પત્નીઓ અને સ્ત્રીઓને પતિ હોવાને બદલે, તેઓ સ્વર્ગમાંના દૂતો જેવા હશે. દૂતો લગ્ન કરતા નથી. 26પણ મને લોકોના મૃત્યુ પછી ફરીથી જીવતા થવા વિષે વાત કરવા દો. મૂસાએ જે પુસ્તક લખ્યું છે તેમાં, તેણે મૃત્યુ પામેલા લોકો વિષે કંઈક એવું કહ્યું કે મને ખાતરી છે કે તમે વાંચ્યું હશે. જ્યારે મૂસા સળગતી ઝાડી તરફ જોઈ રહ્યો હતો, ત્યારે ઈશ્વરે તેને કહ્યું, 'હું તે ઈશ્વર છું જેની આરાધના ઇબ્રાહિમ કરે છે અને તે ઈશ્વર છું જેની આરાધના ઇસહાક કરે છે અને તે ઈશ્વર છું જેની આરાધના યાકૂબ કરે છે.' ઈશ્વરે એમ કહ્યું ન હોત જો તેમણે તે માણસોને ફરીથી જીવતા કર્યા ન હોત અને જો તે હજી પણ તેમના ઈશ્વર હોત નહિ. 27હવે તે મૃત લોકો નથી જે ઈશ્વરની આરાધના કરે છે. તે જીવંત લોકો છે જે તેમની આરાધના કરે છે. તેથી જ્યારે તમે કહો છો કે મૃત લોકો ફરીથી જીવિત થતા નથી, તો તમે ખૂબ જ ખોટા છો."
28યહૂદી નિયમો શીખવનાર એક માણસે તેઓની ચર્ચા સાંભળી. તે જાણતો હતો કે ઈસુએ સાદુકીઓના પ્રશ્નનો ખૂબ જ સારી રીતે જવાબ આપ્યો હતો. તેથી તેણે આગળ વધીને ઈસુને પૂછ્યું, “કઈ આજ્ઞા સૌથી મહત્વની છે?” 29ઈસુએ જવાબ આપ્યો, “સૌથી મહત્વની આજ્ઞા આ છે: ‘હે ઇસ્રાએલીઓ, સાંભળો! આપણા પ્રભુ ઈશ્વર, તે જ માત્ર આપણા ઈશ્વર છે. 30તમે જે ઇચ્છો છો અને અનુભવો છો, તમે જે વિચારો છો અને તમે કરો છો તે દરેકમાં તમારે તમારા પ્રભુ ઈશ્વરને પ્રેમ કરવો જોઈએ!' 31પછીની સૌથી મહત્વની આજ્ઞા છે: ‘તમે તમારી આસપાસના લોકોને એટલો જ પ્રેમ કરો જેટલો તમે તમારી જાતને પ્રેમ કરો છો.’ આ બે કરતાં વધુ મહત્વની બીજી કોઈ આજ્ઞા નથી! 32તે માણસે ઈસુને કહ્યું, “ઉપદેશક, તમે સારો જવાબ આપ્યો છે. તમે સાચું કહો છો કે ઈશ્વર એક માત્ર ઈશ્વર છે અને કોઈ અન્ય ઈશ્વર નથી. 33તમે એ પણ સાચું કહ્યું છે કે આપણે ઇચ્છીએ છીએ અને અનુભવીએ છીએ, આપણે જે વિચારીએ છીએ અને જે કરીએ છીએ તે બધામાં આપણે ઈશ્વરને પ્રેમ કરવો જોઈએ. અને તમે સાચું કહ્યું છે કે આપણે જે લોકોના સંપર્કમાં આવીએ છીએ તેઓને એટલો જ પ્રેમ કરવો જોઈએ જેટલો આપણે આપણી જાતને પ્રેમ કરીએ છીએ. અને તમે એ પણ સાચું કહ્યું છે કે અન્ન કે પ્રાણીઓને અર્પણ તરીકે બાળવા અથવા અન્ય બલિદાન આપવા કરતાં આ બાબતો કરવાથી ઈશ્વર વધુ પ્રસન્ન થાય છે.” 34ઈસુને સમજાયું કે આ માણસે સમજદારીથી જવાબ આપ્યો છે. તેથી તેમણે તેને કહ્યું, "હું જાણું છું કે તું ઈશ્વરને તારા પર શાસન કરવા દેવાનો નિર્ણય કરવાની નજીક છે." તે પછી, યહૂદી આગેવાનો તેમને ફસાવવાનો પ્રયાસ કરવા માટે તેમને આવા કોઈ વધુ પ્રશ્નો પૂછતા ભયભીત હતા.
35પછીથી, જ્યારે ઈસુ ભક્તિસ્થાનના વિસ્તારમાં ઉપદેશ આપી રહ્યા હતા, ત્યારે તેમણે લોકોને કહ્યું, “જેઓ યહૂદી નિયમો શીખવે છે તેઓ કેવી રીતે કહે છે - અને તેઓ કહે છે કે તે સાચું છે - કે મસીહા રાજા દાઉદના વંશજ છે? 36પવિત્ર આત્માએ દાઉદને મસીહા વિષે કહેવાનું કારણ આપ્યું, 'ઈશ્વરે મારા પ્રભુને કહ્યું, "અહિ મારી બાજુમાં મારા જમણા હાથે બેસો, જ્યાં હું તમને બીજા બધા કરતા વધુ મહિમાવંત કરું! હું તમારા શત્રુઓને સંપૂર્ણ રીતે હરાવી દઉં ત્યાં સુધી અહિ બેસો!” 37કારણ કે દાઉદ પોતે મસીહાને 'મારા ઈશ્વર' કહે છે, તો મસીહા રાજા દાઉદના પુત્રમાંથી કેવી રીતે હોઈ શકે? તે દાઉદ કરતાં મહાન હોવા જોઈએ!" જેમ તેમણે આ બાબતો શીખવી તેમ ઘણાં લોકોએ આનંદસહિત સાંભળી.
38જ્યારે ઈસુ લોકોને શીખવતા હતા, ત્યારે તેમણે તેઓને કહ્યું, “સાવધાન રહો કે તમે આપણા યહૂદી નિયમો શીખવનારા માણસોની જેમ વર્તશો નહિ. તેઓને લોકો તેમનું સન્માન કરે તે પસંદ કરે છે, તેથી તેઓ લાંબા ઝભ્ભા પહેરે છે અને લોકોને બતાવવા માટે ફરે છે કે તેઓ કેટલા મહત્વપૂર્ણ છે. બજારોમાં લોકો તેમનું સન્માનપૂર્વક સ્વાગત કરે તે પણ તેઓને ગમે છે. 39તેઓને યહૂદીઓની સભાની સૌથી મહત્ત્વની બેઠકો પર બેસવાનું ગમે છે. તહેવારોમાં, તેઓને એ બેઠક પર બેસવાનું ગમે છે જ્યાં સૌથી વધુ સન્માનિત લોકો બેસે છે. 40તેઓ વિધવાઓની બધી સંપત્તિ પણ ચોરી લે છે. પરંતુ અન્ય લોકો તેઓને ન્યાયી હોવાનું વિચારે માટે, તેઓ લાંબા સમય સુધી જાહેરમાં પ્રાર્થના કરે છે. ઈશ્વર ચોક્કસપણે તેઓને સખત સજા કરશે!”
41પછી, ઈસુ ભક્તિસ્થાનના વિસ્તારમાં તે પેટીઓની સામે બેઠા કે જેમાં લોકો ઈશ્વર માટે અર્પણો મૂકે છે. જ્યારે તે ત્યાં બેઠા હતા, તેમણે જોયું કે ઘણા લોકો પેટીઓમાંથી એક પેટીમાં પૈસા મૂકતા હતા, અને તેમણે જોયું કે ઘણા શ્રીમંત લોકો મોટી માત્રામાં પૈસા મૂકતા હતા. 42પછી એક ગરીબ વિધવા તેઓની સાથે આવી અને બે નાના તાંબાના સિક્કામાં મૂક્યા, જે એક સાથે એક રોમન ચતુર્થાંશના મૂલ્યમાં સમાન છે. 43-44ઈસુએ પોતાના શિષ્યોને પોતાની આસપાસ ભેગા કર્યા અને તેઓને કહ્યું, “સત્ય એ છે કે તે અન્ય લોકો પાસે ઘણા પૈસા છે, પરંતુ તેઓએ તેનો થોડો જ ભાગ આપ્યો છે. પરંતુ આ મહિલા, જે ખૂબ જ ગરીબ છે, તેને જે વસ્તુઓની જરૂર હતી તેના માટે જે પૈસા તેણે ચૂકવવાના હતા તે બધા તેણીએ આજે મૂકી દીધા છે. તેથી આ ગરીબ વિધવાએ બીજા બધા કરતાં વધુ પૈસા પેટીમાં મૂક્યા છે!”
131જ્યારે ઈસુ ભક્તિસ્થાનમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે તેમના એક શિષ્યએ તેમને કહ્યું, "ઉપદેશક, જુઓ કે દિવાલોમાં પથ્થરના આ વિશાળ કાપેલા ખંડ કેટલા અદ્દભુત છે અને આ ઇમારતો કેટલી અદ્દભુત છે!" 2ઈસુએ તેને કહ્યું, "હા, આ ઇમારતો જે તમે જોઈ રહ્યા છો તે અદ્દભુત છે, પરંતુ હું તમને તેમના વિષે કંઈક કહેવા માંગુ છું. વિદેશી આક્રમણકારો તેમનો સંપૂર્ણ નાશ કરશે, પરિણામે અહિ આ ભક્તિસ્થાન વિસ્તારમાં એક પણ પથ્થર બીજા પથ્થરની ઉપર રહેશે નહિ.”
3તેઓ ભક્તિસ્થાનમાંથી ખીણની પેલે પાર જૈતૂનના પહાડ પર પહોંચ્યા પછી, ઈસુ બેઠા. જ્યારે પિતર, યાકૂબ, યોહાન અને આંદ્રીયા તેમની સાથે એકલા હતા, ત્યારે તેઓએ તેમને પૂછ્યું, 4“અમને કહો, આ બાબતો, જેનું આયોજન ઈશ્વરે કર્યું છે તે ક્યારે બનશે? આ બાબતો બનવા જઈ રહી છે તે દર્શાવવા માટે શું થશે?” 5ઈસુએ તેઓને જવાબ આપ્યો, “સાવધાન રહો કે જે થવાનું છે તેના વિષે કોઈ તમને છેતરે નહિ! 6ઘણા લોકો આવશે, અને દરેક હું હોવાનો દાવો કરશે. દરેક પોતાના વિષે કહેશે, ‘હું મસીહા છું!’ તેઓ ઘણા લોકોને છેતરશે. 7જ્યારે પણ લોકો તમને યુદ્ધો અને જે યુદ્ધો થઈ શકે છે તે વિષે કહે છે, ત્યારે તમારી જાતને પરેશાન ન થવા દો. આ બાબતો ચોક્કસપણે થશે. પરંતુ જ્યારે તેઓ થાય છે, ત્યારે એવું ન વિચારો કે તે વિશ્વનો અંત છે! 8વિવિધ દેશોમાં રહેતા જૂથો એકબીજા સાથે લડશે, અને વિવિધ સરકારો એકબીજા સાથે લડશે. વિવિધ સ્થળોએ ધરતીકંપો પણ આવશે, અને ત્યાં દુકાળો પડશે. તેમ છતાં, જ્યારે આ વસ્તુઓ થાય છે, ત્યારે લોકોએ ફક્ત દુઃખ સહન કરવાનું શરૂ કર્યું હશે. આ પ્રથમ બાબતો જે તેઓ સહન કરે છે તે પ્રથમ પીડા જેવી હશે જે એક સ્ત્રીને સહન કરવી પડે છે જે બાળકને જન્મ આપવાની છે. ત્યારપછી તેઓ વધુ દુઃખો સહન કરશે.
9તે સમયે લોકો તમારી સાથે શું કરશે તે માટે તૈયાર રહો. કારણ કે તમે મારામાં વિશ્વાસ કરો છો, તેઓ તમારી ધરપકડ કરશે અને ધાર્મિક પરિષદો સમક્ષ તમારી સુનાવણી કરશે. યહૂદી સભા સ્થળે, અન્ય લોકો તમને મારશે. ઉચ્ચ સરકારી અધિકારીઓની હાજરીમાં લોકો તમારી પર મુકદમા ચલાવશે. પરિણામે, તમે તેમને મારા વિષે કહી શકશો. 10ઈશ્વરે જે આયોજન કર્યું છે તે બધું પૂરું કરે તે પહેલાં મારા અનુયાયીઓ બધા દેશોમાં લોકોને શુભસંદેશ જાહેર કરવાનો રહેશે. 11જ્યારે લોકો તમારી સામે કાર્યવાહી કરવા માટે તમારી ધરપકડ કરે છે, ત્યારે તમે શું કહેશો તેની ચિંતા કરશો નહિ. તેના બદલે, તે સમયે ઈશ્વર તમારા મનમાં શું મૂકે છે તે કહો. પછી એ તમે જ હશો જે બોલતા હશો નહિ. તે પવિત્ર આત્મા હશે જે તમારા દ્વારા બોલશે. 12કેટલાક ભાઈ-બહેનો બીજા ભાઈ-બહેનો સાથે દગો કરશે. કેટલાક માતા-પિતાઓ તેમના બાળકોને દગો કરશે. કેટલાક બાળકો તેમના માતાપિતાઓને દગો આપશે જેથી સરકારી અધિકારીઓ તેમના માતાપિતાઓને મારી નાખે. 13ઘણા લોકો તમને ધિક્કારશે કારણ કે તમે મારામાં વિશ્વાસ કરો છો. પરંતુ તમારું જીવન સમાપ્ત થાય ત્યાં સુધી ઈશ્વર તમને સર્વને બચાવશે જેઓ મારામાં દૃઢપણે વિશ્વાસ રાખે છે.
14તે દરમિયાન ઘૃણાસ્પદ વસ્તુ ભક્તિસ્થાનમાં પ્રવેશ કરશે. તે ભક્તિસ્થાનને અશુદ્ધ કરશે અને લોકો તેને ત્યજી દે તેનું કારણ બનશે. જ્યારે તમે તેને જોશો જ્યાં તે ન હોવું જોઈએ, તમારે ઝડપથી ભાગી જવું જોઈએ! (આ વાંચનાર દરેક વ્યક્તિ આ ચેતવણી પર ધ્યાન આપે!) તે સમયે જે લોકો યહૂદિયાના જિલ્લામાં છે તેઓએ ઉંચી ટેકરીઓ પર નાસી જવું જોઈએ. 15જે લોકો તેમના ઘરની બહાર હોય તેઓએ કંઈપણ મેળવવા માટે તેમના ઘરમાં પ્રવેશ કરવો જોઈએ નહિ. 16જેઓ ખેતરમાં કામ કરી રહ્યા છે તેઓએ વધારાના કપડાં મેળવવા માટે તેમના ઘરે પાછા જવું જોઈએ નહિ. 17જ્યારે આવું થાય, ત્યારે સગર્ભા સ્ત્રીઓ માટે અને જેઓ તેમના બાળકોને સ્તનપાન કરાવે છે તેમના માટે તે કેટલું ભયંકર હશે. 18-19તે દિવસોમાં લોકો ખૂબ જ સખત પીડાશે. ઈશ્વરે પ્રથમ વિશ્વ બનાવ્યું ત્યારથી અત્યાર સુધી લોકોએ ક્યારેય એવું દુઃખ સહન કર્યું નથી, અને લોકો ફરીથી એ રીતે દુઃખ થશે નહિ. તેથી પ્રાર્થના કરો કે આ પીડાદાયક સમય શિયાળામાં ન થાય, જ્યારે મુસાફરી કરવી મુશ્કેલ હશે. 20જો ઈશ્વરે નક્કી કર્યું ન હોત કે જ્યારે લોકો આટલું દુઃખ સહન કરે છે ત્યારે તે એ સમયને ટૂંકો કરે, તો દરેક જણ મૃત્યું પામત. પરંતુ તેમણે તે સમય ઘટાડવાનો નિર્ણય કર્યો છે કારણ કે તેમણે જે લોકોને પસંદ કર્યા છે તેઓની તેમને ચિંતા છે. 21-22તે સમયે લોકો ખોટી રીતે કહેશે કે તેઓ મસીહા છે. અને કેટલાક ઈશ્વર તરફથી પ્રબોધકો હોવાનો દાવો કરતા દેખાશે. પછી તેઓ અનેક પ્રકારના ચમત્કારો કરશે. તેઓ એવા લોકોને પણ છેતરવાનો પ્રયત્ન કરશે જેમને ઈશ્વરે પસંદ કર્યા છે. તેથી તે સમયે જો કોઈ તમને કહે, ‘જુઓ, અહિ મસીહા છે!’, અથવા જો કોઈ કહે, ‘જુઓ, તે ત્યાં છે!’, તો માનશો નહિ! 23સાવધાન રહો! યાદ રાખો કે આ બધું થાય તે પહેલાં મેં તમને ચેતવણી આપી છે!
24જ્યારે લોકો એ રીતે દુઃખ ભોગવે તે સમય પછી, ઈશ્વર સૂર્યને અંધકારમય કરી દેશે અને ચંદ્ર ચમકશે નહિ; 25ઈશ્વર આકાશમાંથી તારાઓને નીચે પાડી દેશે અને આકાશમાંની બધી વસ્તુઓને તેમના સ્થાનેથી હલાવી દેશે. 26પછી લોકો મને, માણસના પુત્રને, શક્તિશાળી અને ભવ્યતાથી વાદળોમાં આવતા જોશે. 27પછી હું મારા દૂતોને મોકલીશ જેથી તેઓ એવા લોકોને ભેગા કરી શકે જેમને ઈશ્વરે દરેક જગ્યાએથી, પૃથ્વી પરના સૌથી દૂરના સ્થળોએથી પસંદ કર્યા છે.
28હવે હું ઈચ્છું છું કે તમે અંજીરના ઝાડ કેવી રીતે ઉગે છે તેમાંથી કંઈક શીખો. જ્યારે તેમની ડાળીઓ કોમળ થઈ જાય છે અને તેમના પાંદડા ફૂટવા લાગે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો લગભગ આવી ગયો છે. 29તેવી જ રીતે, જ્યારે તમે જોશો કે મેં હમણાં જે વર્ણવ્યું છે તે થઈ રહ્યું છે, ત્યારે તમે પોતે જ જાણશો કે મારા પાછા ફરવાનો સમય ખૂબ નજીક છે. એ એવું હશે કે હું પહેલેથી દરવાજા આગળ જ છું. 30આને ધ્યાનમાં રાખો: જ્યાં સુધી આ દરેક બાબત ન થાય ત્યાં સુધી આ પેઢી મૃત્યુ પામશે નહિ. 31તમે ખાતરી રાખી શકો છો કે આ બાબતો જેની મેં ભવિષ્યવાણી કરી છે તે થશે જ. પૃથ્વી અને આકાશમાં જે છે તે એક દિવસ નાશ પામશે, પરંતુ આ બાબતો જે મેં તમને કહી છે તે ચોક્કસપણે થશે જ. 32પણ હું ક્યારે પાછો આવીશ એનો ચોક્કસ સમય કોઈને ખબર નથી. સ્વર્ગના દૂતો પણ જાણતા નથી. હું પણ, ઈશ્વરનો પુત્ર, જાણતો નથી. ફક્ત મારા પિતા જ જાણે છે. 33તો તૈયાર રહો! હંમેશા સજાગ રહો અને પ્રાર્થના કરતા રહો, કારણ કે તે સમય ક્યારે આવશે અને તે બીનાઓ ક્યારે બનશે તે વિષે તે તમે જાણતા નથી! 34તે આના જેવું સમાન જ હશે. જ્યારે કોઈ માણસ જે એક દૂરના સ્થળે જવા મુસાફરી કરવા માંગે છે, તે ઘર છોડવા જઈ રહ્યો છે ત્યારે, તે તેના ચાકરોને કહે છે કે તેઓ ઘરનું સંચાલન કરે. તે દરેકને કહે છે કે તેણે શું કરવું જોઈએ. પછી તે દ્વારપાલને તેના પરત આવવા માટે તૈયાર રહેવા કહે છે. 35તે માણસે હંમેશા તૈયાર રહેવું જોઈએ, કારણ કે તે જાણતો નથી કે તેનો માલિક સાંજે, મધ્યરાત્રિએ, જ્યારે પરોઢિયે કૂકડો બોલશે ત્યારે અથવા આકાશમાં સૂર્યનો પ્રકાશ દેખાય ત્યાર પછી સવારે પાછો આવશે. તેવી જ રીતે, તમારે પણ હંમેશા તૈયાર રહેવું જોઈએ, કારણ કે તમે જાણતા નથી કે હું ક્યારે પાછો આવીશ. 36એમ બને નહિ કે જ્યારે હું અચાનક આવું, ત્યારે મને ખબર પડે કે તમે તૈયાર નથી! 37આ શબ્દો જે હું તમને, તાલીમાર્થીઓને કહું છું, હું દરેકને કહું છું: હંમેશા તૈયાર રહો!”
141લોકોએ પાસ્ખાપર્વ તરીકે ઓળખાતા અઠવાડિયા-લાંબા તહેવારની ઉજવણી કરવાનું શરૂ કર્યું તેના બે દિવસ પહેલાં જ. તે દિવસો દરમિયાન તેઓએ તહેવાર પણ ઉજવ્યો જેને તેઓ બેખમીર રોટલીનો તહેવાર કહે છે. મુખ્ય યાજકો અને યહૂદી કાયદાઓ શીખવનારા માણસો કેવી રીતે ઈસુને કપટથી પકડી શકે તેની યોજના ઘડી રહ્યા હતા. તેઓ રોમન અધિકારીઓની સામે તેમના પર આરોપ મૂકવા માંગતા હતા જેથી તેઓ તેમને મૃત્યુદંડ આપે. 2તેઓ એકબીજાને કહેતા હતા, "આપણે ઉજવણી દરમિયાન તેમ કરવું ન જોઈએ કારણ કે જો આપણે એમ કરીશું, તો લોકો આપણાથી ખૂબ ગુસ્સે થશે અને હંગામો કરશે!"
3ઈસુ બેથનિયા ગામમાં, સિમોનના ઘરે મહેમાન હતા, જેને અગાઉ રક્તપિત્ત હતો. તેઓ જમતા હતા ત્યારે એક સ્ત્રી તેમની પાસે આવી. તેણીએ એક પથ્થરની બરણી ઉચકી હતી જેમાં એક મોંઘું, સુગંધિત અત્તર હતું જે ખૂબ જ ખર્ચાળ, શુદ્ધ જટામાંસીથી બનેલું હતું. તેણીએ બરણી ખોલી અને પછી તમામ સુગંધિત અત્તર ઈસુના માથા પર રેડ્યું. 4ત્યાં હાજર રહેલા કેટલાક લોકો ગુસ્સે થઈ ગયા અને તેઓએ મનમાં કહ્યું, “તેણે તે સુગંધિત અત્તર વેડફ્યો તે ભયંકર છે! 5તે એક વર્ષના વેતન દ્વારા વેચી શકાયું હોત, અને પછી પૈસા ગરીબ લોકોને આપી શકાયા હોત!” તેઓએ તેણીને ઠપકો આપ્યો. 6પણ ઈસુએ કહ્યું, “તેને ઠપકો આપવાનું બંધ કરો! તેણીએ મારી સાથે તે કર્યું છે જે હું ખૂબ જ યોગ્ય માનું છું. તેથી તમારે તેણીને પરેશાન કરવી જોઈએ નહિ! 7ગરીબ લોકો તમારી વચ્ચે હંમેશા રહેશે. જેથી તમે જ્યારે ઈચ્છો ત્યારે તેમને મદદ કરી શકો. પણ હું અહિ તમારી સાથે વધુ સમય રહિશ નહિ. 8તે યોગ્ય છે કે જે કરવા તે સક્ષમ હતી એ તેણીએ કર્યું છે. એ તે પ્રમાણે છે જાણે કે તેણી જાણતી હતી કે હું ટૂંક સમયમાં મૃત્યુ પામવાનો છું અને તેઓ દફનાવી શકે માટે તેણીએ મારા શરીરનો અભિષેક કર્યો છે. 9હું તમને આ કહીશ: જ્યાં પણ મારા અનુયાયીઓ વિશ્વભરમાં સુવાર્તાનો પ્રચાર કરશે, ત્યાં તેઓ એ પણ કહેશે કે તેણીએ શું કર્યું છે, અને લોકો તેણીને યાદ કરશે."
10પછી યહૂદા ઇશ્કારિયોત મુખ્ય યાજકો પાસે ગયો અને ઈસુને પકડવામાં તેઓને મદદ કરવા વિષે વાત કરી. તે ૧૨ તાલીમાર્થીઓમાંથી એક હતો તેમ છતાં તેણે એમ કર્યું . 11જ્યારે મુખ્ય યાજકોએ સાંભળ્યું કે તે તેમના માટે શું કરવા તૈયાર છે, ત્યારે તેઓ ખૂબ ખુશ થયા. તેઓએ વચન આપ્યું હતું કે તેઓ તેને બદલામાં પૈસા આપશે. યહૂદા સંમત થયો અને ઈસુને તેઓને સોંપવાની તક શોધવા લાગ્યો.
12ઉજવણીના પ્રથમ દિવસે જેને તેઓ બેખમીર રોટલી કહે છે, જ્યારે તેઓ પાસ્ખાપર્વ માટે ઘેટાંઓને મારી નાખે છે, ત્યારે ઈસુના શિષ્યોએ તેમને કહ્યું, "અમે ક્યાં જઈને પાસ્ખાપર્વની ઉજવણી માટે ભોજન તૈયાર કરીએ કે જેથી આપણે તે ખાઈ શકીએ?" 13તેથી ઈસુએ બધું તૈયાર કરવા માટે તેમના બે શિષ્યોને પસંદ કર્યા. તેમણે તેઓને કહ્યું, “યરૂશાલેમ શહેરમાં જાઓ. તમે એક માણસને મળશો જે પાણીથી ભરેલ મોટો ઘડો લઈને આવશે. તેની પાછળ જજો. 14જ્યારે તે ઘરમાં પ્રવેશ કરે, ત્યારે તે ઘરની માલિકી ધરાવનાર માણસને કહેજો કે, ‘અમારા ઉપદેશક ઇચ્છે છે કે અમે પાસ્ખાપર્વની ઉજવણીનું ભોજન તૈયાર કરીએ કે જેથી તે તેમના શિષ્યો, અમારી સાથે ખાઈ શકે. મહેરબાની કરીને અમને ઓરડી બતાવો.' 15તે તમને એક મોટો ઓરડો બતાવશે જે ઘરના ઉપરના માળે છે. તેમાં જાજમ, જમવા માટેની પથારીઓ, જમવા માટેની મેજ હશે, અને ત્યાં આપણે ભોજન ખાઈ શકીએ માટે તે તૈયાર હશે. પછી આપણા માટે ત્યાં ભોજન તૈયાર કરો.” 16તેથી બે શિષ્યો ચાલ્યા ગયા. તેઓ શહેરમાં ગયા અને તેમણે તેઓને કહ્યું હતું બધું તેમ જ જણાયું. પછી તેઓએ પાસ્ખાપર્વની ઉજવણી માટે ભોજન તૈયાર કર્યું. 17જ્યારે સાંજ પડી ત્યારે, ઈસુ ૧૨ તાલીમાર્થીઓ સાથે તે ઘરે પહોંચ્યા.
18જ્યારે તેઓ બધા મેજની બાજુમાં અઢેલીને બેઠા હતા અને જમતા હતા, ત્યારે ઈસુએ કહ્યું, "આ ધ્યાનથી સાંભળો: તમારામાંથી એક મારા દુશ્મનોને મારી ધરપકડ કરવા સક્ષમ બનાવશે. તે તમારામાંથી એક છે જે અત્યારે મારી સાથે જમી રહ્યો છે!” 19શિષ્યો ખૂબ જ દુઃખી થયા, અને દરેકે એક પછી એક ઈસુને કહ્યું, "ખરેખર, તે હું નથી ને જે તમને દગો આપીશ, ખરું ને?" 20પછી તેમણે તેઓને કહ્યું, “તે તમારા ૧૨ તાલીમાર્થીઓમાંથી એક છે, જે મારી સાથે થાળીમાં ચટણીમાં રોટી બોળી રહ્યો છે. 21તે નિશ્ચિત છે કે હું, માણસનો પુત્ર, મૃત્યુ પામીશ, કારણ કે એ જ પ્રમાણે મારા વિષે પ્રબોધકોએ લખ્યું છે. પણ જે માણસ મારા શત્રુઓને મને પકડવામાં મદદ કરશે તેના માટે ભયંકર સજા થશે! હકીકતમાં, તે માણસ માટે તે વધુ સારું હોત જો તે ક્યારેય જન્મ્યો જ ના હોત!”
22જ્યારે તેઓ જમી રહ્યા હતા, ત્યારે તેમણે એક અખંડ રોટલી લીધી અને તેના માટે ઈશ્વરનો આભાર માન્યો. પછી તેમણે તેના ટુકડા કર્યા અને તેઓને આપ્યા અને તેઓને કહ્યું, “આ રોટલી મારું શરીર છે. તે લો અને ખાઓ.” 23પછીથી, તેમણે એક પ્યાલો લીધો જેમાં દ્રાક્ષારસ હતો અને તેના માટે ઈશ્વરનો આભાર માન્યો. પછી તેમણે તે તેમના શિષ્યોને આપ્યો, અને તે સર્વએ કપમાંથી પીધું. 24ઈસુએ તેમના શિષ્યોને કહ્યું, “આ દ્રાક્ષારસ મારું લોહી છે, જે મારા શત્રુઓ મને મારી નાખશે ત્યારે મારા શરીરમાંથી વહેવાનું છે. આ લોહીથી હું એ કરારની પુષ્ટિ કરીશ કે જે ઈશ્વરે ઘણા લોકોના પાપોની માફી માટે કર્યો છે. 25હું ઇચ્છું છું કે તમે આ જાણો: જ્યાં સુધી ઈશ્વર સર્વત્ર રાજા તરીકે શાસન કરે નહિ ત્યાં સુધી, હું દ્રાક્ષારસ પીશ નહિ, હું તેને થોડો ઘણો પણ ફરીથી પીશ નહિ." 26તેઓએ ઈશ્વરની સ્તુતિ કરતું ગીત ગાયું તે પછી, ઈસુ અને તેમના તાલીમાર્થીઓ બહાર, જૈતૂનના પહાડ તરફ ગયા.
27તેઓ તેમના માર્ગમાં હતા ત્યારે, ઈસુએ પોતાના તાલીમાર્થીઓને કહ્યું, “ઝખાર્યા પ્રબોધકે શાસ્ત્રોમાં લખ્યું છે કે ઈશ્વરે મારા વિષે કહ્યું છે, ‘હું ઘેટાંપાળકને મારી નાખીશ અને તેના ઘેટાં વિખેરાઈ જશે.’ એ શબ્દો સાચા પડશે. તમે બધા મને ત્યજીને ભાગી જશો. 28પણ ઈશ્વરે મને ફરીથી જીવિત કર્યા પછી, હું તમારી આગળ ગાલીલ જિલ્લામાં જઈશ અને ત્યાં તમને મળીશ.” 29પિતરે ઈસુને કહ્યું, “કદાચ બીજા બધા તાલીમાર્થીઓ તમને ત્યજી દેશે, પણ હું નહિ! હું તમને ત્યજી દઈશ નહિ!” 30પછી ઈસુએ પિતરને કહ્યું, “સાચું એ છે કે આ જ રાત્રે, કૂકડો બે વાર બોલે તે પહેલાં, તું પોતે મારા વિષે ત્રણ વાર કહેશે કે તું મને ઓળખતો નથી.” 31પરંતુ પિતરે દ્રઢતાથી જવાબ આપ્યો, "ભલે તેઓ મને મારી નાખે, તો પણ હું ક્યારેય કહીશ નહિ કે હું તમને ઓળખતો નથી." અને બીજા બધા તાલીમાર્થીઓએ પણ એમ જ કહ્યું.
32ઈસુ અને તેમના તાલીમાર્થીઓ એ જગ્યાએ ગયા જેને લોકો ગેથશેમાને કહે છે. ઈસુએ તેમના કેટલાક શિષ્યોને કહ્યું, "હું પ્રાર્થના કરું ત્યાં સુધી અહિ રહો!" 33તે પિતર, યાકૂબ અને યોહાનને પોતાની સાથે લઈ ગયા. ઈસુ અત્યંત ભાવનાત્મક રીતે વ્યથિત થઈ ગયા. 34તેમણે તેઓને કહ્યું, “હું ખૂબ જ દુઃખી છું. જાણે કે હું મરવાનો જ છું એ રીતે. તમે માણસો અહિ જ રહો અને સતર્કતા જાળવો!” 35ઈસુ થોડે દૂર ગયા અને પોતાને જમીન પર ફેંકી દીધા. પછી તેમણે પ્રાર્થના કરી કે જો શક્ય હોય તો, તેમણે દુઃખ સહન કરવું પડે નહિ. 36તેમણે કહ્યું, “હે મારા પિતા, તમે બધું જ કરવા સક્ષમ છો, તેથી મને બચાવો જેથી હવે મારે દુઃખ સહન ન કરવું પડે! પણ હું જે ઈચ્છું છું તે ન કરો. તેના બદલે, તમે જે ઇચ્છો તે કરો!" 37પછી ઈસુ ત્યાં પાછા ફર્યા જ્યાં તેમણે પિતર, યાકૂબ અને યોહાનને રહેવાનું કહ્યું હતું. તેમણે આ તાલીમાર્થીઓને સૂતેલા જોયા. તેમણે તેઓને જગાડ્યા અને પિતરને, જે સિમોન પણ કહેવાતો હતો, કહ્યું, “સિમોન! હું નિરાશ છું કે તું ઊંઘી ગયો છે અને તું થોડા સમય માટે પણ જાગૃત રહી શક્યો નથી!” 38અને ઈસુએ તેઓને કહ્યું, “હું જે કહું તે તમે કરવા માંગો છો, પણ તમે એટલા મજબૂત નથી. જાગતા રહો અને પ્રાર્થના કરો જેથી જ્યારે તમારું પરીક્ષણ થાય ત્યારે તમે તેનો પ્રતિકાર કરી શકો!” 39પછી તે ફરીથી ગયા અને તેમણે જે પ્રાર્થના પહેલા કરી હતી તે પ્રાર્થના ફરીથી કરી. 40જ્યારે ઈસુ પાછા ફર્યા, ત્યારે તેમણે જોયું કે તેઓ ફરીથી ઊંઘી રહ્યા છે; તેઓ એટલા ઊંઘમાં હતા કે તેઓ તેમની આંખો ખુલ્લી રાખી શકતા ન હતા. કારણ કે તેઓ લજ્જિત હતા, તેઓ જાણતા ન હતા કે જ્યારે તેમણે તેઓને જગાડ્યા ત્યારે તેમને શું કહેવું. 41પછી ઈસુ ગયા અને ફરી એક વાર પ્રાર્થના કરી. તે ત્રીજી વાર પાછા ફર્યા અને તેઓને ફરીથી ઊંઘતા જોયા. તેમણે તેઓને કહ્યું, “હું નિરાશ છું કે તમે ફરીથી ઊંઘી ગયા છો! તમે પૂરતી ઊંઘ લીધી છે. મારા માટે દુઃખ સહન કરવાનો સમય શરૂ થવાનો છે. જુઓ! કોઈ વ્યક્તિ મને, માણસના પુત્રને પકડવા માટે પાપી માણસોને સક્ષમ કરશે. 42તો ઉઠો! આવો આપણે જઈએ! જુઓ! અહિ તે આવે છે જે તેમને મને પકડવા સક્ષમ બનાવી રહ્યો છે!”
43જ્યારે તે હજી બોલી રહ્યા હતા, યહૂદા ત્યાં આવ્યો. જો કે તે ઈસુના ૧૨ તાલીમાર્થીઓમાંથી એક હતો, તે ઈસુના દુશ્મનોને તેમને પકડવા સક્ષમ બનાવવા આવ્યો હતો. તલવારો અને લાકડીઓ ધરાવતું ટોળું તેની સાથે હતું. યહૂદી પરિષદના આગેવાનોએ તેઓને મોકલ્યા હતા. 44યહૂદા, જે ઈસુના દુશ્મનોને તેમને પકડવામાં મદદ કરી રહ્યો હતો, તેણે અગાઉ આ ટોળાને કહ્યું હતું, “હું જેને ચુંબન કરું તે એ છે જેને તમે ઈચ્છો છો. જ્યારે હું તેમને ચુંબન કરું, ત્યારે તેમની ધરપકડ કરો જ્યાં તમે તેમના પર સાવચેતીપૂર્વક પહેરો રાખો અને તેમને દૂર લઈ જાઓ. 45તેથી, જ્યારે યહૂદા આવ્યો, ત્યારે તે તરત જ ઈસુની પાસે ગયો અને કહ્યું, "મારા ગુરુજી!" પછી તેણે ઈસુને ચુંબન કર્યું. 46પછી ટોળાએ ઈસુને પકડ્યા અને તેમની ધરપકડ કરી. 47પરંતુ નજીકમાં ઊભેલા તેના એક તાલીમાર્થીએ તેની તલવાર કાઢી. તેણે તેના દ્વારા પ્રમુખ યાજકના ચાકરને માર્યો, પરંતુ તેણે ફક્ત નોકરનો કાન જ કાપી નાખ્યો. 48ઈસુએ તેઓને કહ્યું, “તે આશ્ચર્યજનક છે કે તમે તલવારો અને લાકડીઓ સાથે મને પકડવા અહિ આવ્યા છો, જાણે હું કોઈ ડાકુ હોઉં. 49ઘણા દિવસો સુધી હું તમારી સાથે ભક્તિસ્થાનના પ્રાંગણમાં લોકોને શિક્ષણ આપતો હતો. ત્યારે તમે મારી ધરપકડ કરવાનો પ્રયાસ કેમ ન કર્યો? પણ આ એટલા માટે થઈ રહ્યું છે કે પ્રબોધકોએ મારા વિષે શાસ્ત્રોમાં જે લખ્યું છે તે થાય.” 50પછી ઈસુના બધા તાલીમાર્થીઓઓ તેમને ત્યજીને ભાગી ગયા. 51તે સમયે, એક યુવાન ઈસુની પાછળ આવતો હતો. તેણે તેના શરીરની આસપાસ માત્ર શણનું કપડું પહેર્યું હતું. ટોળાએ યુવકને પકડી લીધો, 52પરંતુ, જ્યારે તે તેમની પાસેથી દૂર ગયો, ત્યારે તેણે શણનું કપડું તેમના હાથમાં છોડી દીધું, અને પછી તે નગ્ન થઈને ભાગી ગયો.
53જે માણસોએ ઈસુને પકડ્યો હતો તેઓ તેને તે ઘરમાં લઈ ગયા જ્યાં પ્રમુખ યાજક રહેતા હતા. યહૂદી મંડળના બધા લોકો ત્યાં ભેગા થયા હતા. 54પિતર થોડા અંતરે ઈસુની પાછળ ગયો. તે ઘરના આંગણામાં ગયો જ્યાં પ્રમુખ યાજક રહેતો હતો, અને ત્યાં તે માણસો સાથે બેઠો જેઓ પ્રમુખ યાજકના ઘરની રક્ષા કરતા હતા. તે આગની બાજુમાં પોતાને હૂંફ પમાડી રહ્યો હતો. 55મુખ્ય યાજકો અને યહૂદી મંડળના બાકીના સભ્યોએ એવા લોકોને શોધવાનો પ્રયત્ન કર્યો કે જેઓ ઈસુ વિષે જૂઠું બોલે જેથી તેઓ રોમન અધિકારીઓને તેમને મૃત્યુદંડ આપવા માટે સમજાવી શકે. તેઓ સફળ થયા નહિ. 56ઘણા લોકોએ ઈસુ વિષે જૂઠું બોલ્યા, પરંતુ તેઓએ કરેલા નિવેદનો એકબીજા સાથે સહમત ન હતા. 57છેવટે, કેટલાક લોકો ઉભા થયા અને ઈસુ પર ખોટો આરોપ લગાવીને કહ્યું, 58"અમે તેને સાંભળ્યો જ્યારે તેણે કહ્યું, 'હું આ ભક્તિસ્થાનને નષ્ટ કરીશ જે માણસોએ બાંધ્યું હતું, અને પછી ત્રણ દિવસમાં હું કોઈની મદદ વિના બીજું ભક્તિસ્થાન બનાવીશ.' 59પરંતુ આમાંના કેટલાક માણસોએ જે કહ્યું તે તેમાંથી અન્ય લોકોના કહેવા સાથે સહમત ન હતું.
60પછી પ્રમુખ યાજક પોતે તેઓની સામે ઊભો થયો અને ઈસુને કહ્યું, “તેઓએ જે કહ્યું છે તેનો શું તું જવાબ આપવાનો નથી? તારા પર આરોપ લગાવવા માટે તેઓ જે કહે છે તે બધી બાબતો વિષે તું શું કહે છો?" 61પણ ઈસુ ચૂપ રહ્યા અને કોઈ જવાબ આપ્યો નહિ. પછી પ્રમુખ યાજકે ફરીથી પ્રયત્ન કર્યો. તેણે તેને પૂછ્યું, “શું તું મસીહા છે? શું તું કહે છે કે તું ઈશ્વરના પુત્ર છે?” 62ઈસુએ કહ્યું, “હું છું. તદુપરાંત, તમે મને, માણસના પુત્રને, ઈશ્વરની બાજુમાં શાસન કરતા જોશો, જે સંપૂર્ણ રીતે શક્તિશાળી છે. તમે મને આકાશમાં વાદળોમાંથી નીચે આવતો જોશો!” 63ઈસુના શબ્દોના જવાબમાં, પ્રમુખ યાજકે વિરોધમાં પોતાનું બહારનું વસ્ત્ર ફાડી નાખ્યું, અને પ્રમુખ યાજકે કહ્યું, “આ માણસ વિરુદ્ધ સાક્ષી આપવા માટે આપણને ચોક્કસ કોઈ સાક્ષીની જરૂર નથી! 64તમે તેનો ઈશ્વર હોવાનો નિંદાત્મક દાવો સાંભળ્યો છે!” તેઓ બધા સંમત થયા કે ઈસુ દોષિત છે અને તે મારી નાખવાને લાયક છે. 65પછી તેઓમાંના કેટલાક ઈસુ પર થૂંકવા લાગ્યા. તેઓએ તેમના પર આંખે પટ્ટી બાંધી, અને પછી તેઓ તેમને મારવા લાગ્યા અને તેમને કહેવા લાગ્યા, "જો તું પ્રબોધક છે, તો અમને કહે કે તને કોણે માર્યો!" અને જેઓ ઈસુની રક્ષા કરતા હતા તેઓએ તેમના હાથ વડે તેમને માર્યા.
66જ્યારે પિતર બહાર પ્રમુખ યાજકના ઘરના આંગણામાં હતો, ત્યારે પ્રમુખ યાજક માટે કામ કરતી એક છોકરી તેની પાસે આવી. 67જ્યારે તેણીએ પિતરને આગની બાજુમાં પોતાને હૂંફ આપતો જોયો, ત્યારે તેણીએ તેને નજીદીકીથી નિહાળ્યો. પછી તેણીએ કહ્યું, "તું પણ ઈસુ, તે નાઝરેથ શહેરના માણસ સાથે હતો!" 68પણ પિતરે એમ કહીને તેનો ઇનકાર કર્યો, “તું શું વાત કરે છે તે હું જાણતો નથી કે સમજતો નથી!” પછી તે ત્યાંથી આંગણાના દરવાજા પાસે ગયો. 69કામ કરતી છોકરીએ તેને ત્યાં જોયો અને નજીકમાં ઉભેલા લોકોને ફરીથી કહ્યું, "આ માણસ એ લોકોમાંનો એક છે જેઓ ધરપકડ કરાયેલા માણસની સાથે હતા." 70પરંતુ તેણે ફરીથી તેનો ઇનકાર કર્યો. થોડી વાર પછી, જેઓ ત્યાં ઊભા હતા તેઓએ પિતરને ફરીથી કહ્યું, “તું જે રીતે બોલે છે તે બતાવે છે કે તું પણ ગાલીલ જિલ્લાના છો. તેથી તે ચોક્કસ છે કે તમે ઈસુની સાથે આવેલા માણસોમાંના એક છો!” 71પણ તે બૂમ પાડવા લાગ્યો, “જે માણસ વિષે તમે વાત કરો છો તેને હું ઓળખતો નથી! કેમ કે ઈશ્વર જાણે છે કે હું સાચું બોલું છું, અને જો હું જૂઠું બોલું તો તે મને શિક્ષા કરે!” 72બરાબર એ જ વખતે કૂકડો ફરીથી બોલ્યો. પછી પિતરને યાદ આવ્યું કે ઈસુએ તેને અગાઉ શું કહ્યું હતું. "કૂકડો બીજી વાર બોલે તે પહેલાં, તું ત્રણ વાર ઇનકાર કરીશ કે તું મને ઓળખે છે." જ્યારે પિતરને ખબર પડી કે તેણે ઈસુને ત્રણ વખત નકાર્યા છે, ત્યારે તે ખૂબ જ દુઃખી થયો. પિતર રડી પડ્યો.
151વહેલી સવારે મુખ્ય યાજકો બાકીના યહૂદી મંડળો સાથે મળ્યા, એ નક્કી કરવા કે રોમન રાજ્યપાલ સમક્ષ ઈસુ પર આરોપ કેવી રીતે મૂકવો. તેઓના રક્ષકોએ ફરીથી ઈસુના હાથ બાંધી દીધા. તેઓ તેને રાજ્યપાલ પિલાતના નિવાસસ્થાને લઈ ગયા. 2પિલાતે ઈસુને પૂછ્યું, "શું તું કહે છે કે તું યહૂદીઓનો રાજા છે?" ઈસુએ તેને જવાબ આપ્યો, "તે પોતે જ કહ્યું છે." 3પછી મુખ્ય યાજકોએ દાવો કર્યો કે ઈસુએ ઘણા ખરાબ કામો કર્યા છે. 4તેથી પિલાતે તેમને ફરીથી પૂછ્યું, “શું તારે કંઈ કહેવાનું નથી? સાંભળ કે તેઓ કેટલી ખરાબ વાતો કરે છે કે એ તે કરી છે!” 5પણ ઈસુએ દોષિત ન હોવા છતાં તેમણે વધુ કંઈ કહ્યું નહિ. પરિણામ એ આવ્યું કે પિલાતને ખૂબ જ આશ્ચર્ય થયું.
6હવે દર વર્ષે પાસ્ખાપર્વની ઉજવણી દરમિયાન જેલમાં બંધ એક વ્યક્તિને મુક્ત કરવાનો રિવાજ રાજ્યપાલનો હતો. લોકો જે પણ કેદી વિષે વિનંતી કરે તેને રિવાજ પ્રમાણે તે છોડી દેતો હતો. 7તે સમયે બરબ્બાસ નામનો એક માણસ હતો, જેને સૈનિકોએ બીજા કેટલાક માણસો સાથે જેલમાં પૂર્યો હતો. આ માણસોએ રોમન સરકાર સામે એક બળવા દરમિયાન કેટલાક સૈનિકોની હત્યા કરી હતી. 8એક ટોળું પિલાત પાસે આવ્યું અને તેને કોઈને છોડવા કહ્યું, જેમ કે તેણે અગાઉ કર્યું હતું. 9પિલાતે તેઓને જવાબ આપ્યો, "શું તમે ઈચ્છો છો કે હું તમારા માટે તે માણસને મુક્ત કરું કે જેને તમે યહૂદી લોકો તમારો રાજા કહો છો?" 10તેણે આ પૂછ્યું કારણ કે તેને સમજાયું હતું કે મુખ્ય યાજકો શું કરવા માંગે છે. તેઓ ઈસુ પર આરોપ મૂકતા હતા કારણ કે તેઓ તેમની ઈર્ષ્યા કરતા હતા કારણ કે ઘણા લોકો તેમના શિષ્યો બની રહ્યા હતા. 11પરંતુ મુખ્ય યાજકોએ ભીડને વિનંતી કરી કે પિલાત ઈસુને બદલે તેમના માટે બરબ્બાને મુક્ત કરે. 12ફરી એક વાર, પિલાતે તેઓને કહ્યું, "જો હું બરબ્બાસને છોડી દઉં, તો તમે જે માણસને તમારામાંના કેટલાક યહૂદીઓ કહે છે કે તમારો રાજા છે તેની સાથે તમે શું કરવા માંગો છો?" 13પછી તેઓએ ફરીથી બૂમ પાડી, "તમારા સૈનિકોને તેને વધસ્તંભે જડવાની આજ્ઞા કરો!" 14પછી પિલાતે તેઓને કહ્યું, “શા માટે? તેણે કયો ગુનો કર્યો છે?” પરંતુ તેઓએ વધુ જોરથી બૂમો પાડી, "તમારા સૈનિકોને તેને વધસ્તંભે જડવાની આજ્ઞા કરો!" 15તેથી, કારણ કે પિલાત ભીડને ખુશ કરવા માંગતો હતો, તેણે તેઓ માટે બરબ્બાસને છોડી દીધો. પછી, તેના સૈનિકોએ ઈસુને ચામડાના પટ્ટાઓથી ચાબુક માર્યા પછી, જેમાં તેઓએ ધાતુ અને હાડકાના ટુકડા બાંધ્યા હતા, પિલાતે સૈનિકોને કહ્યું કે ઈસુને વધસ્તંભે જડાવવા લઈ જાઓ.
16પિલાતના સૈનિકો ઈસુને મહેલના આંગણામાં લઈ ગયા જ્યાં પિલાત રહેતો હતો. તે જગ્યા સરકારી મુખ્યાલય હતું. પછી તેઓએ ત્યાં ફરજ પર રહેલા સૈનિકોના આખા જૂથને બોલાવ્યા. 17સૈનિકો ભેગા થયા પછી, તેઓએ ઈસુને એક જાંબલી ઝભ્ભો પહેરાવ્યો. પછી તેઓએ તેના માથા પર એક મુગટ મૂક્યો જે તેઓએ કાંટાળા ઝાડીઓની ડાળીઓમાંથી વણ્યો હતો. તેઓએ તે બાબતો કરી હતી તેમનો ઉપહાસ કરી એમ દેખાડવા કે તેઓએ માન્યું કે તે એક રાજા હતા. 18પછી તેઓએ તેમને નમસ્કાર કર્યા જેમ કે તેઓ રાજાને નમસ્કાર કરે છે, ફરીથી તેમની મજાક ઉડાવવા માટે, "5 15.18 મજાકને સંમતિ આપવા કટાક્ષપૂર્વક કરાતું ઉચ્ચારણ હુરે યહૂદીઓ પર શાસન કરતા રાજા માટે!" 19તેઓએ તેમના માથા પર એક ભારે સોટી વડે વારંવાર પ્રહાર કર્યા અને તેમના પર થૂંક્યા. તેમનું સન્માન કરવાનો ઢોંગ કરવા તેઓ તેમની સામે ઘૂંટણિયે પડ્યા. 20જ્યારે તેઓએ તેમની ઠેકડી ઉડાવી દીધી, ત્યારે તેઓએ જાંબલી ઝભ્ભો ઉતારી દીધો. તેઓએ તેમને તેમના પોતાના કપડાં પહેરાવ્યા, અને પછી તેમને વધસ્તંભ પર ખીલા લગાવી જડી દેવા માટે તેમને શહેરની બહાર લઈ ગયા.
21ઈસુએ પોતાનો વધસ્તંભ થોડે દૂર સુધી ઉઠાવીને ચાલ્યા પછી, કુરેની શહેરમાંથી સિમોન નામનો એક માણસ તેઓને મળ્યો. તે આલેકસાંદર અને રૂફસનો પિતા હતો. તે શહેરની બહારથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. સૈનિકોએ સિમોનને ઈસુ માટે વધસ્તંભ ઉઠાવીને ચાલવાની ફરજ પાડી, કારણ કે ઈસુ તેમની સાથે થયેલા તમામ દુર્વ્યવહારથી નબળા પડી ગયા હતા. 22સૈનિકો બંનેને એક એવી જગ્યાએ લાવ્યા જેને તેઓ ગુલગુથા કહે છે. તે નામનો અર્થ છે, "ખોપરીની જગ્યા." 23પછી તેઓએ ઈસુને દ્રાક્ષારસ પીવડાવવાની કોશિશ કરી જેમાં તેઓએ ગંધરસ નામની દવા ભેળવી હતી, પણ તેમણે તે પીવાની ના પાડી. 24કેટલાક સૈનિકોએ તેમના કપડાં લઈ લીધા. પછી તેઓએ ખીલા મારી તેમને વધસ્તંભ પર જડી દીધા. પછીથી, તેઓએ તેમના માટે પાસા જેવી વસ્તુ વડે જુગાર રમીને તેમના કપડાં એકબીજામાં વહેંચ્યા. તેઓએ દરેકને કયા કપડાંનો ટુકડો મળશે તે નક્કી કરવા માટે આમ કર્યું.
25તેઓએ તેમને વધસ્તંભે જડ્યા ત્યારે સવારના નવ થયા હતા. 26ઈસુના માથા ઉપરના વધસ્તંભ પર તેઓએ એક ચિહ્ન જોડ્યું હતું જેના પર કોઈએ કારણ લખ્યું હતું કે તેઓએ તેમને વધસ્તંભ પર ખીલા મારીને કેમ જડ્યા હતા. તે કહે છે, "યહૂદીઓનો રાજા." 27તેઓએ અન્ય બે કેદીઓ કે જેઓ ડાકુ હતા તેઓને પણ ખીલા મારીને બાજુમાં જડ્યા હતા. તેઓએ એકને ઈસુની જમણી બાજુએ વધસ્તંભ પર અને એકને ઈસુની ડાબી બાજુએ વધસ્તંભ પર ખીલા મારી જડ્યા હતા. 286 15.28 કેટલીક પ્રાચીન પ્રતો કલમ ૨૮ નો સમાવેશ કરે છે. લૂક ૨૨:૩૭ સાથે સરખાવો. [અને તેમને લૂંટારાઓ સાથે વધસ્તંભે ચઢાવીને તેઓએ શાસ્ત્રના ભાગને પૂર્ણ કર્યો જે કહે છે, 'અને તેઓએ તેમની ગણતરી દુષ્ટ લોકોમાં કરી.'] 29ત્યાંથી પસાર થતા લોકોએ તેમની સામે માથું હલાવીને તેમનું અપમાન કર્યું. તેઓએ કહ્યું, “હા! તેં કહ્યું હતું કે તું ભક્તિસ્થાનનો નાશ કરશે અને પછી તું તેને ત્રણ દિવસમાં ફરીથી બનાવી શકીશ. 30જો તું એમ કરી શકે તો, વધસ્તંભ પરથી નીચે આવીને તમારી જાતને બચાવો!” 31તે માણસોની સાથે, યહૂદી નિયમો શીખવનારા મુખ્ય યાજકોએ, પણ ઈસુની મજાક ઉડાવવા ઈચ્છતા હતા. તેથી તેઓએ એકબીજાને કહ્યું, “લોકો દાવો કરે છે કે તેણે બીજાઓને મુશ્કેલીમાંથી બચાવ્યા છે, પણ તે પોતાને બચાવી શકતો નથી! 32તેણે મસીહા અને ઇઝરાયલના લોકો પર શાસન કરનાર રાજા હોવાનો દાવો કર્યો. જો તેના શબ્દો સાચા હોય, તો તેણે હવે વધસ્તંભ પરથી નીચે ઉતરી આવવું જોઈએ! પછી અમે તેના પર વિશ્વાસ કરીશું!” તેમની બાજુઓ પર વધસ્તંભે ખીલા લગાવી જડેલા બે માણસોએ પણ તેમનું અપમાન કર્યું.
33બપોરના સમયે આખો દેશ અંધકારમય બની ગયો, અને તે બપોરના ત્રણ વાગ્યા સુધી અંધકારમય રહ્યો. 34ત્રણ વાગે ઈસુએ બૂમ પાડી, "એલોઈ, એલોઈ, લમા શબકથની?" તેનો અર્થ છે, "મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ ત્યજી દીધો છે?" 35જ્યારે ત્યાં ઊભેલા કેટલાક લોકોએ 'એલોઈ' શબ્દ સાંભળ્યો, તેઓએ તેને ગેરસમજ કરી અને કહ્યું, “સાંભળો! તે પ્રબોધક એલિયાને બોલાવે છે!” 36તેમાંથી એક દોડ્યો અને ખાટા દ્રાક્ષારસ સાથે સરકાથી વાદળી ભરી. તેણે તેને એક સોટીની ટોચ પર મૂક્યું, અને પછી તેને પકડીને તેમાં રહેલો દ્રાક્ષારસને ઈસુ પીવે તેવો પ્રયત્ન કર્યો. જ્યારે તે આમ કરી રહ્યો હતો, ત્યારે કોઈએ કહ્યું, “થોભો! ચાલો જોઈએ કે એલિયા તેને વધસ્તંભ પરથી ઉતારવા આવશે કે કેમ!” 37અને પછી, ઈસુએ જોરથી પોકાર કર્યા પછી, તેમણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને તે મૃત્યુ પામ્યા. 38તે ક્ષણે ભક્તિસ્થાનના સૌથી પવિત્ર સ્થાનને બંધ કરનાર ભારે, જાડો પડદો ઉપરથી નીચે સુધી બે ટુકડાઓમાં વિભાજિત થઈ ગયો. 39જે સૈનિકોએ ઈસુને વધસ્તંભ પર ખીલા માર્યા હતા તેમની દેખરેખ કરનાર અધિકારી ઈસુની સામે ઊભો હતો. જ્યારે તેણે જોયું કે ઈસુ કેવી રીતે મૃત્યુ પામ્યા હતા, ત્યારે તેણે કહ્યું, "ચોક્કસ, આ ઈસુ ઈશ્વરનો પુત્ર હતો!" 40-41ત્યાં કેટલીક સ્ત્રીઓ પણ હતી, જે વધારે દૂરથી જોઈ રહી હતી કે શું થયું. જ્યારે ઈસુ ગાલીલના જિલ્લામાં હતા ત્યારે તેઓ તેમની સાથે રહ્યા હતા, અને તેઓએ તેમને જે જોઈએ તે પૂરું પાડ્યું હતું. તેઓ અને બીજી ઘણી સ્ત્રીઓ તેમની સાથે યરૂશાલેમ શહેરમાં આવી હતી. એ સ્ત્રીઓમાં મગ્દલા શહેરની મરિયમ પણ હતી. ત્યાં અન્ય મરિયમ પણ હતી, જે યુવા યાકૂબ અને યોશેની માતા હતી. શલોમી પણ ત્યાં હતી.
42-43સાંજ જ્યારે આથમી રહી હતી ત્યારે અરિમથાય નામના નગરમાંથી યૂસફ નામનો એક માણસ ત્યાં આવ્યો. તે યહૂદી પરિષદનો એક સભ્ય હતો, જેને બધા માન આપતા હતા. તે એવા લોકોમાંનો પણ એક હતો જેઓ એ સમયની રાહ જોતા હતા જ્યારે ઈશ્વર તેમના રાજાને શાસન કરવા માટે મોકલશે. તે જાણતો હતો કે, યહૂદી કાયદા મુજબ, વ્યક્તિનું મૃત્યુ થાય તે દિવસે જ શરીરને દફનાવવું આવશ્યક છે. તેને એ પણ સમજાયું કે તે તૈયારીનો દિવસ હતો, જે દિવસે લોકો યહૂદીઓના આરામના દિવસ માટે વસ્તુઓ તૈયાર કરતા હતા, અને જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે યહૂદીઓનો આરામનો દિવસ શરૂ થશે. સાંજ હવે નજીક આવી રહી હતી. હિંમતભેર, તે પિલાત પાસે ગયો અને ઈસુના શરીરને વધસ્તંભ પરથી નીચે ઉતારવા અને તેને તરત જ દફનાવવાની પરવાનગી માંગી. 44પિલાતને આશ્ચર્ય થયું જ્યારે તેણે સાંભળ્યું કે ઈસુ પહેલેથી જ મૃત્યુ પામ્યા હતા. તેથી તેણે ઈસુને વધસ્તંભે જડેલા સૈનિકોની સંભાળ રાખનાર અધિકારીને બોલાવ્યો, અને તેણે તેને પૂછ્યું કે શું ઈસુ પહેલેથી જ મૃત્યુ પામ્યા હતા. 45જ્યારે અધિકારીએ પિલાતને કહ્યું કે ઈસુ મૃત્યુ પામ્યા છે, ત્યારે પિલાતે યૂસફને લાશ લઈ જવાની મંજૂરી આપી. 46યૂસફે એક શણનું કાપડ ખરીદ્યા પછી, તેણે અને બીજાઓએ ઈસુના શરીરને વધસ્તંભ પરથી નીચે ઉતાર્યું. તેઓએ તેને શણના કપડામાં વીંટાળ્યું અને તેને એક કબરમાં મૂક્યું જે અગાઉ ખડકની ભેખડમાંથી કાપવામાં આવી હતી. પછી તેઓએ કબરના પ્રવેશદ્વારની સામે એક વિશાળ સપાટ પથ્થર ગબડાવ્યો. 47મગ્દાલાની મરિયમ અને યોશેની માતા મરિયમ જોઈ રહ્યા હતા કે તેઓએ ઈસુનું શરીર ક્યાં મૂક્યું છે.
161શનિવારની સાંજે જ્યારે યહૂદીઓનો વિશ્રામવારનો દિવસ પૂરો થયો, ત્યારે મગ્દલાની મરિયમ, યુવા યાકૂબની માતા મરિયમ અને સલોમીએ ઈસુના શરીરને અભિષેક કરવા માટે સુગંધિત અત્તર ખરીદ્યા. આ સ્ત્રીઓ આ યહૂદી દફન પ્રથાને અનુસરવા માંગતી હતી. 2રવિવારની વહેલી સવારે, અઠવાડિયાના પ્રથમ દિવસે, સૂર્ય ઉગ્યા પછી, તેઓ સુગંધિત અત્તર સાથે કબર પર ગયા. 3તેમના માર્ગ પર, તેઓ એકબીજાને પૂછતા હતા, "આપણા માટે કબરના પ્રવેશને બંધ કરનાર ભારે પથ્થરને ગબડાવીને દૂર કરવામાં આપણી મદદ કોણ કરશે?" 4ત્યાં પહોંચીને, તેઓએ ઉપર જોયું અને આશ્ચર્ય પામ્યા કારણ કે એ પથ્થર જે ખૂબ મોટો હતો તેને કોઈએ ગબડાવીને દૂર કરી દીધો હતો. 5તેઓએ કબરમાં પ્રવેશ કર્યો અને એક યુવાનને જોયો. તેણે સફેદ ઝભ્ભો પહેર્યો હતો અને તે ગુફાની જમણી બાજુએ બેઠો હતો. આ દ્રશ્યએ તેમને ડરાવી દીધા! 6યુવાને તેઓને કહ્યું, “ગભરાશો નહિ! હું જાણું છું કે તમે ઈસુને શોધી રહ્યા છો, નાઝરેથ શહેરના માણસ, જેને તેઓએ વધસ્તંભ પર ખીલા મારી જડ્યા હતા. પણ તે ફરીથી જીવંત થયા છે! તે અહિ નથી! જુઓ! અહિ તે જગ્યા છે જ્યાં તેઓએ તેમના શરીરને મૂક્યું હતું. 7પરંતુ, અહિ રહેવાને બદલે, જાઓ અને તેમના શિષ્યોને કહો! ખાસ કરીને, ખાતરી કરો કે તમે પિતરને કહો છો. તેઓને કહો, 'ઈસુ તમારી આગળ ગાલીલના જિલ્લામાં જઈ રહ્યા છે, અને તમે તેમને ત્યાં જોશો, જેમ તેમણે તમને અગાઉ કહ્યું હતું. 8સ્ત્રીઓ બહાર ગઈ અને કબરમાંથી દોડીને ગઈ. તેઓ ધ્રૂજતા હતા કારણ કે તેઓ ભયભીત હતા, અને તેઓ આશ્ચર્યચકિત હતા. પરંતુ તેઓએ આ વિષે કોઈને કંઈ કહ્યું નહિ, કારણ કે તેઓ ભયભીત હતા.
97 16.9 કેટલીક પ્રાચીન પ્રતો માર્ક ૧૬:૯-૨૦ નો સમાવેશ કરે છે[સપ્તાહના પ્રથમ દિવસે, રવિવારની વહેલી સવારે જ્યારે ઈસુ ફરીથી જીવંત થયા, ત્યારે તે મગ્દલા નગરમાંની મરિયમને પ્રથમ દેખાયા. તેણી એ સ્ત્રી હતી જેનામાંથી તેમણે અગાઉ સાત દુષ્ટ આત્માઓને બહાર હાંકી કાઢ્યા હતા. 10જેઓ ઈસુની સાથે હતા તેઓ શોક કરી રહ્યા હતા અને રડતા હતા ત્યારે તે તેમની પાસે ગઈ. તેણીએ તેઓને કહ્યું જે તેણીએ જોયું હતું. 11પરંતુ જ્યારે તેણીએ તેઓને કહ્યું કે ઈસુ ફરીથી જીવતા થયા છે અને તેણીએ તેમને જોયા છે, ત્યારે તેઓએ તેણીની વાત માનવાની ના પાડી. 12તે દિવસે મોડેથી, ઈસુ તેમના બે તાલીમાર્થીઓ યરૂશાલેમથી આસપાસના વિસ્તારમાં તેમના ઘરો તરફ ચાલતા હતા ત્યારે તેમને દેખાયા. તેઓ તેમને ઝડપથી ઓળખી શક્યા નહિ કારણ કે તે ખૂબ જ અલગ દેખાતા હતો. 13તેઓએ તેમને ઓળખ્યા પછી, તે બંને યરૂશાલેમ પાછા ગયા. તેઓએ તેના અન્ય અનુયાયીઓને જે બન્યું હતું તે કહ્યું, પરંતુ તેઓએ જે સાંભળ્યું તેના પર તેઓએ વિશ્વાસ ન કર્યો. 14પાછળથી અગિયાર તાલીમાર્થીઓ જમતા હતા ત્યારે ઈસુ તેમને દેખાયા. તેમણે તેઓને સખત ઠપકો આપ્યો, કારણ કે તેમના ફરીથી જીવિત થયા પછી તેમને જોનારાઓના અહેવાલો પર વિશ્વાસ કરવાનો ઇનકાર તેઓએ જીદ્દીપણે કર્યો હતો.
15તેણે તેઓને કહ્યું, “આખી દુનિયામાં જાઓ અને દરેકને શુભસંદેશ જણાવો! 16જે તમારા સંદેશમાં વિશ્વાસ કરે છે અને જે બાપ્તિસ્મા લે છે તે દરેકને ઈશ્વર બચાવશે . પરંતુ દરેક જે તમારા સંદેશમાં વિશ્વાસ નથી કરતા તેઓને ઈશ્વર નકામું ગણી કાઢી નાખશે. 17જેઓ શુભસંદેશ પર વિશ્વાસ કરશે છે તેઓ ચમત્કાર કરશે. ખાસ કરીને, મારી શક્તિથી તેઓ દુષ્ટ આત્માઓને લોકોમાંથી બહાર કાઢશે. તેઓ એવી ભાષાઓમાં બોલશે જે તેઓ શીખ્યા નથી. 18જેમ તેઓ સાપને ઊંચકી લે છે અથવા જો તેઓ કોઈ ઝેરી પ્રવાહી પીવે છે, તો તેમને નુકસાન થશે નહિ. ઈશ્વર બીમાર લોકોને સાજા કરશે જેમના પર તેઓ હાથ મૂકે છે.”
19પ્રભુ ઈસુએ તેમના શિષ્યોને આમ કહ્યા પછી, ઈશ્વર તેમને સ્વર્ગમાં લઈ ગયા. પછી ઈસુ, ઈશ્વરના જમણા હાથની બાજુમાં, સર્વોચ્ચ સન્માનના સ્થાનની બાજુમાં, તેમની સાથે શાસન કરવા માટે તેમના સિંહાસન પર બેઠા. 20તાલીમાર્થીઓની વાત કરીએ તો, તેઓ યરૂશાલેમથી બહાર ગયા, અને પછી તેઓએ દરેક જગ્યાએ પ્રચાર કર્યો. તેઓ જ્યાં પણ ગયા ત્યાં પ્રભુએ તેમને ચમત્કારો કરવા સક્ષમ કર્યા. એમ કરવા દ્વારા, તેમણે લોકોને બતાવ્યું કે ઈશ્વરનો સંદેશો સાચો છે.]